જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં કાર રોડ અકસ્માતનો ભોગ બની, 7 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બુધવારે એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો. અહીં ડેમ પર કામ કરી રહેલા મજૂરોને લઈ જતું ક્રુઝર વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં 7 મજૂરોના મોત થયા હતા. જ્યારે 3 ઘાયલ મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
J&K | A cruiser vehicle of Pakal Dul Project with 10 people on board, met with an accident in Kishtwar, some feared dead. Further details awaited: DC Kishtwar pic.twitter.com/AAQICSgdhS
— ANI (@ANI) May 24, 2023
પહાડી વિસ્તાર હોવાને કારણે કિશ્તવાડમાં અવારનવાર માર્ગ અકસ્માતો થાય છે. અગાઉ અહીં થયેલા અનેક અકસ્માતોમાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત વરસાદ દરમિયાન થતા ભૂસ્ખલન પણ ઘણી વખત માર્ગ અકસ્માતનું કારણ બને છે.
કિશ્તવાડ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ડાંગદુરુ પાવર પ્રોજેક્ટ પાસે બની હતી. આ પ્રોજેક્ટ પર કામ કરતા મજૂરોને લઈ જતું ક્રુઝર વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં 7 લોકોના મોતના સમાચાર છે. જ્યારે 3 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.
ઘાયલોને મદદની જાહેરાત
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કિશ્તવાડમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે તેમણે રોડ અકસ્માત અંગે ડેપ્યુટી કમિશનર ડૉ. દેવાંશ યાદવ સાથે વાત કરી છે. તેને ડાંગદુરુ ડેમ સાઇટ પાસે આ દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત વિશે જણાવવામાં આવ્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અથવા જીએમસી ડોડામાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે. આ અકસ્માતમાં જે લોકો માર્યા ગયા છે, તેમની જરૂરિયાત મુજબ તમામ શક્ય મદદ કરવામાં આવશે.
આ પણ વાંચો : મંદિરો પર હુમલો સ્વીકાર્ય નથી, PM અલ્બેનીઝે કડક પગલાં લેવાની ખાતરી આપી, મોદીએ કહ્યું…