Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના ભૂપેન્દ્ર પટેલની સરકાર મક્કમતાથી અગ્રેસર

Gujarat: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં લાંચ અંગેની ફરીયાદ આપવામાં આવે ત્યારબાદ ફરિયાદીને જે તે વિભાગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની ઘણી રજૂઆતો બ્યુરો તથા સરકાર કક્ષાએ થતી હતી. આ સ્થિતિને નિવારવા અને ફરીયાદીને યોગ્ય અને પૂરતુ રક્ષણ મળી રહે...
gujarat  ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના ભૂપેન્દ્ર પટેલની સરકાર મક્કમતાથી અગ્રેસર
Advertisement

Gujarat: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં લાંચ અંગેની ફરીયાદ આપવામાં આવે ત્યારબાદ ફરિયાદીને જે તે વિભાગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની ઘણી રજૂઆતો બ્યુરો તથા સરકાર કક્ષાએ થતી હતી. આ સ્થિતિને નિવારવા અને ફરીયાદીને યોગ્ય અને પૂરતુ રક્ષણ મળી રહે તે સારુ સરકારશ્રી તરફથી મળેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન આધારે નિયામકશ્રી દ્વારા બ્યુરો ખાતે ‘CARE’ (Caring of Applicant & Responding Effectively) પ્રોગ્રામ 26 મી જાન્યુઆરી 2024 થી અમલમાં મૂકવામાં આવેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત બ્યુરોનાં દરેક અધિકારી/કર્મચારી એક માસમાં ઓછામાં ઓછા એક ફરીયાદીને રૂબરૂમાં તેઓના નિવાસસ્થાને કે કામકાજ સ્થળે જઈ સંપર્ક કરશે અને ફરીયાદી બન્યા પછી તેઓને કોઈ મુશ્કેલી કે કનડગત થતી હોય તો તે જાણી, તેના યોગ્ય અને સુખદ નિવારણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

યોગ્ય અને સુખદ નિવારણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી

‘CARE’ પ્રોગ્રામના અમલીકરણથી ભ્રષ્ટાચાર વિરુધ્ધની લડાઈમાં ફરીયાદ કર્યા બાદ જાગૃત નાગરિકને કનડગત ન થાય તેની તકેદારી એ.સી.બી. ગુજરાત તરફથી રાખવામાં આવી રહેલ છે. આ પ્રોગ્રામ થકી ભ્રષ્ટાચાર વિરુધ્ધની લડાઈમાં સહભાગી બનવા માંગતા તમામ નાગરિકોમાં પોતાનો આત્મવિશ્વાસ વધશે અને તે થકી બ્યુરો પ્રત્યેના વિશ્વાસમાં વધારો કરવાનો રહેલો છે. જો કોઈ સરકારી અધિકારી/કર્મચારી એ.સી.બી.નાં ફરીયાદી સાથે યોગ્ય વર્તન ન કરતા હોય તો તેઓનાં વિભાગ કક્ષાએ અવગત કરાતા સરકારશ્રી કક્ષાએથી યોગ્ય પગલા લેવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત કુલ-900 થી વધુ ફરીયાદીઓનો સંપર્ક કરવામાં આવેલ છે. આ કારણથી ફરીયાદીઓ તથા નાગરિકોમાં બ્યુરો પ્રત્યેનો વિશ્વાસ વધવા પામેલ છે જેના કારણે નાગરિકો તરફથી ભ્રષ્ટાચાર વિરુધ્ધ મળતી ફરીયાદોમાં પણ વધારો થયેલ છે. વધુમાં, CARE પ્રોગ્રામમાં ડિઝિટલાઈઝેશન સ્વરૂપે માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે, જેથી સંગ્રહિત માહિતીનો ઝડપી અને સુચારુરૂપથી ઉપયોગ થઈ શકે.

Advertisement

દર માસે એક ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવે

આરોપીઓને સજા થાય તથા કન્વીકશન રેટ સુધરે તે હેતુથી એકમ દીઠ મદદનીશ નિયામકશ્રીના અધ્યક્ષતામાં ‘Conviction Rate Improvement Committee’ ની રચના કરવામાં આવી છે, જે આ વિષયો હાથ ધરી રહેલ છે. એ.સી.બી. ના કેસ નોંધાયા બાદ અદાલતમાં ચાલવા પર આવે ત્યારે આરોપીને સજા થાય અને કન્વીક્શન રેટ ઉંચો આવે તે માટે સરકારશ્રી તરફથી મળેલ માર્ગદર્શન આધારે દરેક જિલ્લા/પોલીસ સ્ટેશન કક્ષાએ દર માસે એક ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવે છે. જેમા ગુનાના રેડીંગ પાર્ટીના અધિકારી, તપાસ અધિકારી, સરકારી વકીલશ્રી અને સંબંધિત એકમના મદદનીશ નિયામકશ્રી તથા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી સાથે મળી ચાલુ માસમાં અદાલતમાં ચાલી રહેલ કેસોના પુરાવાકીય અને કાયદાકીય પાસાઓ અંગે ચર્ચા કરી અદાલતમાં સરકારપક્ષે સચોટ રજૂઆત થાય તે માટે સઘન આયોજન કરે છે. આમ, કન્વીક્શન રેટ વધારવા પર વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પ્રથમ ત્રિમાસીકમાં કન્વીક્શન રેટ 46% નો રહેલ છે. મોરબી સેશન્સ અદાલત ખાતે એક જ દિવસે એ.સી.બી.ના જુદા જુદા ત્રણ કેસોમાં આરોપીઓને દોષિત ઠેરવી જેલની સજા અને રોકડ દંડ કરવામાં આવેલ છે. આ ઉપરાંત, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા તમામ પ્રકારના કેસોનું એડીશનલ ડાયરેકટરશ્રીની અધ્યક્ષતામાં રચવામાં આવેલ Core Committee દ્વારા સઘન મોનીટરીગ કરવામાં આવે છે.

