PM MODI આજે યુવાનોને આપશે મોટી ભેટ, જાણો શું છે યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે યુવાનોને દિવાળીની ભેટ આપશે. PM મોદી આજે 10 લાખ કર્મચારીઓની ભરતીનું અભિયાન શરૂ કરશે. આ અભિયાનને રોજગાર મેળા નામ આપવામાં આવ્યું છે. આ દરમિયાન આજે પીએમ મોદી 75 હજાર યુવાનોને નિમણૂક પત્ર (Appointment letter) આપશે. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનોને પણ સંબોધિત કરશે. આ દરમિયાન રાજ્યો સાથે કેબિનેટ મંત્રીઓ પણ કાર્યક્રમમાં જોડાશે.આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં 1.25 લાà
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે યુવાનોને દિવાળીની ભેટ આપશે. PM મોદી આજે 10 લાખ કર્મચારીઓની ભરતીનું અભિયાન શરૂ કરશે. આ અભિયાનને રોજગાર મેળા નામ આપવામાં આવ્યું છે. આ દરમિયાન આજે પીએમ મોદી 75 હજાર યુવાનોને નિમણૂક પત્ર (Appointment letter) આપશે. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનોને પણ સંબોધિત કરશે. આ દરમિયાન રાજ્યો સાથે કેબિનેટ મંત્રીઓ પણ કાર્યક્રમમાં જોડાશે.
આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં 1.25 લાખ યુવાનોને રોજગાર
આ વર્ષે જૂન મહિનામાં, પીએમ મોદીએ સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોને મિશન મોડ દ્વારા 10 લાખ પદોની ભરતી કરવાનો નિર્દેશ આપ્યો હતો. વડાપ્રધાનની સૂચના અનુસાર તમામ મંત્રાલયો અને વિભાગોએ મંજૂર થયેલી જગ્યાઓ પર ખાલી જગ્યાઓ ભરવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં 9.15 લાખથી વધુ યુવાનોને રોજગાર આપવામાં આવશે. આ માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.
ભારત સરકારના 38 વિભાગોમાં ભરતી
જે યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવશે તેમાં દેશભરના યુવાનોનો સમાવેશ થાય છે. આને ભારત સરકારના 38 વિભાગો અને મંત્રાલયોમાં ગ્રુપ A (રાજપત્રિત), ગ્રુપ બી (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ સીમાં નિયુક્ત કરવામાં આવશે. આ સિવાય જે પોસ્ટ પર ભરતી થઈ રહી છે તેમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ પર્સનલ, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, પીએ, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, એમટીએસ વગેરેનો સમાવેશ થાય છે. આ નિમણૂંકો મિશન મોડમાં મંત્રાલયો અને વિભાગો દ્વારા તેમના પોતાના પર અથવા નિમણૂક એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ એજન્સીઓમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સ્ટાફ સિલેક્શન કમિશન અને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડનો સમાવેશ થાય છે. પીએમઓએ માહિતી આપી હતી કે ઝડપી ભરતી માટે પસંદગી પ્રક્રિયાને સરળ અને ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવી છે.
Advertisement