Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેશવાનંદ ભારતી કેસને 50 વર્ષ પૂરા, જાણો સુપ્રીમ કોર્ટે શું કર્યું...!

તમે દેશ વિદેશની સાંપ્રત ઘટનાઓ જાણવાની દિલચસ્પી ધરાવતા હોવ અને રોજ અખબારો કે ટીવીના માધ્યમથી નવા સમાચારો વાંચતા હોવ તો તમે ક્યારેક કેશવાનંદ ભારતી કેસ વિશે તો સાંભળ્યું જ હશે. આજે કેશવાનંદ ભારતી કેસની 50મી વર્ષગાંઠ છે. સુપ્રીમ કોર્ટે આ...
03:46 PM Apr 24, 2023 IST | Vipul Pandya
તમે દેશ વિદેશની સાંપ્રત ઘટનાઓ જાણવાની દિલચસ્પી ધરાવતા હોવ અને રોજ અખબારો કે ટીવીના માધ્યમથી નવા સમાચારો વાંચતા હોવ તો તમે ક્યારેક કેશવાનંદ ભારતી કેસ વિશે તો સાંભળ્યું જ હશે. આજે કેશવાનંદ ભારતી કેસની 50મી વર્ષગાંઠ છે. સુપ્રીમ કોર્ટે આ કેસના ઐતિહાસિક નિર્ણયને ધ્યાનમાં રાખીને એક ખાસ વેબ પેજ બનાવ્યું છે. આ સંદર્ભમાં માહિતી આપતાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આ વેબપેજ કેશવાનંદ ભારતી કેસની 50મી વર્ષગાંઠ અંતર્ગત સમર્પિત કરવામાં આવશે. જેમાં 'બેઝિક સ્ટ્રક્ચર પ્રિન્સિપલ' પરના કેસને લગતી સામગ્રી અપલોડ કરવામાં આવી છે.
શું છે કેશવાનંદ ભારતી કેસ?
વર્ષ 1973માં કેન્દ્ર સરકારે જમીન સુધારણા માટે બે કાયદા બનાવ્યા. આ કાયદા દ્વારા કેન્દ્ર સરકાર મઠોની સંપત્તિ જપ્ત કરવા માંગતી હતી. આ કેસમાં કેશવાનંદ ભારતી જે મંદિરમાં પંડિત તરીકે કામ કરતા હતા. તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. કેશવાનંદ ભારતીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે બંધારણની કલમ 26 અમને ધર્મના પ્રચાર માટે સંસ્થાઓ બનાવવાનો અધિકાર આપે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસ્થાઓની સંપત્તિ જપ્ત કરવાનો જે કાયદો બનાવવામાં આવ્યો છે તે બંધારણની વિરુદ્ધ છે. 13 ન્યાયાધીશોએ આ કેસની સુનાવણી કરી અને 68 દિવસ સુધી આ મુદ્દે ચર્ચા ચાલી. આ પછી 24 એપ્રિલ 1973ના રોજ ચુકાદો આપતાં કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારો બંધારણથી ઉપર નથી. કોર્ટની બંધારણીય બેન્ચે 7:6 બહુમતીથી ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયમાં કોર્ટે કહ્યું કે બંધારણના મૂળ માળખામાં સંસદ દ્વારા સુધારો કરી શકાય નહીં.
સરકાર બંધારણથી ઉપર નથી
કેશવાનંદ ભારતી કેસમાં 7 જજોએ કેશવાનંદ ભારતીને સમર્થન આપ્યું હતું. સાથે જ 6 જજોએ સરકારની તરફેણમાં સમર્થન આપ્યું હતું. આ નિર્ણયમાં કોર્ટે કહ્યું કે સરકારો બંધારણથી ઉપર નથી. સરકાર બંધારણની મૂળ ભાવના કે મૂળભૂત માળખામાં કોઈ ફેરફાર કરી શકી નથી. જો સરકાર કોઈપણ કાયદામાં ફેરફાર કરે છે, તો કોર્ટ તે કાયદાની ન્યાયિક સમીક્ષા કરી શકે છે. બંધારણની મૂળ ભાવના અથવા મૂળભૂત માળખું શું છે તે સ્પષ્ટ નથી પરંતુ તે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચો---મિશન 2024 માટે દક્ષિણ ભારતમાં BJPનો ભરોસો આ યુવા પૂર્વ IPS ઉપર, વાંચો અંદરની વાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Kesavanand Bharti casenational newssuprime court
Next Article