Advertisement

બ્યુરોમાં વિષય નિષ્ણાંત અને અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ

લાંચ કેસ તેમજ અપ્રમાણસર મિલકતનાં કેસોમાં ઠોસ તપાસ થાય તેમજ વધુને વધુ સારી રીતે પુરાવાઓ એકત્રીત કરી શકાય તે માટે સરકારશ્રી તરફથી જુદા જુદા વિષયના નિષ્ણાતોની સેવાઓ પુરી પાડવામા આવી રહેલ છે. આ માટે લીગલ, ફોરેન્સીક, ટેકનીકલ, રેવન્યુ અને ફાયનાન્સીયલ એડવાઈઝરની નિમણૂંક કરવામા આવેલ છે. બ્યુરોને વધુ આધુનિક બનાવવા માટે અને વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય તે સારુ સરકારશ્રી તરફથી બ્યુરોની માંગણી મુજબનો તમામ ટેકનીકલ સપોર્ટ પુરો પાડવામાં આવેલ છે. જેના ભાગરૂપે ચાલુ નાણાકીય વર્ષમાં સ્પાય કેમેરા, વોઈસ રેકોર્ડર તેમજ ગુપ્તતા જળવાય રહે તે મુજબના અન્ય અધ્યતન સાધનો પુરા પાડવામાં આવેલ છે. આ ઉપરાંત લોજિસ્ટીક સપોર્ટ માટે કોમ્પ્યુટર તેમજ રેઈડ કાર્યવાહી માટે રેડીંગ પાર્ટીની ઓળખ ન થઈ શકે તે પ્રકારનાં વાહનો પુરા પાડવામાં આવેલ છે.

રાજ્યસ્તરે નિરંતર જાગરુકતા અભિયાન ચલાવવામાં આવી

લાંચ વિરોધી મહાઅભિયાનમાં વધુમાં વધુ પ્રજાજનોને જોડવા માટે રાજ્યસ્તરે નિરંતર જાગરુકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં એ.સી.બી. ટોલ ફ્રી નંબર – ૧૦૬૪ તથા વોટસ અપ નંબર – 9099911055 ની જાહેરાત કરવામાં આવી રહી છે. ગ્રામીણ ક્ષેત્રે પંચાયત, સહકારી દૂધ ડેરી તેમજ સહકારી ખેતી મંડળીઓમાં ટોલ ફ્રી નંબરના પોસ્ટર-સ્ટીકર લગાવવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાતમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડાની મુલાકાત લેતા પ્રજાજનોને એ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓ સ્ટોલ લગાવી જાગરુકતા ફેલાવા તેમજ વિશ્વાસ સંપાદિત કરવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ઉપરાંત સોશીયલ મિડીયા પ્લેટફોર્મમાં ટવીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વિગેરેના માધ્યમથી બ્યુરોનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.

ગુજરાત સરકારની અત્યંત પ્રસંશનીય કામગીરી

ચાલુ વર્ષે બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં પ્રો-એક્ટીવ કામગીરી હાથ ધરી જે સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની હકીકત પ્રાપ્ત થાય તેવી કચેરીમાં ડિકોયનું આયોજન કરી કુલ- 13 જેટલા સફળ કેસો કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે હાલ સુધીમાં કુલ-104 લાંચ અંગેના કેસો કરવામાં આવેલ છે. તાજેતરમાં ભ્રષ્ટાચાર થકી અપ્રમાણસર મિલકત વસાવેલ હોય તેવા સરકારી અધિકારી/કર્મચારી શોધી કાઢી, હાલ સુધીમાં કુલ- 10 કેસો દાખલ કરી કુલ- રૂ.25,04,70,278/- ની અપ્રમાણસર મિલકત શોધી કાઢવામાં આવેલ છે. આમ, સરકારશ્રીનાં માર્ગદર્શન અને પૂરતા સહકારથી બ્યુરો દ્વારા હાલમાં ભ્રષ્ટાચારીઓ વિરુધ્ધ મહાઅભિયાન હાથ ધરવામાં આવેલ છે.

આ પણ વાંચો: Rajkot: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, આર્કિટેક નીરવ વરૂ ઓફિસ છોડી ફરાર

આ પણ વાંચો: Surat: એક જ રાતમાં સળગી બે કંપનીઓ, લાખોનો સામાન બળીને ખાખ

આ પણ વાંચો: Rajkot: અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર, ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની અટકાયત

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુન: બહાલ કરાઈ

featured-img
સ્પોર્ટ્સ

ENG vs IND : ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું, ડકેટની શાનદાર સદી

featured-img
ગુજરાત

Sabarkantha : હિંમતનગરની નગરપાલિકાનાં પદાધિકારીઓમાં કુસંપ!

featured-img
રાષ્ટ્રીય

Amit Shah: 'કટોકટી'ની ઘટનાની યાદ ઝાંખી પડવી એ દેશ માટે ખતરો'

featured-img
Top News

Daman : કેવળી ફળિયામાં મોટા ગટરનાળા પાસે રમતી 2 બાળકી તણાઈ, એકનું મોત

featured-img
ક્રાઈમ

Rajkumar Jat Case : રાજકુમાર જાટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો હુકમ

Trending News

.

×