Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Aditya L1 Launch : અવકાશમાં ભારતની 'Sunshine' મોમેન્ટ, આદિત્ય L1 PSLV રોકેટથી અલગ થઈને સૂર્ય તરફ પ્રયાણ કર્યું

ભારતની સ્પેસ એજન્સી ISROનો ડ્રીમ પ્રોજેક્ટ સૂર્ય મિશન આદિત્ય-L1 શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો છે. આજે ભારતે તેના પ્રથમ સૌર મિશન તરફ એક મોટું પગલું ભર્યું છે. આજે આદિત્ય એલ-1 એ સૂર્ય તરફ ઉડાન ભરી છે. આદિત્ય મિશન 15 લાખ કિલોમીટરના...
aditya l1 launch   અવકાશમાં ભારતની  sunshine  મોમેન્ટ  આદિત્ય l1 pslv રોકેટથી અલગ થઈને સૂર્ય તરફ પ્રયાણ કર્યું

ભારતની સ્પેસ એજન્સી ISROનો ડ્રીમ પ્રોજેક્ટ સૂર્ય મિશન આદિત્ય-L1 શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો છે. આજે ભારતે તેના પ્રથમ સૌર મિશન તરફ એક મોટું પગલું ભર્યું છે. આજે આદિત્ય એલ-1 એ સૂર્ય તરફ ઉડાન ભરી છે. આદિત્ય મિશન 15 લાખ કિલોમીટરના અંતરે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના L1 બિંદુ સુધી પહોંચાડવાનું છે. સૂર્યની નજીક હેલો ઓર્બિટમાં આદિત્યને સ્થાપિત કરવામાં લગભગ 100 થી 120 દિવસનો સમય લાગશે, પરંતુ આદિત્ય-L1 સૂર્ય સુધી પહોંચતા પહેલા અનેક તબક્કામાં તેની યાત્રા પૂર્ણ કરશે. ઈસરોએ આજે ​​પોતાનું પ્રથમ સૂર્ય મિશન લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા બાદ હવે દુનિયાની નજર ફરી એકવાર ભારત પર ટકેલી છે.

Advertisement

શ્રીહરિકોટા 'ભારત માતા કી જય'થી ગુંજી ઉઠ્યું, આદિત્ય-L1ના સફળ પ્રક્ષેપણ પર લોકોએ ખુશી વ્યક્ત કરી

આદિત્ય L1 ને વહન કરતા ISROના PSLV રોકેટે શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક ઉડાન ભરી છે. આજે સવારે 11.50 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે મિશન લોન્ચ કરવામાં આવ્યું ત્યારે શ્રીહરિકોટાની દર્શક ગેલેરીમાં હાજર લોકોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવી રહી હતી. આદિત્ય-L1 ટુંક સમયમાં તેમના નિયુક્ત વર્ગમાં પહોંચી જશે.

Advertisement

રોકેટના ચોથા તબક્કાનું એન્જિન ફરી ચાલુ, આદિત્ય-L1 સાચી દિશામાં જઈ રહ્યું છે

PSLV-XL રોકેટના ચોથા તબક્કાનું એન્જિન કે જેણે આદિત્ય-L1 સાથે ઉડાન ભરી હતી તેને ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. આદિત્ય-L1 સાચી દિશામાં જઈ રહ્યું છે. તમામ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આદિત્ય-L1 નું વજન 1480.7 કિલો છે. આદિત્ય-L1 અવકાશયાન લોન્ચ થયાના લગભગ 63 મિનિટ પછી રોકેટથી અલગ થઈ જશે.

Advertisement

રોકેટથી અલગ થઈને આદિત્ય-L1 પોતાની સફર પર નીકળી, હવે 125 દિવસની સફર શરૂ થઈ

આદિત્ય-L1 એ તેની યાત્રા શરૂ કરી છે. આદિત્ય-L1 PSLV-XL રોકેટથી અલગ થઈ ગયું છે અને તેની યાત્રા પર નીકળી ગયું છે. તેની 125 દિવસની યાત્રા અહીંથી શરૂ થઈ છે. અહીંથી, તે 16 દિવસ સુધી પૃથ્વીની આસપાસ પાંચ ભ્રમણકક્ષાના દાવપેચ કરશે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એટલે કે પ્રભાવના ક્ષેત્ર (SOI) માંથી સીધું બહાર જશે.

'અવકાશમાં ભારતની સૂર્યપ્રકાશની ક્ષણ...', કેન્દ્રીય મંત્રીએ ઈસરોને અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આદિત્ય-L1 ના સફળ પ્રક્ષેપણ પર ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ ભારત માટે સૂર્યપ્રકાશની ક્ષણ છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે શ્રીહરિકોટામાં બનેલા સફળ ઈતિહાસનો આપણે ભાગ છીએ. ભારતના પ્રથમ સૌર મિશનના સફળ પ્રક્ષેપણ માટે ટીમ #ISRO ને અભિનંદન. તમને જણાવી દઈએ કે પીએસએલવીથી અલગ થયા બાદ આદિત્ય-L1 એ તેની સફર શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : Aditya L1 Launch : આદિત્ય L1 એ સૂર્ય તરફ ભરી ઉડાન, ભારતને ચંદ્ર બાદ સૂર્ય મિશન પર મોટી સફળતા મળી

Tags :
Advertisement

.