ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Bhopal માં વક્ફ કાયદા વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન, મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ઉગ્ર વિરોધ

ભોપાલમાં, મુસ્લિમ સમુદાયે વક્ફ સુધારા બિલ સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધીઓ કહે છે કે આ બિલ વકફ મિલકતો હડપ કરવાનો પ્રયાસ છે.
09:14 AM Apr 11, 2025 IST | MIHIR PARMAR
ભોપાલમાં, મુસ્લિમ સમુદાયે વક્ફ સુધારા બિલ સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધીઓ કહે છે કે આ બિલ વકફ મિલકતો હડપ કરવાનો પ્રયાસ છે.
featuredImage featuredImage
Peaceful protest against Waqf law g first

Peaceful protest against Waqf law: ગુરુવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં મુસ્લિમ સમુદાયે વકફ એમેન્ડમેન્ટ બિલ (Waqf Act) વિરુદ્ધ એકજૂટ થઈને શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું. આ વિરોધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેતૃત્વમાં યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

કાળા કપડા પહેરીને વિરોધીઓએ સેન્ટ્રલ લાયબ્રેરી સામે બપોરે 2 થી 4 વાગ્યા સુધી શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન તેમણે ન તો કોઈ રાજકીય ધ્વજ ઉઠાવ્યો કે ન તો કોઈ ચોક્કસ પક્ષને સમર્થન આપ્યું.

ધારાસભ્યના સરકાર પર ગંભીર આરોપો

વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદે સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા અને કહ્યું કે આ બિલ વકફ મિલકતોના રક્ષણ માટે નથી પરંતુ તેને હડપ કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું, "આ કાયદો વકફનું રક્ષણ કરતો નથી, પરંતુ સરકારી મિલકતોને મુક્ત કરવાના હેતુથી લાવવામાં આવ્યો છે. વકફ બોર્ડને આનો કોઈ ફાયદો થશે નહીં. અમે તેને કોઈપણ સંજોગોમાં સ્વીકારીશું નહીં."

આરીફ મસૂદે એ પણ સ્પષ્ટ કર્યું કે વિરોધ ફક્ત રસ્તાઓ પૂરતો મર્યાદિત રહેશે નહીં, પરંતુ તેને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશુ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ન્યાયતંત્ર આ મામલે હસ્તક્ષેપ કરશે અને મુસ્લિમ સમુદાયને ન્યાય અપાવશે.

આ પણ વાંચો :  Pakistan માં બની રહ્યું છે ભવ્ય રામ મંદિર! જાણો શું કહ્યું મુખ્ય પૂજારીએ

ભ્રષ્ટાચારને રોકવાનો ઉદ્દેશ્ય

બીજી તરફ, ભાજપના નેતાઓએ આ વિરોધને 'સ્વાર્થ આધારિત' ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે આ સુધારો વકફ મિલકતોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા અને ભ્રષ્ટાચારને રોકવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે આનાથી ખરેખર ગરીબ મુસ્લિમોને ફાયદો થશે.

દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની તૈયારી

ભોપાલમાં આ પ્રદર્શન "વક્ફ બચાવો અભિયાન"નો એક ભાગ છે, જે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ 7 જુલાઈ સુધી દેશભરમાં ચલાવવામાં આવશે. બોર્ડના પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે શાહબાનો કેસની જેમ, આ ચળવળને ગામડે ગામડે અને શહેરોમાં ફેલાવવામાં આવશે, જેથી વધુને વધુ લોકો આ કાયદાની અસર સમજી શકે અને તેની સામે અવાજ ઉઠાવી શકે.

આ પણ વાંચો :  તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી કોર્ટે મંજૂર કરી, ઘણા પાસાઓ પર થશે ખુલાસા

ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે

વકફ સુધારા બિલને લઈને દિલ્હી, કોલકાતા, પટના, હૈદરાબાદ જેવા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે સરકાર લઘુમતી સમુદાયની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને નિશાન બનાવી રહી છે. વિરોધીઓ આને બંધારણના અનુચ્છેદ 25 અને 26નું ઉલ્લંઘન માને છે, જે ધાર્મિક સ્વતંત્રતા અને ધાર્મિક સંસ્થાઓનું સંચાલન કરવાના અધિકારની ખાતરી આપે છે.

દેશભરમાં વક્ફ સુધારા બિલ સામે વધી રહેલો વિરોધ દર્શાવે છે કે આ મુદ્દો ફક્ત કાનૂની જ નથી, પરંતુ સામાજિક અને ધાર્મિક રીતે પણ સંવેદનશીલ છે. એક તરફ સરકાર તેને પારદર્શિતા અને ગરીબોના હિતમાં લેવાયેલું પગલું કહી રહી છે, તો બીજી તરફ મુસ્લિમ સંગઠનો માને છે કે આ વક્ફની સાર્વભૌમત્વ અને તેમની ધાર્મિક સ્વતંત્રતાને નુકસાન પહોંચાડી રહ્યું છે. આગામી દિવસોમાં આ મુદ્દાને લઈને દેશના રાજકારણ અને અદાલતોમાં હંગામો વધવાની શક્યતા છે.

આ પણ વાંચો :  Bihar Rain : બિહારમાં કમોસમી વરસાદની સાથે વીજળી ત્રાટકી,25 નાં મોત

Tags :
Article25GujaratFirstJudicialJusticeMihirParmarMinorityRightsMuslimPersonalLawBoardPeacefulProtestProtectWaqfPropertiesreligiousfreedomSaveWaqfCampaignWaqfAmendmentProtestWaqfUnderThreat