Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Accident : અમદાવાદના પરિવારને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર નડ્યો અકસ્માત, 3 ના મોત, 5 ઘાયલ...

દૌસા જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે હાઈવે પર રવિવારે સવારે 5 વાગ્યાની આસપાસ થયેલા એક ભયાનક માર્ગ અકસ્માત (Accident)માં પતિ-પત્ની અને તેમના પુત્રનું દુઃખદ મૃત્યુ થયું હતું. આ અકસ્માત (Accident) જિલ્લાના બાંડીકુઇ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉનબાડા ગામ પાસે થયો હતો....
accident   અમદાવાદના પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નડ્યો અકસ્માત  3 ના મોત  5 ઘાયલ

દૌસા જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે હાઈવે પર રવિવારે સવારે 5 વાગ્યાની આસપાસ થયેલા એક ભયાનક માર્ગ અકસ્માત (Accident)માં પતિ-પત્ની અને તેમના પુત્રનું દુઃખદ મૃત્યુ થયું હતું. આ અકસ્માત (Accident) જિલ્લાના બાંડીકુઇ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉનબાડા ગામ પાસે થયો હતો. બાંડીકુઇ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર કારમાં 8 લોકો સવાર હતા. જેઓ અમદાવાદથી હરિદ્વાર જઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં અકસ્માત (Accident) દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે બાળકો સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે પતિ, પત્ની અને પુત્રના મૃતદેહને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત (Accident) બાદ આરોપી ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.

Advertisement

બાંડીકુઇ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સુરેન્દ્ર મલિકે જણાવ્યું કે, કારમાં સવાર તમામ લોકો અમદાવાદથી હરિદ્વાર અસ્થી વિસર્જન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન વહેલી સવારે લગભગ 5 વાગે જિલ્લાના બાંડીકુઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા દિલ્હી-મુબઈ એક્સપ્રેસ વે પર ઉનબાડા ગામ પાસે એક રખડતો આખલો આવ્યો હતો, જે બાદ કાર કાબૂ બાહર જતી રહી અને પોલ સાથે અથડાઈ હતી.

Advertisement

કારમાંથી નીચે ઉતરતા જ તેને ટ્રકે કચડી નાખ્યો...

અકસ્માત (Accident) બાદ કારમાં સવાર લોકો કારમાંથી બહાર નીકળી એક્સપ્રેસ વે પર આવી ગયા હતા. ત્યારે પાછળથી આવતી ટ્રકે તમામ લોકોને કચડી નાખ્યા હતા, જેના કારણે હંસમુખ (32) પુત્ર કાંતિલાલ મકવાણા, સીમા (30) પત્ની હંસમુખ અને તેમના 5 વર્ષના પુત્ર મોહનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતદેહોને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. અકસ્માત (Accident)માં નીલમ (27) પુત્રી કાંતિલાલ, ગીતા (35) પત્ની રાકેશ કુમાર પરમાર, હંસમુખનો 3 વર્ષનો પુત્ર અને ગીતા પુત્રી કાવિયા સહિત વિરીટ ભાઈ (48) પુત્ર જેઠાભાઈ, અમદાવાદ રહેતા, ગંભીર રીતે ઘવાયા હતા. સારવાર ચાલુ છે.

પોલીસ ટ્રકણી શોધખોળમાં...

ભયાનક અકસ્માત (Accident)ની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આવી સ્થિતિમાં અકસ્માત (Accident) સ્થળની હાલત જોઈને પોલીસકર્મીઓ પણ ગભરાઈ ગયા હતા. એક્સપ્રેસ વે પર અકસ્માત (Accident)નો ભોગ બનેલા પતિ, પત્ની અને માસૂમ પુત્રના શરીરના અવયવો રોડ પર વિવિધ જગ્યાએ વેરવિખેર પડી ગયા હતા. બધે લોહી છવાઈ ગયું હતું. આવી સ્થિતિમાં પોલીસે એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા. મૃતકોના મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. સ્ટેશનના પ્રભારી સુરેન્દ્ર મલિકે જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને અકસ્માતની જાણ કરવામાં આવી છે. સ્વજનો આવ્યા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. ઘાયલોની સારવાર ચાલુ છે. હાલ પોલીસ ટ્રકની ઓળખ કરવા માટે એક્સપ્રેસ વે પર લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરી રહી છે.

Advertisement

મોતનો હાઈવે...

દેશના સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન 12 ફેબ્રુઆરી 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 12,150 કરોડના ખર્ચે બનેલા આ એક્સપ્રેસ-વે પર NHAI સતત મજબૂત સુરક્ષા વ્યવસ્થાના દાવા કરી રહ્યું છે, પરંતુ આ એક્સપ્રેસ વે માત્ર મોતનો રાજમાર્ગ બની ગયો છે. એક્સપ્રેસ વે પર NHAIની બેદરકારીની કિંમત કાર સવારો સતત તેમના જીવ સાથે ચૂકવી રહ્યા છે. આ અકસ્માત બાદ સૌથી મોટો સવાલ એ છે કે રખડતો આખલો એક્સપ્રેસ વે પર કેવી રીતે આવ્યો? પરંતુ જો NHAI એક્સપ્રેસ વે પર સતત પેટ્રોલિંગ કરે તો આવા અકસ્માતો પર અંકુશ લાવી શકાય છે.

આ પણ વાંચો : Yamunotri Dham યાત્રા રાખવી પડશે માંકૂફ, જાણો ઉત્તરકાશી પોલીસે લોકોને શું કરી નમ્ર અપીલ…

આ પણ વાંચો : Chardham Yatra : બદ્રીનાથ ધામના દરવાજા ખુલ્લા, 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારાયું મંદિર…

આ પણ વાંચો : Kedarnath Devotees: ચારધામ યાત્રામાં પહેલા દિવસે પહોંચ્યા રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ

Tags :
Advertisement

.