PM મોદી સોમવારે PM-JANMANના લાભાર્થીઓ સાથે કરશે ચર્ચા
PM-JANMAN Yojana : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM-JANMAN હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણના એક લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કરશે. આ યોજના હેઠળ વડાપ્રધાન મોદી PM-JANMANના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.
PM-JANMANના લાભાર્થીઓ સાથે PM મોદી કરશે વાતચીત
તમને જણાવી દઈએ કે 15 નવેમ્બર, 2023 ના રોજ આદિવાસી ગૌરવ દિવસના અવસરે, વડા પ્રધાન મોદીએ છેલ્લા માઈલ પર છેલ્લા વ્યક્તિને સશક્તિકરણ કરવાના ઉદ્દેશ્ય સાથે PM-JANMANની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, PM-JANMAN હેઠળ સરકાર આદિવાસી જૂથો અને આદિમ જાતિઓ સુધી પહોંચશે. આશરે રૂ. 24,000 કરોડના બજેટ સાથે, PM-JANMAN નવ મંત્રાલયો દ્વારા 11 મુખ્ય હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
તેનો ઉદ્દેશ્ય સંવેદનશીલ આદિવાસી જૂથ (PVTG) પરિવારો અને વસાહતોને શિક્ષણ, આરોગ્ય અને પોષણ, વીજળી, માર્ગ અને ટેલિકોમ કનેક્ટિવિટી અને ટકાઉ આજીવિકાની તકો તેમજ પાયાની સુવિધાઓ જેવી કે સલામત આવાસ, પીવાનું પાણી અને સ્વચ્છતા સુધી વધુ સારી રીતે ઉપલબ્ધ કરાવવાનો છે જેથી PVTG ટકી શકે છે.
PM-જનમન, અંદાજે રૂ. 24 હજાર કરોડના બજેટ સાથે, 9 મંત્રાલયો દ્વારા 11 મુખ્ય પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો હેતુ PVTG પરિવારો અને વસાહતોને સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, સલામત આવાસ અને સ્વચ્છ પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડીને સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો - Uttar Pradesh માં બની રહ્યું છે બીજું રામ મંદિર, 22 મી જાન્યુઆરીએ જ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉજવાશે કાર્યક્રમ…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