Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra ના ગઢચિરોલીમાં મોટું એન્કાઉન્ટર, 12 નક્સલીઓ ઠાર...

મહારાષ્ટ્ર (Maharashtra)ના ગઢચિરોલીમાં બુધવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું હતું. બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. ગોળીબારમાં 12 નક્સલીઓના મોત થયા છે. આ સાથે પોલીસે મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. પોલીસે 7 ઓટોમેટિક રાઈફલ્સ સાથે ત્રણ...
maharashtra ના ગઢચિરોલીમાં મોટું એન્કાઉન્ટર  12 નક્સલીઓ ઠાર

મહારાષ્ટ્ર (Maharashtra)ના ગઢચિરોલીમાં બુધવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું હતું. બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. ગોળીબારમાં 12 નક્સલીઓના મોત થયા છે. આ સાથે પોલીસે મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. પોલીસે 7 ઓટોમેટિક રાઈફલ્સ સાથે ત્રણ AK47 પણ જપ્ત કરી છે.

Advertisement

ગુપ્ત માહિત પર કાર્યવાહી...

માહિતી અનુસાર, ગઢચિરોલીથી આજે સવારે લગભગ 10 વાગ્યે એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી એસપી ઓપ્સની આગેવાની હેઠળ 7 C60 ટીમોને છત્તીસગઢ બોર્ડર પાસેના વંડોલી ગામમાં મોકલવામાં આવી હતી, કારણ કે ગામની નજીક 12-15 નક્સલવાદીઓ કેમ્પ કરી રહ્યા હતા.

Advertisement

એન્કાઉન્ટરમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા...

ત્યારબાદ બપોરે ભારે ગોળીબાર શરૂ થયો અને મોડી સાંજ સુધી છ કલાકથી વધુ સમય સુધી સતત ચાલુ રહ્યો. વિસ્તારમાં સર્ચ દરમિયાન અત્યાર સુધીમાં 12 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ સિવાય અત્યાર સુધીમાં 3 AK47, 2 INSAS, 1 કાર્બાઇન, 1 SLR સહિત 7 ઓટોમોટિવ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.

Advertisement

એક જવાન ઘાયલ...

માર્યા ગયેલા નક્સલવાદીઓમાંથી એકની ઓળખ ટીપાગઢ દલમના પ્રભારી ડીવીCM લક્ષ્મણ આત્રામ ઉર્ફે વિશાલ આત્રામ તરીકે થઈ છે. નક્સલવાદીઓની વધુ ઓળખ અને વિસ્તારની શોધખોળ ચાલુ છે. અહીં C60 ના એક PSI અને એક જવાનને ગોળી વાગી છે. તે ખતરાની બહાર છે, તેને સારવાર માટે નાગપુર મોકલવામાં આવ્યો છે.

કમાન્ડોને ઈનામ મળશે...

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં C60 કમાન્ડોએ ઘણા મોટા ઓપરેશન કર્યા છે. આ સૌથી મોટા ઓપરેશન માટે ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર (Maharashtra) સરકાર વતી C60 કમાન્ડો ટીમને 51 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : Maharashtra સરકારનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને દર મહિને 6 થી 10 હજાર મળશે…

આ પણ વાંચો : Hathras Case માં સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાનું વિવાદાસ્પદ નિવેદન, ‘થવાનું છે તે કોણ રોકી શકે?’

આ પણ વાંચો : Congress ના મંત્રી રામલિંગા રેડ્ડીનું મોટું નિવેદન, કહ્યું- Karnataka માં રહેવું છે તો કન્નડ શીખવું પડશે…

Tags :
Advertisement

.