Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TRAI warning : 116 કરોડ મોબાઈલ યુઝર્સને TRAI એ આપી ચેતવણી!

TRAI એ 116 કરોડ મોબાઈલ યુઝર્સને આપી ચેતવણી મોબાઇલ scam થી સાવધાન રહેવાની સલાહ આપી ડિજિટલ ધરપકડ છેતરપિંડીમાં ફસાવે છે     TRAI warning :TRAI એ દેશના 116 કરોડથી વધુ મોબાઇલ વપરાશકર્તાઓ માટે ચેતવણી જારી કરી છે.ટ્રાઇએ પોતાની ચેતવણીમાં...
trai warning   116 કરોડ મોબાઈલ યુઝર્સને trai એ આપી ચેતવણી
Advertisement
  • TRAI એ 116 કરોડ મોબાઈલ યુઝર્સને આપી ચેતવણી
  • મોબાઇલ scam થી સાવધાન રહેવાની સલાહ આપી
  • ડિજિટલ ધરપકડ છેતરપિંડીમાં ફસાવે છે

Advertisement

TRAI warning :TRAI એ દેશના 116 કરોડથી વધુ મોબાઇલ વપરાશકર્તાઓ માટે ચેતવણી જારી કરી છે.ટ્રાઇએ પોતાની ચેતવણીમાં મોબાઇલ વપરાશકર્તાઓને scam સાવધ રહેવા આપવામાં આવી છે. ટેલિકોમ રેગ્યુલેટર સમયાંતરે લોકોને વધતા સાયબર ગુનાઓ સામે ચેતવણી આપવા માટે આ ચેતવણી જારી કરે છે.scam લોકોને છેતરવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.લોકોને કોલ, મેસેજ કે અન્ય કોઈ માધ્યમથી લલચાવીને પછી છેતરપિંડી કરવામાં આવે છે.

Advertisement

ટ્રાઈની ચેતવણી

જનતાને આપેલી ચેતવણીમાં, ટેલિકોમ નિયમનકારે જણાવ્યું હતું કે, 'ટ્રાઇ ક્યારેય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવણી અંગે મોબાઇલ નંબરો/સબ્સ્ક્રાઇબર્સ/માહિતીના વેરિફિકેશન-ડિસ્કનેક્શન માટે કોઈ સંદેશા કે કોલ મોકલતું નથી.TRAI ના નામે આવતા આવા સંદેશાઓ/કોલ્સથી સાવધ રહો અને તેને સંભવિત છેતરપિંડી ગણો. આવા કોઈપણ સંદેશાઓ અથવા કોલની જાણ સંચાર સાથી પ્લેટફોર્મના ચક્ષુ મોડ્યુલ - https://sancharsaathi.gov.in/sfc/ દ્વારા ટેલિકોમ્યુનિકેશન વિભાગને કરો.

આ પણ  વાંચો -ભારતની બ્રહ્મોસ મિસાઇલ પર વિશ્વને વિશ્વાસ, 4 અન્ય દેશોએ ખરીદી માટે તૈયારી દર્શાવી

ડિજિટલ ધરપકડથી કેવી રીતે બચવું?

TRAI એ દેશમાં ડિજિટલ ધરપકડની વધતી જતી ઘટનાઓ અંગે મોબાઇલ વપરાશકર્તાઓને ચેતવણી આપી છે. આજકાલ સ્કેમર્સ TRAI અથવા અન્ય કોઈ સરકારી એજન્સીના નામે લોકોને ફોન કરે છે અને તેમને ડિજિટલ ધરપકડ છેતરપિંડીમાં ફસાવે છે. ગયા વર્ષે, કૌભાંડીઓએ ડિજિટલ ધરપકડ છેતરપિંડી દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. કૌભાંડીઓ TRAI અથવા અન્ય કોઈ સરકારી એજન્સીના નામે લોકોને ફોન કરીને ડરાવે છે અને તેમને કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે.

આ પણ  વાંચો -Pariksha pe charcha 2025 : ટેકનિકલ ગુરુજીએ જણાવી ટ્રિક, દરેક વિદ્યાર્થીએ તેમના ફોનમાં કરવી જોઇએ

ક્યાં અને કેવી રીતે રિપોર્ટ કરવો?

ટ્રાઇએ પોતાની ચેતવણીમાં વપરાશકર્તાઓને કહ્યું છે કે કોઈપણ એજન્સી વપરાશકર્તાઓને આવા કોઈ કોલ કરતી નથી. આવી સ્થિતિમાં, વપરાશકર્તાઓએ આવા કોઈપણ કોલને અવગણવા જોઈએ. ઉપરાંત, સંચાર સાથી પોર્ટલના ચક્ષુ મોડ્યુલ પર જે નંબર પરથી આવો કોલ કે મેસેજ આવે છે તેની જાણ કરો. આમ કરવાથી, સ્કેમર્સની માહિતી ટેલિકોમ વિભાગ સુધી પહોંચશે અને તેમને બ્લોક કરવામાં આવશે.

નકલી કોલ્સ અને મેસેજની જાણ કરી શકો છો.

તમે સંચાર સાથી એપ દ્વારા પણ આવા નકલી કોલ્સ અને મેસેજની જાણ કરી શકો છો. તાજેતરમાં જ ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ એન્ડ્રોઇડ અને આઇફોન વપરાશકર્તાઓ માટે સંચાર સાથી એપ લોન્ચ કરી છે. તમે તમારા મોબાઇલ નંબર અને OTP નો ઉપયોગ કરીને એપ્લિકેશનમાં લોગ ઇન કરીને અહીં કોઈપણ અનિચ્છનીય પ્રવૃત્તિની જાણ કરી શકો છો.

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Rajasthan University : હવે કુલપતિને કુલગુરુ કહેવામાં આવશે, ભાજપના નેતાઓએ 'પતિ' શબ્દ સામે ઉઠાવ્યો હતો વાંધો

featured-img
આંતરરાષ્ટ્રીય

Afghanistan માં ભૂકંપના જોરદાર આંચકા, તીવ્રતા 4.9, લોકો ઘર છોડીને ભાગ્યા

featured-img
ગાંધીનગર

Gujarati Top News : આજે 21 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
રાષ્ટ્રીય

આજે જ ખતમ થયો હતો ઇમરજન્સીનો કાળો અધ્યાય, લોકશાહીની પુનઃસ્થાપનાનો ઉદય; જાણો કહાની ઇમરજન્સીની

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 21 March 2025 : ચંદ્ર અને ગુરુના સંસપ્તક યોગની રચનાને કારણે આ રાશિઓને થશે ફાયદો

featured-img
અમદાવાદ

Ahmedabad : ચાંદખેડામાં રાતે 10 લોકોનું ટોળું હથિયારો સાથે ઘરમા ઘૂસ્યું, તોડફોડ કરી, ધમકીઓ આપી

×

Live Tv

Trending News

.

×