Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Manipur માં ફ્રી મુવમેન્ટના પહેલા દિવસે જ હિંસા, એક યુવકનું મોત, 25 ઘાયલ

મણિપુરમાં શનિવારે રસ્તાઓ ખુલતાની સાથે જ ફરી રમખાણો ફાટી નીકળ્યા હતા. અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો હતો અને પથ્થરમારો કરીને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. સુરક્ષા દળોએ ટીયરગેસ છોડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો હતો.
manipur માં ફ્રી મુવમેન્ટના પહેલા દિવસે જ હિંસા  એક યુવકનું મોત  25 ઘાયલ
Advertisement
  • મણિપુરમાં ફરી રમખાણો ફાટી નીકળ્યા
  • કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
  • સુરક્ષા દળોએ લાઠીચાર્જ કરવો પડ્યો

Violence in Manipur : મણિપુરમાં ફ્રી ટ્રાફિક મુવમેન્ટને લઈને ફરી હિંસા ફાટી નીકળી છે. 22 મહિના બાદ ખુલ્લા રસ્તા પર અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. ઘણી જગ્યાએ ગોળીઓ અને શેલ છોડવામાં આવ્યા હતા. રસ્તાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને વાહનો પણ સળગાવવામાં આવ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. મણિપુર હિંસા પર કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

કુકી વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ

મણિપુરમાં શનિવારે કુકી વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં એક યુવકનું મોત થયું હતું અને 25 લોકો ઘાયલ થયા હતા. આના પર સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓની ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પ્રદર્શનકારીઓએ વાહનોને આગ ચાંપી દેતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ રાજ્ય પરિવહનની બસને રોકવાનો પ્રયાસ કર્યો અને રસ્તાઓ પર પથ્થરમારો કર્યો.

Advertisement

સુરક્ષાદળોએ લાઠીચાર્જ કરવો પડ્યો

અધિકારીઓએ જણાવ્યું હતું કે ટોળાએ સેનાપતિ જિલ્લા તરફ જઈ રહેલી એક પેસેન્જર બસ પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે સુરક્ષા દળોએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 8 માર્ચથી મણિપુરના તમામ રસ્તાઓ પર અવરજવર સુનિશ્ચિત કરવાના નિર્દેશો આપ્યા હતા. જો કોઈ ગડબડ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : મહિલાઓને એક હત્યા કરવાની છુટ આપવી જોઈએ... શરદ પવારની પાર્ટીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને કરી આ માંગ

કોંગ્રેસે રમખાણોનો વીડિયો શેર કર્યો

મણિપુર રમખાણો અંગે કોંગ્રેસે ટ્વિટર પર એક વીડિયો શેર કરીને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા. કોંગ્રેસે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ આજે મણિપુરમાં રસ્તાઓ ખોલવામાં આવ્યા હતા. રસ્તા ખુલતાની સાથે જ મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી. હિંસામાં એક યુવકના મોતના સમાચાર છે. સાથે જ મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. મોદી સરકારે લગભગ 2 વર્ષ માટે મણિપુરને પોતાના હાલ પર છોડી દીધું હતું.

મણિપુરના લોકોને શાંતિ જાળવવા કોંગ્રેસની અપીલ

કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે આખરે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવના દબાણ હેઠળ રાજ્યની ભાજપ સરકારને બરખાસ્ત કરવામાં આવી અને હવે અમિત શાહને મણિપુર તરફ જોવાની ફરજ પડી છે, પરંતુ સરકારે એટલો વિલંબ કર્યો છે કે સ્થિતિ હવે તેના નિયંત્રણમાં રહી નથી. અમારી અપીલ છે કે મણિપુરના લોકો શાંતિ જાળવે. રાજ્યએ હવે હિંસાના આ ખરાબ તબક્કામાંથી આગળ વધવું પડશે.

આ પણ વાંચો : 'ખોદા પહાડ નીકલા ચૂહા', મહિલા સમૃદ્ધિ યોજના પર આતિશીનો ભાજપ પર પ્રહાર

Tags :
Advertisement

Trending News

.

×