Manipur માં ફ્રી મુવમેન્ટના પહેલા દિવસે જ હિંસા, એક યુવકનું મોત, 25 ઘાયલ
- મણિપુરમાં ફરી રમખાણો ફાટી નીકળ્યા
- કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
- સુરક્ષા દળોએ લાઠીચાર્જ કરવો પડ્યો
Violence in Manipur : મણિપુરમાં ફ્રી ટ્રાફિક મુવમેન્ટને લઈને ફરી હિંસા ફાટી નીકળી છે. 22 મહિના બાદ ખુલ્લા રસ્તા પર અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. ઘણી જગ્યાએ ગોળીઓ અને શેલ છોડવામાં આવ્યા હતા. રસ્તાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને વાહનો પણ સળગાવવામાં આવ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. મણિપુર હિંસા પર કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
કુકી વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ
મણિપુરમાં શનિવારે કુકી વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં એક યુવકનું મોત થયું હતું અને 25 લોકો ઘાયલ થયા હતા. આના પર સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓની ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પ્રદર્શનકારીઓએ વાહનોને આગ ચાંપી દેતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ રાજ્ય પરિવહનની બસને રોકવાનો પ્રયાસ કર્યો અને રસ્તાઓ પર પથ્થરમારો કર્યો.
સુરક્ષાદળોએ લાઠીચાર્જ કરવો પડ્યો
અધિકારીઓએ જણાવ્યું હતું કે ટોળાએ સેનાપતિ જિલ્લા તરફ જઈ રહેલી એક પેસેન્જર બસ પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે સુરક્ષા દળોએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 8 માર્ચથી મણિપુરના તમામ રસ્તાઓ પર અવરજવર સુનિશ્ચિત કરવાના નિર્દેશો આપ્યા હતા. જો કોઈ ગડબડ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મહિલાઓને એક હત્યા કરવાની છુટ આપવી જોઈએ... શરદ પવારની પાર્ટીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને કરી આ માંગ
કોંગ્રેસે રમખાણોનો વીડિયો શેર કર્યો
મણિપુર રમખાણો અંગે કોંગ્રેસે ટ્વિટર પર એક વીડિયો શેર કરીને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા. કોંગ્રેસે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ આજે મણિપુરમાં રસ્તાઓ ખોલવામાં આવ્યા હતા. રસ્તા ખુલતાની સાથે જ મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી. હિંસામાં એક યુવકના મોતના સમાચાર છે. સાથે જ મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. મોદી સરકારે લગભગ 2 વર્ષ માટે મણિપુરને પોતાના હાલ પર છોડી દીધું હતું.
गृह मंत्री अमित शाह के आदेश के बाद आज मणिपुर में रास्ते खोले गए.
रास्ते खुलते ही मणिपुर में एक बार फिर हिंसा भड़क गई. हिंसा में 1 युवक के मारे जाने की खबर है. वहीं, बड़ी संख्या में लोग घायल हैं.
मोदी सरकार ने करीब 2 साल तक मणिपुर को अपने हाल पर छोड़ दिया था.
आखिरकार विपक्ष के… pic.twitter.com/XHiTTTw8sd
— Congress (@INCIndia) March 8, 2025
મણિપુરના લોકોને શાંતિ જાળવવા કોંગ્રેસની અપીલ
કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે આખરે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવના દબાણ હેઠળ રાજ્યની ભાજપ સરકારને બરખાસ્ત કરવામાં આવી અને હવે અમિત શાહને મણિપુર તરફ જોવાની ફરજ પડી છે, પરંતુ સરકારે એટલો વિલંબ કર્યો છે કે સ્થિતિ હવે તેના નિયંત્રણમાં રહી નથી. અમારી અપીલ છે કે મણિપુરના લોકો શાંતિ જાળવે. રાજ્યએ હવે હિંસાના આ ખરાબ તબક્કામાંથી આગળ વધવું પડશે.
આ પણ વાંચો : 'ખોદા પહાડ નીકલા ચૂહા', મહિલા સમૃદ્ધિ યોજના પર આતિશીનો ભાજપ પર પ્રહાર