લગ્નની લાલચ આપી પરણિત યુવતી સાથે દુષ્કર્મ કરી 15 લાખની છેતરપિંડી
અહેવાલ- યશ ઉપાધ્યાય, સાબરકાંઠા હિંમતનગરના બ્રહ્માણીનગર વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે પરબડાના રહીશે છેલ્લા એક વર્ષથી વિશ્વાસ કેળવી લગ્નની લાલચ આપીને શારિરીક સબંધ બાંધી મકાન લેવા માટે રૂ.૧૫ લાખ લઈ પોતાને નામે મકાન ખરીદી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ સોમવારે...
Advertisement
અહેવાલ- યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
હિંમતનગરના બ્રહ્માણીનગર વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે પરબડાના રહીશે છેલ્લા એક વર્ષથી વિશ્વાસ કેળવી લગ્નની લાલચ આપીને શારિરીક સબંધ બાંધી મકાન લેવા માટે રૂ.૧૫ લાખ લઈ પોતાને નામે મકાન ખરીદી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ સોમવારે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
પોતાની પત્નિ હયાત ન હોવાનું કહ્યું
આ અંગે હિમતનગર શહેરમાં રહેતી એક મહિલા દ્વારા નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેણીને છેલ્લા એક વર્ષથી પરબડામાં રહેતા સાહીદભાઈ વલીભાઈ દાંતરોલીયાએ પોતાની પત્નિ હયાત ન હોવાનું તથા મૃત્યુ પામી હોવાનું કહ્યું હતુ. પોતે એકલો રહે છે તેમ કહી આ મહિલાને લગ્ન કરવાની વાત કરી હતી. અને પોતે ઈન્દ્રનગર તથા રાજેશ્વરી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હોવાનું જણાવી લગ્ન કરવાની લાલચ આપી મહિલાને ફોસલાવી પટાવી શારિરીક સબંધ બાંધ્યો હતો.
મહિલા પાસેથી 15 લાખ લઈને મકાન પોતાને નામે ખરીદી લીધુ
ત્યારબાદ સાહીદભાઈ દાંતરોલીયાએ મકાન ખરીદવા માટે મહિલા પાસેથી રૂ.૧૫ લાખ લઈને મકાન પોતાને નામે ખરીદી લીધુ હતુ. સમગ્ર હકિકતથી વાકેફ થયેલા મહિલાએ સાહીદભાઈ દાંતરોલીયાને મકાન પરત આપવાનું કહેતા ૧૫ દિવસ અગાઉ સાહીદભાઈ દાંતરોલીયાએ મહિલાના ઘરે જઈને ઝઘડો કરી ફરીથી બળજબરી કરી શારિરીક સબંધ બાંધ્યો હોવાના આક્ષેપ સાથે સોમવારે મહિલા એ સહીદભાઈ દાંતરોલીયા વિરૂધ્ધ હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.