ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Pran Pratishtha પહેલા મૂર્તિની આંખો પર કેમ બાંધવામાં આવે છે કપડું?

Ayodhya Pran Pratishtha: અયોધ્યામાં બનેલા ભવ્યાતિભવ્ય રામ મંદિર ગર્ભ ગૃહમાં બનેલા આસર પર પ્રભુ શ્રીરામ લલ્લાએ આસન લઈ લીધું છે. અત્યારે પ્રભુની મૂર્તિની આંખોની ઢાંકી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, 22 જાન્યુઆરી એટલે કે આજે પીએમ મોદી જ્યારે...
08:50 AM Jan 22, 2024 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Pratishtha

Ayodhya Pran Pratishtha: અયોધ્યામાં બનેલા ભવ્યાતિભવ્ય રામ મંદિર ગર્ભ ગૃહમાં બનેલા આસર પર પ્રભુ શ્રીરામ લલ્લાએ આસન લઈ લીધું છે. અત્યારે પ્રભુની મૂર્તિની આંખોની ઢાંકી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, 22 જાન્યુઆરી એટલે કે આજે પીએમ મોદી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી લેશે ત્યારે પ્રભુના ચહેરા પરથી પડદો હટવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાનની મૂર્તિના ચહેરા પર પરદો રાખવાની પરંપરા ખુબ જ પ્રાચીન માનવામાં આવે છે.

આના માટે કેટલાય ધાર્મિક કારણો છે

આમ, જોવા જઈએ તો મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાના અનેક અનુષ્ઠાન હોય છે. ભગવાનની પ્રતિમાની સ્થાપની બાદ તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. જ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા સંપૂર્ણ ના થાય ત્યા સુધી મૂર્તિ પર પડદો રાખવામાં આવે છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો તેના કેટલાય ધાર્મિક કારણો હોય છે. આંખો ભાવનાઓની સંરચના માટે જાણીતી હોય છે. એવું માનવામાં આવે છે કે જો ભક્તિથી ભરેલા ભક્ત પોતાના જીવનને પવિત્ર કરતા પહેલા લાંબા સમય સુધી ભગવાનની આંખોમાં જુએ છે, તો ભગવાન પ્રેમમાં મોહિત થઈ જાય તેમની સાથે ચાલ્યો જાય છે.

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આંખો કેમ ઢાંકી દેવાય છે?

આથી, દરેક જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠા પહેરા ભગવાનની મૂર્તિને કપડાથી ઢાંકી દેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે જોવા જઈએ તો એક કારણ આવું પણ સામે આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે શક્તિ સ્વરૂપે પ્રકાશ ભગવાનની મૂર્તિમાં પ્રવેશ કરે છે. આ શક્તિ આંખોથી બહાર નીકળી જતી હોય છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા પછી ભગવાનની આંખો ખુલે છે, ત્યારે તેમની આંખોમાંથી અપાર શક્તિનો પ્રકાશ નીકળે છે. એટલા માટે જ તેમને પહેલા દર્પણ દેખાડવામાં આવે છે.

આ પણ વાંચો: Ayodhya Pran Pratishtha: આતુરતાનો અંત, 10 લાખ દીવાઓથી ઝગમગી ઉઠશે અયોધ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ahmedabad to ayodhya flightayodhya ka ram mandirayodhya mandir pran pratishthaAyodhya Mandir Pran Pratishtha programmeayodhya newsayodhya pran pratishthaayodhya ram mandir pran pratishthamodi pran pratishthanational newsram mandirram mandir ayodhya