46 વર્ષ પછી ખુલ્યું Sambhal નું મંદિર, કૂવામાંથી મળી દેવતાઓની મૂર્તિઓ
- Sambhal 46 વર્ષ બાદ મંદિરમાં ઉમટી ભીડ
- કુવામાંથી બહાર આવી દેવતાઓની મૂર્તિઓ
- 1978 બાદ પહેલીવાર ખુલ્યું સંભલનું મંદિર
સંભલ (Sambhal)ના ખગ્ગુ સરાયમાં 46 વર્ષ બાદ ખુલેલું મંદિર ફરી એકવાર સમાચારોમાં છે. મંદિર પરિસરના ખોદકામ દરમિયાન કુવામાંથી દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હતી. મૂર્તિઓ વિશે માહિતી મળતાં વહીવટીતંત્રના લોકો પહોંચ્યા. આ શિલ્પો કેટલા જૂના છે તે જાણવા પુરાતત્વ વિભાગે કાર્બન ડેટિંગ માટે પત્ર પણ લખ્યો છે. પોલીસે મંદિરની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. મંદિરની આસપાસ CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
ત્રણ મૂર્તિઓ મળી...
રિપોર્ટ અનુસાર મંદિરની પાસે એક જૂનો કૂવો છે. કુવાના ખોદકામ દરમિયાન ત્રણ દેવતાઓની મૂર્તિઓ મળી આવી હતી. પોલીસે ત્રણેય મૂર્તિઓને સુરક્ષિત રાખી છે.
#WATCH | Sambhal Additional Superintendent of Police (ASP) Shrish Chandra says, "These are broken idols that were found during the digging of well. There is an idol of Lord Ganesh. The other one seems to be of Lord Kartikeya, more details are being sought. There was debris and… https://t.co/88CWJrUQgf pic.twitter.com/hmaTK8oCzk
— ANI (@ANI) December 16, 2024
આ પણ વાંચો : Bihar સરકારે ઉઠાવ્યું મોટું પગલું, બાપુ સેન્ટર પર ફરીથી લેવાશે BPSC પરીક્ષા...
46 વર્ષ બાદ ખુલ્યું મંદિર...
જણાવી દઈએ કે, શનિવારના રોજ સંભલ (Sambhal)ના ડીએમ ડૉ. રાજેન્દ્ર પાંસિયા અને પોલીસ અધિક્ષક કૃષ્ણ કુમારના નેતૃત્વમાં દીપા સરાય વિસ્તારમાં વીજળી ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. આ સમય દરમિયાન મોહલ્લા ખગ્ગુ સરાઈમાં એક પ્રાચીન મંદિર બંધ અને જર્જરિત હાલતમાં મળી આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાણવા મળ્યું છે કે ખગ્ગુ સરાયમાં કેટલાક હિન્દુ પરિવારો રહેતા હતા. 1978 ના રમખાણો બાદ તેઓ ભાગી ગયા હતા. જ્યારે પોલીસ પ્રશાસને મંદિરનો દરવાજો તોડ્યો ત્યારે ગર્ભગૃહમાંથી હનુમાન અને શિવ પરિવારની મૂર્તિઓ મળી આવી હતી. આ પછી, એક પ્લેટફોર્મની નીચે એક કૂવો મળ્યો, જેમાંથી ખોદકામ દરમિયાન આ મૂર્તિઓ મળી.
આ પણ વાંચો : પિતા સાથે જ દીકરીએ કરી લીધા લગ્ન? તેની વાતો સાંભળી ચોંકી જશો તમે, Video
કૂવામાંથી મૂર્તિઓ મળી...
સોમવારે સવારે 10.24, 10.28 અને 11:30 કલાકે એક પછી એક ત્રણ મૂર્તિઓ મળી આવી હતી. ASP એ ત્રણેય મૂર્તિઓનો કબજો મેળવી લીધો છે. મૂર્તિઓ મળવાની માહિતી મળતા જ મોટી સંખ્યામાં લોકો મંદિરે પહોંચ્યા અને જયજયકાર કરવા લાગ્યા. ASP ના જણાવ્યા અનુસાર, પ્રથમ નજરે મૂર્તિઓ કાર્તિકેય, ગણેશ અને માતા લક્ષ્મીની હોવાનું જણાય છે. આ શિલ્પો કેટલા જૂના છે તે જાણવા તેને તપાસ માટે મોકલવામાં આવશે.
આ પણ વાંચો : PM મેમોરિયલે રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કહ્યું - 'નહેરુના પત્રો પરત કરો'