Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Manipur માં ફરી હિંસા, હવે ડ્રોન અને રોકેટ દ્વારા હુમલા, સરકારે લાગુ કરી આ સિસ્ટમ...

Manipur માં એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત હથિયારોનો જથ્થો મળી આવ્યો CM રાજ્યપાલને મળ્યા, હિંસા વિશે ચર્ચા કરી મણિપુર (Manipur) ફરી એકવાર સળગવા લાગ્યું છે. જ્યાં પહેલા આગચંપી અને ગોળીબાર થતો હતો ત્યાં હવે રોકેટ હુમલા અને ડ્રોન હુમલા થવા...
manipur માં ફરી હિંસા  હવે ડ્રોન અને રોકેટ દ્વારા હુમલા  સરકારે લાગુ કરી આ સિસ્ટમ
Advertisement
  1. Manipur માં એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત
  2. હથિયારોનો જથ્થો મળી આવ્યો
  3. CM રાજ્યપાલને મળ્યા, હિંસા વિશે ચર્ચા કરી

મણિપુર (Manipur) ફરી એકવાર સળગવા લાગ્યું છે. જ્યાં પહેલા આગચંપી અને ગોળીબાર થતો હતો ત્યાં હવે રોકેટ હુમલા અને ડ્રોન હુમલા થવા લાગ્યા છે. સ્થિતિ એવી બની છે કે પોલીસે હવે એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવી પડી છે. CM અને અધિકારીઓ બેઠક બાદ બેઠક કરી રહ્યા છે. શનિવારે પણ CM બિરેન સિંહ અને રાજ્યપાલની મુલાકાત થઈ હતી.

Advertisement

મણિપુરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત...

મણિપુર (Manipur) પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, તેમણે નાગરિકો પર તાજેતરના ડ્રોન અને રોકેટ હુમલાના જવાબમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ તૈનાત કરી છે. જીરીબામ જિલ્લામાં તાજી હિંસાના અહેવાલો પછી આ જાહેરાત કરવામાં આવી છે, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. પોલીસ મહાનિરીક્ષક (ઈન્ટેલીજન્સ) કે. કબિબે અહીં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે એક મજબૂત એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે અને પોલીસ નાગરિકો પરના હુમલાનો સામનો કરવા માટે વધારાના હથિયારો ખરીદવાની પ્રક્રિયામાં છે. તેમણે કહ્યું, “રાજ્ય દળ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. "તાજેતરના ડ્રોન હુમલાઓને કારણે, ડ્રોન વિરોધી સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે અને રાજ્ય પોલીસ વધારાના એન્ટી-ડ્રોન શસ્ત્રો ખરીદવાની પ્રક્રિયામાં છે, જે ટૂંક સમયમાં તૈનાત કરવામાં આવશે."

Advertisement

Advertisement

હથિયારોનો જથ્થો મળી આવ્યો...

શનિવારે સવારે કાંગપોકપી અને બિષ્ણુપુર જિલ્લાની સરહદ પર સ્થિત લોઇબોલ ખુલ્લેન અને ટિંગકાઈ ખુલ્લેન ખાતે બે સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાધુનિક હથિયારો અને દારૂગોળોનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમાં નવ અત્યાધુનિક હથિયારો, એક ઉન્નત સ્નાઈપર રાઈફલ, 21 વિવિધ પ્રકારના દારૂગોળો, 21 વિસ્ફોટકો અને ગ્રેનેડ અને એક વાયરલેસ સેટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : UP : Lucknow ના ટ્રાન્સપોર્ટ નગરમાં અકસ્માત, 8 લોકોના મોત, 28 લોકો ઘાયલ...

CM રાજ્યપાલને મળ્યા...

મણિપુર (Manipur)ના મુખ્યમંત્રી એન બિરેન સિંહે શનિવારે સાંજે રાજ્યપાલ એલ. આચાર્યને મળ્યા. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં હિંસાની ઘટનાઓમાં સાત લોકોના મોત થયા છે અને 15 થી વધુ લોકો ઘાયલ થયા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી સચિવાલયમાં શાસક ગઠબંધનના ધારાસભ્યો અને મંત્રીઓની કટોકટીની બેઠક બાદ મુખ્યમંત્રી સિંહ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ પહેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં 25 ધારાસભ્યોએ ભાગ લીધો હતો. જેમાં સશસ્ત્ર તોફાની તત્વો દ્વારા થતા હુમલાને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Kolkata Murder Case પર બનશે ફિલ્મ, મેકર બતાવશે પૂરી ઘટના

ડ્રોનથી બોમ્બ છોડવામાં આવે...

આ અઠવાડિયાની શરૂઆતમાં, ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બે સ્થળોએ લોકો પર બોમ્બ ફેંકવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે બિષ્ણુપુર જિલ્લાના નારાયણસેના, નામ્બોલ કામોંગ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પુખાઓ, દોલૈથાબી, શાંતિપુરમાં ઘણા ડ્રોન જોવા મળ્યા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગભરાયેલા ગ્રામજનોએ તેમના ઘરની લાઇટો બંધ કરી દીધી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે મોટા જૂથોની હિલચાલ પર નજર રાખવા માટે સુરક્ષા દળો આસપાસના વિસ્તારોમાં 'હાઈ એલર્ટ' પર છે.

આ પણ વાંચો : Drunk Auto Driver એ ટ્રાફિક મેન સાથે મારપીટ કરી માર્યા થપ્પડ, જુઓ...

Tags :
Advertisement

Trending News

.

×