UP : ચશ્મામાં છુપાયેલો કેમેરો, રામ મંદિરમાં તસવીરો લેતા યુવકની અટકાયત...
- UP ના અયોધ્યાથી મોટા સમાચાર
- રામ મંદિરમાંથી એક યુવકની અટકાયત
- ફોટોઝ પાડવાનો લાગ્યો આરોપ
યુપી (UP)ના અયોધ્યાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં રામજન્મભૂમિ સંકુલમાંથી એક યુવકની અટકાયત કરવામાં આવી છે. આ યુવકના ચશ્મામાં કેમેરો લગાવ્યો હતો અને તે આ કેમેરા દ્વારા રામ જન્મભૂમિ સંકુલની તસવીરો ક્લિક કરી રહ્યો હતો.
શંકાના આધારે પકડાયો...
આરોપી યુવકની ઓળખ વડોદરાના રહેવાસી જયકુમાર તરીકે થઈ છે. પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ યુવકે તેના ચશ્મામાં કેમેરા ફીટ કર્યા હતા. યુવક રામજન્મભૂમિ સંકુલમાં આ કેમેરા વડે ફોટો ક્લિક કરી રહ્યો હતો. સ્થળ પર હાજર સુરક્ષા દળોએ શંકાના આધારે ચશ્માની તપાસ કરી અને ચશ્માંમાંથી એક કેમેરા મળી આવ્યો. પોલીસે પકડાયેલા યુવકની પૂછપરછ હાથ ધરી છે. બાતમીદારોએ તપાસ શરૂ કરી છે. આ ઘટના ગઈકાલે મોડી સાંજે બની હોવાનું કહેવાય છે.
A man from Vadodara, Gujarat has been caught secretly taking pictures inside tha Ram Janmbhoomi mandir at Ayodhya ji using a hidden camera in his glasses.
Police and intelligence agencies are questioning him.
Taking pictures and filming inside #RamMandir complex… pic.twitter.com/GkdbXcaxjK
— Amitabh Chaudhary (@MithilaWaala) January 7, 2025
આ પણ વાંચો : HMPV વાયરસનો ખતરો વધ્યો, ભારતના 7 કેસમાં નાગપુરમાં બે નવા દર્દીઓ...
સુરક્ષાને લઈને જવાન એલર્ટ...
યુપી (UP)ના અયોધ્યામાં સ્થિત રામ મંદિર માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. આવી સ્થિતિમાં ભક્તો અને મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ એલર્ટ મોડમાં છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. સમાચાર હતા કે રામ મંદિરમાં ભક્તોની સુવિધા માટે લિફ્ટ લગાવવામાં આવશે. આમ કરવાથી ભક્તોને પ્રથમ માળે ચઢવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ પત્રકારોને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, શ્રી રામ જન્મભૂમિ મંદિર ત્રણ માળનું છે. રામલલા ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠેલા છે. પહેલા માળે ભગવાનનો દરબાર હશે. તેની ઉપર પણ એક માળ હશે, ત્યાં શું હશે તે હજુ નક્કી નથી.
આ પણ વાંચો : Earthquake : Delhi-Bihar ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યા, રિક્ટર સ્કેલ પર 7.1 ની તીવ્રતા નોંધાઈ
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શું કહ્યું...
અનિલે કહ્યું હતું કે, લોકો રામ દરબારમાં જવા માટે સીડીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ જે લોકો ઉપર જવા માગે છે પરંતુ સીડીની મદદથી જઈ શકતા નથી તેમના માટે અમે ઘણા સમય પહેલા જ મંદિરથી મંદિર સુધી જવાની વ્યવસ્થા કરી છે. મંદિરોના કોરિડોરને જોડતી દિવાલ તૈયાર થશે. જે લોકો દર્શન માટે ઉપર જવા માગતા હોય તેઓ મંદિરના પાછળના ભાગેથી જશે. ત્યાં લિફ્ટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : MP : લાશ રસ્તા પર પડી રહી, બે રાજ્યોની પોલીસની જવાબદારી ટાળવાની નાટકબાજી