Kerala માં ભયાનક અકસ્માત, MBBS ના 5 વિદ્યાર્થીઓના મોત, 2 ઘાયલ
- Kerala માં કાર બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો
- MBBS ના 5 વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત, 2 ઘાયલ
- કારની છત કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
કેરળ (Kerala)માં ગઈકાલે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 5 MBBS વિદ્યાર્થીઓના મોત થયા હતા. બસ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના મોત થયા હતા, જ્યારે બસમાં સવાર લોકો પણ ઘાયલ થયા હતા. રાહદારીઓએ બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. પોલીસે ઘટનાસ્થળે આવીને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરંતુ ક્ષતિગ્રસ્ત કારમાંથી મૃતદેહને બહાર કાઢવા પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બસ સાથે અથડાયા બાદ કાર કચડાઈ ગઈ હતી. આથી છત કાપીને મૃતદેહ બહાર કાઢવો પડ્યો હતો. કારમાં 7 લોકો સવાર હતા, જેમાંથી 5 ના મોત થયા હતા અને 2 ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
મૃતક અલાપ્પુઝાની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેરળ (Kerala)ના Alappuzha માં કાલાકોડ પાસે આ અકસ્માત થયો હતો. કાર કેરળ (Kerala) સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસ સાથે અથડાઈ હતી. અકસ્માત કેમ અને કેવી રીતે થયો? પોલીસ હજુ સુધી આ વાત શોધી શકી નથી. પોલીસ ઘાયલોના નિવેદનની રાહ જોઈ રહી છે. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ Alappuzha ની ટીડી મેડિકલ કોલેજમાં MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. મૃતકોની ઓળખ લક્ષદ્વીપના રહેવાસી દેવનંદન, મુહમ્મદ ઈબ્રાહિમ, આયુષ શાજી, શ્રીદીપ વલસન, મોહમ્મદ જબ્બાર તરીકે થઈ છે. પોલીસને આશંકા છે કે અકસ્માત લપસી જવાને કારણે થયો છે. Fengal વાવાઝોડાને કારણે કેરળ (Kerala)માં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ લપસણો રસ્તાઓ જોવા મળી રહ્યા છે.
Alappuzha, Kerala: Five first-year MBBS students from Vandanam Medical College lost their lives in a car collision with a KSRTC bus late Monday evening in Kalarcode, Alappuzha, Kerala. The car was severely damaged, and rescue teams had to cut it open to free the trapped… pic.twitter.com/YTYlKBOtI8
— IANS (@ians_india) December 3, 2024
આ પણ વાંચો : Tripura ની હોટલ અને રેસ્ટોરન્ટમાં બાંગ્લાદેશીઓને એન્ટ્રી નહીં, કેમ લેવાયો નિર્ણય?
પોલીસ CCTV કેમેરા ની તપાસમાં લાગી...
કેરળ (Kerala) પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો કે એક કાર અને બસ વચ્ચે ટક્કર થઈ છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમને કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળી હતી. પોલીસે તાત્કાલિક કટર મંગાવી કારને કાપીને તેમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. કારમાં સવાર તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ પોલીસે પ્રાથમિક તપાસમાં જ 5 કાર સવારોને મૃત જાહેર કર્યા હતા. ઇજાગ્રસ્ત બે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. બસમાં મુસાફરી કરી રહેલા લોકો પણ ઘાયલ થયા હતા, જેમને પ્રાથમિક સારવાર આપી ઘરે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ અકસ્માત સ્થળ પાસે લાગેલા CCTV કેમેરાને સ્કેન કરી રહી છે.
આ પણ વાંચો : Punjab ના પૂર્વ ડેપ્યુટી CM ને મળી વાસણો સાફ કરવાની સજા!, જાણો શું હતી તેમની ભૂલ?