Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી- "6 મહિનામાં દેશની રાજનીતિમાં આવશે મોટો ભૂકંપ"

PM નરેન્દ્ર મોદીએ'પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં  પોતાના ભાષણની શરૂઆત જય મા દુર્ગા અને જય મા કાલીનાં નારા સાથે કરી હતી. તેમણે કહ્યું કે જનતાનો આ સ્નેહ સ્પષ્ટ સંદેશ આપી રહ્યો છે કે દેશમાં ફરી એકવાર મોદી સરકાર જ બનવાની  છે. મથુરાપુરમાં...
pm મોદી   6 મહિનામાં દેશની રાજનીતિમાં આવશે મોટો ભૂકંપ
Advertisement

PM નરેન્દ્ર મોદીએ'પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં  પોતાના ભાષણની શરૂઆત જય મા દુર્ગા અને જય મા કાલીનાં નારા સાથે કરી હતી. તેમણે કહ્યું કે જનતાનો આ સ્નેહ સ્પષ્ટ સંદેશ આપી રહ્યો છે કે દેશમાં ફરી એકવાર મોદી સરકાર જ બનવાની  છે.

મથુરાપુરમાં પીએમની રેલી.

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ બુધવારે પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં ચૂંટણી રેલી યોજી હતી. પીએમ મોદીએ કહ્યું છે કે લોકસભા ચૂંટણી 2024 માટે પશ્ચિમ બંગાળમાં આ તેમની છેલ્લી રેલી છે. આ પછી તે ઓડિશા જશે. પીએમ મોદીએ આ રેલીમાં તૃણમૂલ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે.

Advertisement

પીએમ મોદીની આ રેલીમાં કથિત  10 મોટી વાતો.
  • PM મોદીએ કહ્યું કે "આ ચૂંટણી માટે બંગાળમાં મારી આ છેલ્લી મુલાકાત છે. આ ચૂંટણીમાં દેશની રાજકીય પાર્ટીઓ કે રાજનીતિ નથી, પરંતુ દેશની જનતાએ કન્યાકુમારીથી કાશ્મીર અને અટકથી કટક સુધીની વિકાસ યાત્રા જોઈ છે 10 વર્ષ અને 60 વર્ષની સફર પણ જોઈ છે. દેશના કરોડો ગરીબ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા. મહિલાઓને ખુલ્લામાં શૌચ કરવું પડતું હતું."
  • પીએમ મોદીએ કહ્યું કે "સૌથી મોટી કમનસીબી એ છે કે સમસ્યાઓ સુધારવા માટે ચર્ચા પણ ન થઈ. ભત્રીજાવાદના લોકોએ લોકોના સપનાઓને મારી નાખ્યા હતા. દેશની પાંચ પેઢી બરબાદ થઈ ગઈ".
  • PM મોદીએ કહ્યું કે "જે દેશોને આપણી સાથે આઝાદી મળી, તે આપણાથી નાના હતા, તેઓ આજે જ્યાં છે ત્યાં કેવી રીતે પહોંચ્યા. આપણી પાસે યુવા વસ્તી હતી, કૌશલ્ય હતું પરંતુ આપણે પાછળ રહી ગયા. પણ આજે ભારત આગળ વધી રહ્યું છે અને દુનિયા જોઈ રહી છે."
  • PM મોદીએ કહ્યું કે" વિકસિત ભારત માટે વિકસિત બંગાળ જરૂરી છે. આ માટે બંગાળમાં બીજેપીના વધુને વધુ સાંસદોની જરૂર છે."
  • પીએમ મોદીએ કહ્યું કે "ટીએમસીના લોકોને તમારી ચિંતા નથી પરંતુ તેમના વજનદારો અને કટ મની સિસ્ટમની ચિંતા છે. તેઓ દરેક વસ્તુમાં પૈસા કાપવા માંગે છે. ગરીબોના રાશન, મિડ-ડે મીલ અને પીએમ આવાસમાં પણ કટ મની જોઈએ છે."
  • પીએમ મોદીએ કહ્યું કે "ટીએમસી બંગાળના લોકોથી એટલો નારાજ છે કે તે બંગાળની ઓળખને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેના ગુંડાઓ મઠો અને આશ્રમો પર પણ હુમલો કરી રહ્યા છે."
  • પીએમ મોદીએ કહ્યું કે "ટીએમસી તુષ્ટિકરણ માટે બંધારણ પર પણ હુમલો કરી રહી છે. મુસ્લિમોના નકલી OBC પ્રમાણપત્રો બનાવવામાં આવી રહ્યા છે. ઓબીસીના અધિકારો છીનવીને મુસ્લિમોને આપવામાં આવી રહ્યા છે."
  • પીએમ મોદીએ કહ્યું કે "આજે બંગાળના યુવાનો પાસે ઉપલબ્ધ તકો ઘૂસણખોરો છીનવી રહ્યાં છે. તે લોકો લોકોની જમીન અને સંપત્તિ પર કબજો જમાવી રહ્યા છે જેના કારણે આખો દેશ ચિંતિત છે. બંગાળના સરહદી વિસ્તારોમાં ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે."
  • પીએમએ કહ્યું કે "જનતાનો એક વોટ દેશની રાજનીતિની દિશા નક્કી કરશે. પીએમએ કહ્યું કે 4 જૂન પછી આગામી 6 મહિનામાં દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થવાની છે. કુટુંબ આધારિત પક્ષો આપોઆપ વિઘટિત થઈ જશે." 

આ પણ વાંચો- Rahul Gandhi-વિદેશી વાતાવરણમાં ઉછરેલ નબીરો 

Advertisement

Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

featured-img
રાષ્ટ્રીય

Bihar : 1 લીટર દૂધના કારણે 2 લોકોએ ગુમાવ્યા જીવ, બદલાની આ કહાની વાંચી તમે પણ ચોંકી જશો

featured-img
રાષ્ટ્રીય

Karnataka માં ડબલ મર્ડર, બાઇક સવાર બે લોકોને ઘેરીને માર્યા, આરોપીઓની શોધખોળ ચાલુ

featured-img
રાષ્ટ્રીય

Jharkhand: ગિરિડીહના એક ઘરમાં મળ્યા એક સાથે 4 મૃતદેહ

featured-img
રાષ્ટ્રીય

Delhi ના જંતર-મંતર પર મુસ્લિમો કરશે હલ્લાબોલ, વકફ સુધારા બિલને લઈને વિરોધ પ્રદર્શન

×

Live Tv

Trending News

.

×