Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World No Tobacco Day કેમ મનાવવામાં આવે છે? જાણો શું છે ઈતિહાસ

વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) દર વર્ષે 31 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી એટલે કરવામાં આવે છે જેથી લોકોને તમાકુ અથવા તેના ઉત્પાદનોનો ઉપયોગ રોકવા અથવા ઘટાડવા માટે જાગૃત કરવામાં...
world no tobacco day કેમ મનાવવામાં આવે છે  જાણો શું છે ઈતિહાસ
Advertisement

વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) દર વર્ષે 31 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી એટલે કરવામાં આવે છે જેથી લોકોને તમાકુ અથવા તેના ઉત્પાદનોનો ઉપયોગ રોકવા અથવા ઘટાડવા માટે જાગૃત કરવામાં આવે. વાર્ષિક ઝુંબેશ એ તમાકુના ઉપયોગ અને સેકન્ડ હેન્ડ સ્મોક એક્સપોઝરની હાનિકારક અને ઘાતક અસરો વિશે જાગૃતિ લાવવા અને કોઈપણ સ્વરૂપમાં તમાકુના ઉપયોગને નિરુત્સાહિત કરવાની એક તક છે.

આજે વિશ્વભરમાં World No Tobacco Day મનાવવામાં આવે છે

Advertisement

સમગ્ર વિશ્વમાં 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ તમાકુનું સેવન ન કરવાનો અને લોકોને તેમના સ્વાસ્થ્ય પર થતી જોખમી અસરો વિશે જાગૃત કરવાનો છે. તમાકુના સેવનથી દર વર્ષે 7 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામે છે. તમાકુના સેવનથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણા નુકસાન થઈ શકે છે. તમાકુના પેકેટ પર પણ તેની હાનિકારક અસર તસવીર દ્વારા બતાવવામાં આવી છે, પરંતુ લોકો તેને ખાવાનું યોગ્ય માને છે, જેના કારણે તે લોકોને પાછળથી તેની હાનિકારક અસર ભોગવવી પડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના સભ્ય દેશોએ 1987માં વર્લ્ડ નો ટોબેકો ડે (World No Tobacco Day) બનાવ્યો હતો. છેલ્લા 21 વર્ષોમાં, વિશ્વભરની સરકારો, જાહેર આરોગ્ય સંસ્થાઓ, ધૂમ્રપાન કરનારાઓ અને ઉત્પાદકો તરફથી ઉત્સાહ અને પ્રતિકાર બંને જોવા મળ્યા છે. આ દિવસનો ઉદ્દેશ્ય લોકોમાં તમાકુનું સેવન ન કરવા અંગે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી લોકો પોતે તેનું સેવન કરવાથી બચી શકે અને સાથે જ અન્ય લોકોને પણ તમાકુનું સેવન કરતા અટકાવે.

Advertisement

વિશ્વ તમાકુ નિષેધ દિવસનો ઈતિહાસ

તે વર્ષ 1987 માં WHO ના સભ્ય દેશો દ્વારા તમાકુ અને તેની ખરાબ અસરો અને તેના કારણે થતા મૃત્યુ/રોગ તરફ વિશ્વનું ધ્યાન દોરવા માટે બનાવવામાં આવ્યું હતું. આ સાથે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે કોવિડ-19ને કારણે લાખો લોકોએ તમાકુનું સેવન કરતા લોકોએ તેને છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વિશ્વભરમાં લગભગ 60 ટકા તમાકુનો ઉપયોગ કરનારાઓ છોડવા માંગે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 1987માં WHA40.38 ઠરાવ પસાર કરીને 7 એપ્રિલને "World No Tobacco Day " તરીકે જાહેર કર્યો. અને આગામી ઠરાવ WHA4 2.19 1988 માં પસાર કરવામાં આવ્યો હતો, જેમાં 31 મેના રોજ "World No Tobacco Day " ની વાર્ષિક ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી અને 2008 માં WHO એ તમાકુનો પ્રચાર કરતી કોઈપણ પ્રકારની જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો. અને તમાકુનો પ્રચાર કરતી જાહેરાતો પર પ્રતિબંધના કારણે દેશમાં તમાકુનો ઉપયોગ ઓછો થયો છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

World No Tobacco Day થીમ 2023

જેમ તમે બધા જાણો છો કે દર વર્ષે આ દિવસની થીમ બદલવામાં આવે છે અને નવી થીમ દ્વારા તેના સેવનથી બચવાના સમાચાર તમારા સુધી પહોંચાડવામાં આવે છે, તેવી જ રીતે આ વર્ષે એટલે કે 2023માં આ દિવસની થીમ છે, “આપણે ખાવાની જરૂરિયાત છે, તમાકુની નથી."

તમાકુથી શું થાય છે નુકસાન?

જેમ કે તમે બધા જાણો છો કે તમાકુથી અનેક જીવલેણ બીમારીઓ થઈ શકે છે, આ બીમારીને કારણે તમે મૃત્યુ પામશો અને તેની સાથે તમારા પરિવારને પણ ઉજ્જડ કરી નાખશે. તમાકુના સેવનથી આવી ખતરનાક બીમારીઓ થઈ શકે છે જેનો તમને અંદાજ પણ નહીં હોય.

આ પણ વાંચો - રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું, ‘PM મોદી ભગવાનનને પણ સમજાવી શકે છે કે બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે…’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

PUNJAB : 4 લાખ ફોલોઅર્સ ધરાવતી ફીમેલ ઈન્ફ્લુએન્સરનો મૃતદેહ મળતા ચકચાર

featured-img
Top News

Accident : ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી

featured-img
વાયરલ & સોશિયલ

Madhya Pradesh: ભોપાલના નવા ઓવરબ્રિજમાં 90 ડિગ્રીનો વળાંક, લોકોએ સોશિયલ મીડિયા પર કહ્યું - 'મૃત્યુ ખૂણા પર આવશે!'

featured-img
રાષ્ટ્રીય

ફરી થયો રાજા રઘુવંશી જેવો કાંડ! લગ્નના 15 દિવસ બાદ પત્નીએ જ પતિનું કાસળ કાઢ્યું

featured-img
Top News

Raja Murder Case : રાજા રઘુવંશીના ચારેય હત્યારાઓ પોલીસ સ્ટેશનમાં જમીન પર બેઠા જોવા મળ્યા, એક પછી એક ખુલાસા થયા

featured-img
રાષ્ટ્રીય

ભારતના આ રાજ્યમાં હવે જાહેરમાં સિગારેટ પીશો તો ભરવો પડશે દંડ!

×

Live Tv

Trending News

.

×