Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોણ છે હરિયાણાનો રામપાલ કશ્યપ? જેમને PM મોદીએ પોતાના હાથે પહેરાવ્યા બુટ?

PM Modi meet Rampal Kashyap: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi )સોમવારે બંધારણના ઘડવૈયા ડો. ભીમ રાવ આંબેડકરની જન્મજયંતિ પર હરિયાણાના હિસારમાં રાજ્યના પ્રથમ એરપોર્ટ એટલે કે મહારાજા અગ્રસેન એરપોર્ટથી અયોધ્યા માટેની પ્રથમ વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી બતાવી આપી હતી....
કોણ છે હરિયાણાનો રામપાલ કશ્યપ  જેમને pm મોદીએ પોતાના હાથે પહેરાવ્યા બુટ
Advertisement

PM Modi meet Rampal Kashyap: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi )સોમવારે બંધારણના ઘડવૈયા ડો. ભીમ રાવ આંબેડકરની જન્મજયંતિ પર હરિયાણાના હિસારમાં રાજ્યના પ્રથમ એરપોર્ટ એટલે કે મહારાજા અગ્રસેન એરપોર્ટથી અયોધ્યા માટેની પ્રથમ વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી બતાવી આપી હતી. આ પછી તેમણે એ જ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે PMએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે હરિયાણાથી અયોધ્યા ધામ માટે ફ્લાઈટ્સ શરૂ થઈ ગઈ છે. હવે શ્રી કૃષ્ણજીની પવિત્ર ભૂમિ હરિયાણાને શ્રી રામજીની ભૂમિ સાથે સીધી જોડી દેવામાં આવી છે.

રામપાલ કશ્યપ નામના એક વ્યક્તિને જૂતા પહેરાવીને સન્માનિત કર્યા.

આ જાહેરસભામાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણને નષ્ટ કરનારી પાર્ટી બની ગઈ છે. તેમણે કહ્યું કે, સત્તા રહ્યા દરમિયાન કોંગ્રેસે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC)ને "દ્વિતીય વર્ગના નાગરિકો" બનાવી દીધા હતા. આ પછી વડાપ્રધાન યમુના નગર પહોંચ્યા, જ્યાં તેમણે રામપાલ કશ્યપ નામના એક વ્યક્તિને જૂતા પહેરાવીને સન્માનિત કર્યા.

Advertisement

કોણ છે રામપાલ કશ્યપ?

રામપાલ કશ્યપ હરિયાણાના કૈથલ જિલ્લાનો (PM Modi meetRampal Kashyap)રહેવાસી છે. તેમણે 14 વર્ષ પહેલા પ્રતિજ્ઞા લીધી હતી કે, જ્યાં સુધી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન નહીં બને અને જ્યાં સુધી તેઓ પોતે PM મોદીને નહીં મળે ત્યાં સુધી તેઓ બુટ નહીં પહેરે. આજે વડાપ્રધાન મોદી તેમને મળ્યા હતા અને પોતાના હાથે બુટ પહેરાવ્યા હતા.

Advertisement

આ પણ  વાંચો -Bengal Violence :દક્ષિણ 24 પરગણામાં ISF કાર્યકરોની પોલીસ સાથે અથડામણ, અનેક વાહનોમાં તોડફોડ અને આગચંપી

PM મોદીએ વીડિયો ટ્વીટ કર્યો

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, "યમુનાનગરમાં આજની જાહેરસભામાં કૈથલના શ્રી રામપાલ કશ્યપ જીની સાથે મારી મુલાકાત થઈ. તેમણે 14 વર્ષ પહેલા શપથ લીધા હતા કે, હું PM બનીશ અને તેમને મળીશ પછી જ તેઓ જૂતા પહેરશે. હું રામપાલજી જેવા લોકોને પ્રતિ નતમસ્તક છું અને તેમના સ્નેહને પણ સ્વીકારું છું, પરંતુ હું આવા તમામ લોકોને વિનંતી કરવા માંગુ છું જેઓ આવી શપથ લે છે - હું તમારા પ્રેમની કદ્ર કરું છું... કૃપા કરીને કંઈક એવા કામ પર ધ્યાન આપો જે સામાજિક કાર્ય અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલ હોય!"

આ પણ  વાંચો -Bihar Election પહેલા રાજકીય ઉથલપાથલ, NDA સાથે આ પાર્ટીએ ફાડ્યો છેડો

PM મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

ઝશ મોદીએ આરોપ લગાવ્યો કે, જ્યારે પણ કોંગ્રેસ સરકારને ખતરો આવ્યો, ત્યારે તેમણે બંધારણને 'કચડી નાખ્યું'. તેમણે તેમના દાવાની પુષ્ટિ માટે 1975-77ની ઈમરજન્સીનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે, "બંધારણની ભાવના સમાન નાગરિક સંહિતાની છે, જેને હું ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા કહું છું. પરંતુ કોંગ્રેસે તેનો ક્યારેય અમલ કર્યો નથી." વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, જો કોંગ્રેસ ખરેખર મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, તો તેણે મુસ્લિમને પોતાનો પ્રમુખ બનાવવો જોઈએ અને ચૂંટણીમાં સમુદાયના લોકોને 50 ટકા ટિકિટ આપવી જોઈએ. તેમણે વિપક્ષી પાર્ટી પર સરળતાની નીતિ અપનાવવાનો આરોપ પણ લગાવ્યો.

વડાપ્રધાને બાબાસાહેબ પર શું કહ્યું

વડાપ્રધાને એમ પણ કહ્યું કે, બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે ધર્મના આધારે આરક્ષણ ન હોવું જોઈએ અને બંધારણ પણ તેને પ્રતિબંધિત કરે છે, પરંતુ કર્ણાટકની કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના અધિકારો છીનવી ધર્મના આધારે નિવિદાઓમાં અનામત આપી દીધું.

અશિક્ષિત અને ગરીબ બન્યા

તેમણે આક્ષેપ લગાવ્યો કે, કોંગ્રેસ તુષ્ટિકરણની નીતિને અનુસરે છે, જેણે મુસ્લિમોમાંથી માત્ર થોડા "કટ્ટરપંથીઓ" જ "ખુશ" થયા, જ્યારે બાકીના સમુદાયો ઉપેક્ષિત, અશિક્ષિત અને ગરીબ બન્યા રહ્યા. મોદીએ કહ્યું કે, કોંગ્રેસની આ નીતિનો સૌથી મોટો પુરાવો 2014ની સામાન્ય ચૂંટણી પહેલા વકફ એક્ટમાં કરાયેલા સુધારા છે. મોદીએ કહ્યું કે, "આઝાદીથી લઈને 2013 સુધી વકફ કાયદો હતો. પરંતુ ચૂંટણી જીતવા માટે અને તુષ્ટિકરણ અને વોટ બેન્કની રાજનીતિ માટે કોંગ્રેસે 2013ના અંતમાં ઉતાવળમાં વકફ કાયદામાં સુધારો કર્યો જેથી તે (થોડા મહિનાઓ પછી 2014માં) ચૂંટણીમાં મત મેળવી શકે." મોદીએ કહ્યું કે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ બદલાવ "બાબાસાહેબનું સૌથી મોટું અપમાન" છે, કારણ કે તેમણે આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ સંવિધાનું ઉલ્લંઘન કર્યું.

Tags :
Advertisement

.

×