PM Mann Ki Baat: PM મોદીએ મન કી બાતના 108 માં કાર્યક્રમમાં શું કહ્યું ?
PM Mann Ki Baat: PM નરેન્દ્ર મોદીએ આજે Mann Ki Baat વિશે વાત કરી હતી. આજે PM એ Mann Ki Baat કાર્યક્રમનો 108 મો એપિસોડ યોજાયો હતો. મન કી બાત કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. પીએમ મોદીએ કહ્યું કે 108 મો એપિસોડ તેમના માટે ખૂબ જ ખાસ છે. ભારતની પ્રાચીન માન્યતાઓ અને પરંપરાઓ અનુસાર 108 નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોતાના સંબોધનની શરૂઆતમાં PM મોદીએ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
જો કે આ વર્ષના છેલ્લા એપિસોડમાં PM મોદીએ Millets ના ફાયદાઓની ગણતરી કરતી વખતે Fit India Mission વિશે વાત કરી હતી. PM મોદીએ એમ પણ કહ્યું કે, 'મિત્રો, આજે Physical Health અને well-being વિશે ખૂબ ચર્ચા થાય છે, પરંતુ તેની સાથે જોડાયેલ બીજું મહત્વનું પાસું છે Mental Health. હું તમને બધાને વિનંતી કરીશ કે ફિટ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે innovative Health care Startups વિશે મને જરૂરથી લખતા રહો.
PM મોદીએ કહ્યું, 'મિત્રો, ભારતના પ્રયાસોને કારણે 2023 ને International Year of Millets તરીકે ઉજવવામાં આવ્યું. આનાથી આ ક્ષેત્રમાં કામ કરતા Startups ને ઘણી તકો મળી છે. PM મોદીએ કહ્યું, ભારત ઈનોવેશનનું હબ બની રહ્યું છે. દરેક વ્યક્તિએ ફિટ ઈન્ડિયામાં જોડાવું જોઈએ. સ્ટાર્ટઅપના સ્થાપકે તેમના સંદેશમાં 'ગડા એક્સરસાઇઝ' પર ભાર મૂક્યો હતો.
અભિનેતા અક્ષય કુમારે કહ્યું કે ફિટ રહેવા માટે તે જીમ કરતાં કુદરતી કસરતો પર વધુ આધાર રાખે છે. જેમ કે સ્વિમિંગ, રનિંગ અને કન્ટ્રી એક્સરસાઇઝ વગેરે. તેણે યુવાનોને ફિલ્મ સ્ટાર્સની નકલ ન કરવા અને ફિટ રહેવાની પરંપરાગત પદ્ધતિઓને સાથે જોડાયેવા રહેવાની ભલામણ કરી છે.
આ પણ વાંચો: Forest Department: BJP સાંસદ પ્રતાપ સિમ્હાના ભાઈની થઈ ધરપકડ