Karnataka bandh : બેંગલુરુમાં 44 ફ્લાઇટસ રદ..પ્રદર્શનકારીઓની એરપોર્ટમાં ઘુસવાની કોશિશ
તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના વિરોધમાં કર્ણાટક (Karnataka )માં રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે. કન્નડ સંગઠનોના મુખ્ય સંગઠન 'કન્નડ ઓક્કુટા' દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાજ્યમાં પણ બંધની અસર જોવા મળી રહી છે. શુક્રવારે (29 સપ્ટેમ્બર) બેંગલુરુ...
તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના વિરોધમાં કર્ણાટક (Karnataka )માં રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે. કન્નડ સંગઠનોના મુખ્ય સંગઠન 'કન્નડ ઓક્કુટા' દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાજ્યમાં પણ બંધની અસર જોવા મળી રહી છે. શુક્રવારે (29 સપ્ટેમ્બર) બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડતી ઓછામાં ઓછી 44 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. બંધના કારણે અનેક શહેરોમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે.
#WATCH | Karnataka: Film fraternity extends support to pro-Kannada organisations, protesting over the Cauvery Water Issue. pic.twitter.com/LPKvVyM6SO
— ANI (@ANI) September 29, 2023
Advertisement
મોટાભાગના મુસાફરોએ પોતાની ટિકિટો જાતે જ કેન્સલ કરાવી
અહેવાલ મુજબ, એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું છે કે ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ અંગે મુસાફરોને જાણ કરવામાં આવી છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે ફ્લાઇટ રદ કરવા પાછળ કર્ણાટક બંધ છે. કર્ણાટક બંધને ધ્યાનમાં રાખીને મોટાભાગના મુસાફરોએ પોતાની ટિકિટો જાતે જ કેન્સલ કરાવી હતી. બંધને કારણે મુસાફરોને બેંગલુરુ એરપોર્ટ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત, તેથી કદાચ ટિકિટો રદ કરવામાં આવી હતી.
કાર્યકરો બેંગલુરુ એરપોર્ટમાં પ્રવેશ્યા
પાંચ કન્નડ તરફી કાર્યકરોએ કર્ણાટકના ઝંડા સાથે બેંગલુરુ એરપોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યકરો હંગામો મચાવે તે પહેલા જ તેમને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે અટકાયત કરાયેલા પાંચ લોકો પાસેથી ટિકિટ મળી આવી છે. આ તમામ ટિકિટો બુક થઈ ગઈ હતી. આ ટિકિટો બતાવીને આ કાર્યકરોએ એરપોર્ટમાં ઘૂસવાનો અને પછી વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલા જ તેઓ પકડાઈ ગયા.
#WATCH | Bengaluru: Pro-Kannada activist Vatal Nagaraj detained by the Town Hall Police during the Karnataka Bandh protest pic.twitter.com/h7t20O0AgK
— ANI (@ANI) September 29, 2023
આ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે
કર્ણાટકમાં બોલાવવામાં આવેલા બંધને બેંગલુરુ અને રાજ્યના દક્ષિણ વિસ્તારોમાં જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. આ જ કારણ છે કે રાજ્યના આ ભાગમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. બેંગલુરુ શહેર, મંડ્યા, મૈસુર, ચામરાજનગર, રામનગરા અને હાસન જિલ્લામાં કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ શહેરોમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. કાવેરી નદીના જળ વિવાદને કારણે મંગળવારે પણ બેંગલુરુ બંધ રહ્યું હતું.
ઓટો- રિક્ષાને પણ અસર
બંધને 'કર્ણાટક ફિલ્મ એક્ઝિબિટર્સ એસોસિએશન'નું સમર્થન પણ મળ્યું છે. કર્ણાટકમાં સાંજના શો રદ કરવામાં આવ્યા છે. બેંગલુરુમાં બંધની અસર એવી રીતે જોવા મળી છે કે આઈટી સેક્ટર સહિત અનેક ડોમેન્સની કંપનીઓએ તેમના કર્મચારીઓને કહ્યું છે કે તેઓ ઘરેથી કામ કરી શકે છે. આ બંધને ‘ઓટો રિક્ષા ડ્રાઈવર્સ યુનિયન’ અને ‘ઓલા ઉબેર ડ્રાઈવર્સ એન્ડ ઓનર્સ એસોસિએશન’નું સમર્થન પણ મળ્યું છે.
Advertisement