Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરી લઇને દલિત સંગઠનના પ્રમુખ સાથે વાતચીત

મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે...
રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરી લઇને દલિત સંગઠનના પ્રમુખ સાથે વાતચીત
મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીનું નિવેદન
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રેમલગ્નમાં (Love Marriage) માતા-પિતાની સહમતિ માટેનો નિયમ બનાવવાની સરકાર વિચારણા કરી રહી હોવાના તેમજ બંધારણની મર્યાદામાં રહીને આવી વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરીશું. તેમ જણાવ્યું હતું.
આ પછી પ્રેમલગ્નમાં (Love Marriage) વાલીની મંજુરી અનિવાર્ય કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણી સાથે આ મુદ્દે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. આ મુદ્દે બનાસકાંઠા દલિત સંગઠનના પ્રમુખ દલપતભાઇ ભાટીયા સાથે વાત કરી હતી.
પ્રશ્ન-- પ્રેમલગ્ન કેમ અટકવા જોઇએ અને પ્રેમ લગ્નથી ભવિષ્યમાં શું શું તકલીફ પડી શકે
પ્રેમલગ્ન એટલે અટકવા જોઇએ કે જે મા બાપે પોતાના બાળકોને મોટા કર્યા હોય, ઉછેર્યા હોય તે બાળકો જ્યારે ભાગીને લગ્ન કરતા હોય ત્યારે મા બાપ દુખી થતાં હોય છે અને તેમની સામાજીક ઇજ્જત હોય તે ઇજ્જતના કારણે એવા નિર્ણય લેતા હોય છે કે ઘણાં મા બાપ સ્યુસાઇડ સુધીના નિર્ણય લેતા હોય છે. મા બાપને પણ બાળકોના ભવિષ્ય ચિંતા હોય છે. સામેનું પાત્ર કેવું છે, કેટલું યોગ્ય છે તે બાળકના ભવિષ્ય માટે મા બાપની મંજૂરી જરુરી છે.
પ્રશ્ન-- ખાસ કરીને લગ્ન માટે માતા પિતાની મંજૂરી કેમ ફરજિયાત હોવી જોઇએ , સામાજિક સમરસ્તા વધે તે માટે કેવા પ્રયાસ કરવા જોઇએ અને તમારા મતે સારા સમાજના નિયમો શું હોવા જોઇએ
જે રીતે અન્ય સમાજના બાળકો કે મુસ્લિમ સમાજના બાળકો ભાગી જતા હોય છે અને તેમા મા બાપોની સંમતિ હોય તો અટકી શકાય. બાળકોને સમજવા જોઇએ અને બાળક આંતરજ્ઞાતિય લગ્ન કરવા તૈયાર છે અને પાત્ર સારું હોય, સમાજ સારો હોય, સામેનું કુટુંબ સારું હોય તો લગ્ન કરાવવા જોઇએ. આંતરજ્ઞાતિય લગ્ન થશે તો સામાજિક સમરસતા બનશે અને અન્ય સમાજ સાથે બેસવાનું પણ થશે.
સારા સમાજ માટે નિયમો હોવો જોઇએ કે ખોટા ખર્ચા બંધ થવા જોઇએ. વ્યસન બંધ થવા જોઇએ અને એક સમાજ તરીકે અમુક સામાજિક નિર્ણય લઇને મરણ પાછળના રિવાજો અને લગ્ન પાછળના ખોટા ખર્ચા બંધ થવા જોઇએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.