Qatar Case Update: હવે, Qatar ની સુપ્રીમ કોર્ટમાં ભારત લડશે કેસ
Qatar Case Update: 28 ડિસેમ્બરે Qatar જેલમાં બંધ 8 ભૂતપૂર્વ Indian Ex-Navy Members ને મોટી રાહત આપતા Qatar માં કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી હતી. તે દરમિયાન 4 જાન્યુઆરી ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે 8 લોકોને આપવામાં આવેલી જેલની સજા સામે 60 દિવસની અંદર અપીલ કરી શકાશે.
વિદેશ મંત્રાલયનું નિવેદન
વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “Qatar ની અપીલ કોર્ટે 28 ડિસેમ્બરે ચુકાદો આપ્યો હતો. આ પછી અમે કહ્યું કે આ 8 લોકોની ફાંસીની સજા પર રોક લગાવી દેવામાં આવી છે. અમારી લીગલ ટીમ પાસે કોર્ટનો આદેશ છે. આ એક ગોપનીય ઓર્ડર છે. તે ઉપરાંત આ તમામ 8 Ex-Navy Members ને અલગ-અલગ સમયગાળા માટે સજા કરવામાં આવી છે.
#WATCH | On Qatar court's verdict commuting death sentence of 8 Indian ex-Navy personnel, MEA Spokesperson Randhir Jaiswal says, "...The legal team has the order of the court, which is confidential. 60 days are there to appeal to the highest court of Qatar...We are in touch with… pic.twitter.com/MdqgNEWIOy
— ANI (@ANI) January 4, 2024
Qatar ની સુપ્રીમ કોર્ટ
તેમણે વધુમાં કહ્યું, “મૃત્યુની સજા રદ કરવામાં આવી છે. અમારી પાસે 60 દિવસનો સમય છે અને અમે Qatar ની સુપ્રીમ કોર્ટ (The Court of Cassation) નો સંપર્ક કરી શકીએ છીએ. તે ઉપરાંત જ્યારે 28 ડિસેમ્બર દરમિયાન 8 Ex-Navy Members ની ફાંસની સજા રદ કરવામાં આવી હતી. ત્યારે કોર્ટમાં તમામ Ex-Navy Members ના પરિવારજનો સાથે ભારતના વિદેશ અધિકારીઓ ઉપસ્થિત હતા. તેમના પરિવારજનોને તમામ પ્રકારની સહાય આપવામાં આવી રહી છે.
Qatar સ્થિત અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીમાં કામ કરતા આઠ ભારતીયોની ઓગસ્ટમાં કથિત જાસૂસીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 26 ઓક્ટોબરે તમામને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, કતારે આ આરોપો અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
આ પણ વાંચો: Jagadguru Rambhadracharya Maharaj : INDI ગઠબંધન અધર્મીઓનો સમૂહ