સુરત શહેર એકતા ટ્રસ્ટ દ્વારા માનવ લાશોની વિસર્જન યાત્રા કઢાઈ
એકતા ટ્રસ્ટ દ્વારા માનવ લાશોનું વિસર્જન કરાશે એકતા ટ્રસ્ટ દ્વારા અસ્થિ વિસર્જન યાત્રા કઢાઈ1200થી પણ વધુ મૃતકોના અસ્થિ એકતા ટ્રસ્ટ દ્વારા પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાનમાં લઈ જવાયાસુરત શહેર એકતા ટ્રસ્ટ દ્વારા માનવ લાશોની વિસર્જન યાત્રા રૂપે એટલે કે અસ્થિ વિસર્જન યાત્રા, સુરતથી હરિદ્વાર જવા રવાના થઈ, આ યાત્રામાં એકતા ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલભાઈ મલબારી સહિત નવ વ્યક્તિઓ લગભગ 1200થી પણ વધà
05:41 AM Dec 13, 2022 IST
|
Vipul Pandya
- એકતા ટ્રસ્ટ દ્વારા માનવ લાશોનું વિસર્જન કરાશે
- એકતા ટ્રસ્ટ દ્વારા અસ્થિ વિસર્જન યાત્રા કઢાઈ
- 1200થી પણ વધુ મૃતકોના અસ્થિ એકતા ટ્રસ્ટ દ્વારા પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાનમાં લઈ જવાયા
સુરત શહેર એકતા ટ્રસ્ટ દ્વારા માનવ લાશોની વિસર્જન યાત્રા રૂપે એટલે કે અસ્થિ વિસર્જન યાત્રા, સુરતથી હરિદ્વાર જવા રવાના થઈ, આ યાત્રામાં એકતા ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલભાઈ મલબારી સહિત નવ વ્યક્તિઓ લગભગ 1200થી પણ વધુ મૃતકોના અસ્થિ લઇ એકતા ટ્રસ્ટના પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાનમાં રવાના થયા હતા.
એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારીના જણાવ્યા અનુસાર સુરતથી હરીદ્વાર જ્યાં બિનવાસી મૃતકોના અસ્થિનું વિસર્જન કરાશે. તેમજ રિટર્નમાં રાજસ્થાનના પુસ્કરમાં પૂજા અર્ચના કરવામાં આવશે જે અસ્થિયાત્રા જઈ રહી છે. તેનો ખર્ચો સુરતના દાનવીર લોકો ઉઠાવી રહ્યા છે. જેમાં પેટ્રોલ ડીઝલ તેમજ અને આર્થિક પણ મદદ કરી છે, એકતા ટ્રસ્ટ પાછલા 35 વર્ષથી સુરત શહેરમાં સેવાકીય કાર્યો કરી રહ્યા છે. ત્યારે કોરોનાકાળ વખતે પણ એકતા ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યો કરી માનવતા મહેકાવી હતી. એકતા ટ્રસ્ટમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેક સમાજના લોકો ભેગા મળીને આ સેવાકીય કાર્યો કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article