Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar : છઠ પૂજાથી પરત ફરી રહેલા 6 લોકોની ગોળી મારી હત્યા, કારણ જાણી તમે પણ ચોંકી જશો...

બિહારના લખીસરાઈમાં છઠ ઘાટથી પરત ફરી રહેલા પરિવારના સભ્યો પર અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. કબૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના પંજાબી વિસ્તારમાં નિર્ભય બદમાશો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક જ પરિવારના 6 લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ...
bihar   છઠ પૂજાથી પરત ફરી રહેલા 6 લોકોની ગોળી મારી હત્યા  કારણ જાણી તમે પણ ચોંકી જશો

બિહારના લખીસરાઈમાં છઠ ઘાટથી પરત ફરી રહેલા પરિવારના સભ્યો પર અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. કબૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના પંજાબી વિસ્તારમાં નિર્ભય બદમાશો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક જ પરિવારના 6 લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે. જેમાં બે સગા ભાઈઓના મોત થયા છે અને 4 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Advertisement

ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલા પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તબીબોએ બે યુવકો કે જેઓ સગા ભાઈ હતા તેમને મૃત જાહેર કર્યા હતા. બંને ભાઈઓની પત્ની, પિતા અને બહેન ઘાયલ થયા છે. કબૈયા પોલીસ સ્ટેશન હુમલાખોરને શોધવામાં વ્યસ્ત છે.

લખીસરાયના એસપી પંકજ કુમારે જણાવ્યું કે એક જ પરિવારના 6 લોકો છઠ ઘાટથી પરત ફરી રહ્યા હતા. તેના ઘર પાસે ગોળી મારી હતી. તેને ગોળી મારનાર આરોપી તેનો પાડોશી છે, જેનું નામ આશિષ ચૌધરી છે. હુમલાખોરનો આ પરિવાર સાથે 10 દિવસ પહેલા વિવાદ થયો હતો. લખીસરાયના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર મામલો એકતરફી પ્રેમનો છે.

Advertisement

તેણે જણાવ્યું કે આશિષ ચૌધરી નામનો યુવક તેના ઘરની સામે રહેતી યુવતીને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ યુવતીના પરિવારજનો તેનો વિરોધ કરી રહ્યા હતા. આનાથી ગુસ્સામાં આવીને યુવકે યુવતીના પરિવાર પર ગોળીબાર કર્યો હતો.

આ પણ વાંચો : UTTARKASHI TUNNEL ACCIDENT : ઉત્તરકાશીમાં પર્વતની ટોચ પરથી ડ્રિલિંગ ચાલુ, 41 મજૂરોને બચાવવા માટે ‘મહા મિશન’

Advertisement

Tags :
Advertisement

.