UCC પર PM મોદીના નિવેદન બાદ મુસ્લિમ સમુદાયની આવી પ્રતિક્રિયા, કહ્યું- અમે સહમત નથી
- 15 ઓગસ્ટે PM મોદીએ એક દેશ એક કાયદોની કહી વાત
- મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું- અમને સ્વીકાર્ય નથી
- ઘણાનું માનવું - દરેક ધર્મના લોકોને પોતાના ધાર્મિક કાયદા અનુસાર જીવવા દેવા જોઈએ
No UCC : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 15મી ઓગસ્ટના રોજ દેશને સંબોધિત કરતાં દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) હોવો જોઈએ એવી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હાલમાં દેશમાં દરેક ધર્મ માટે અલગ-અલગ કાયદા છે, જેને બદલીને એક જ કાયદો બનાવવો જોઈએ. જેને લઇને હવે મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) કહ્યું છે કે તેઓ આ વાત સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે મુસ્લિમો માટે શરિયા કાયદો (Muslim Personal Law) ખૂબ જ મહત્વનો છે અને તેઓ તેને બદલવા માટે તૈયાર નથી.
એક દેશ, એક કાયદો
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું હતું કે, બોર્ડ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ મુસલમાનોને અસ્વિકાર્ય છે. અમે આ વાત સાથે સહમત નથી. બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ શરિયા કાયદા (મુસ્લિમ પર્સનલ લો) સાથે ક્યારેય સમાધાન કરશે નહીં." બોર્ડના પ્રવક્તા એસક્યુઆર ઇલ્યાસે જણાવ્યું હતું કે, "ધર્મ પર આધારિત વ્યક્તિગત કાયદાઓને સાંપ્રદાયિક જાહેર કરવાની અને તેને બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા સાથે બદલવાની વડાપ્રધાનની જાહેરાતથી અમે આશ્ચર્યચકિત છીએ." ગુરુવારે, લાલ કિલ્લાની પ્રાચી પરથી, વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, "હું કહું છું કે દેશમાં ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા હોવી જોઈએ તે સમયની જરૂરિયાત છે. અમે કોમ્યુનલ સિવિલ કોડ હેઠળ 75 વર્ષ જીવ્યા છીએ. હવે આપણે બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા તરફ આગળ વધવું પડશે. તો જ આપણે દેશમાં ધર્મના આધારે ભેદભાવથી આઝાદી મેળવી શકીશું.
Uniform or secular civil code is neither desirable nor acceptable: All India Muslim Personal Law Board
Read @ANI Story l https://t.co/0RNsdH8S5F#UCC #SecularCivilCode #UniformCivilCode pic.twitter.com/s79mgybl2b
— ANI Digital (@ani_digital) August 18, 2024
બોર્ડની દલીલો
બોર્ડે એમ પણ કહ્યું કે, ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને પોતાના ધર્મ પાળવાનો અધિકાર છે. તેથી, દરેક ધર્મના લોકોને પોતાના ધાર્મિક કાયદા અનુસાર જીવવા દેવું જોઈએ. બીજી તરફ સરકારનું વલણ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. સરકારનું કહેવું છે કે, એકસરખો કાયદો બનાવવાથી દેશમાં એકતા આવશે અને દરેકને સમાન અધિકારો મળશે. આ મુદ્દે દેશમાં મોટો વિવાદ છે. કેટલાક લોકોનું માનવું છે કે દેશમાં એકસરખો કાયદો હોવો જોઈએ, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે દરેક ધર્મના લોકોને પોતાના ધાર્મિક કાયદા અનુસાર જીવવા દેવા જોઈએ.
આ પણ વાંચો: 78th Independence Day : 'આગામી 5 વર્ષમાં મેડિકલમાં 75 હજાર સીટો વધશે', PM મોદીએ કરી મોટી જાહેરાત