વૈદિક મંત્રોચ્ચાર સાથે બંધ થયા કેદારનાથના કપાટ, ભક્તોની ભારે ભીડ
આજથી કેદારનાથ (Kedarnath) ધામના દરવાજા શિયાળાની ઋતુ માટે બંધ થઇ ગયા છે. દરવાજા બંધ થયાની પૂર્વ સંધ્યાએ હજારો ભક્તો બાબા કેદારના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. દરવાજા બંધ કરવાની પ્રક્રિયામાં બુધવારે ભગવાન કેદારની પંચમુખી ડોળીની વિધિપૂર્વક પૂજા કર્યા બાદ મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી. પરિક્રમા બાદ ડોળીને મંદિરની અંદર બિરાજમાન કરવામાં આવી હતી. 16 લાખ ભક્તોએ બાબાના દર્શન કર્યાઆ પ્રસંગે શà
આજથી કેદારનાથ (Kedarnath) ધામના દરવાજા શિયાળાની ઋતુ માટે બંધ થઇ ગયા છે. દરવાજા બંધ થયાની પૂર્વ સંધ્યાએ હજારો ભક્તો બાબા કેદારના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. દરવાજા બંધ કરવાની પ્રક્રિયામાં બુધવારે ભગવાન કેદારની પંચમુખી ડોળીની વિધિપૂર્વક પૂજા કર્યા બાદ મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી. પરિક્રમા બાદ ડોળીને મંદિરની અંદર બિરાજમાન કરવામાં આવી હતી.
16 લાખ ભક્તોએ બાબાના દર્શન કર્યા
આ પ્રસંગે શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજય પરિવાર સાથે શ્રી કેદારનાથ ધામ પહોંચ્યા અને પંચમુખી ડોળીની પૂજામાં ભાગ લીધો હતો. દરવાજા બંધ થવા અંગે માહિતી આપતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લખ્યું કે, આજે શ્રી કેદારનાથ ધામના દરવાજા શિયાળાની ઋતુ માટે વૈદિક મંત્રોચ્ચાર અને પૌરાણિક વિધિઓ સાથે બંધ કરવામાં આવ્યા છે. આ વર્ષે દરવાજા ખોલ્યા બાદ લગભગ 16 લાખો ભક્તોએ બાબા કેદારના દર્શન કર્યા હતા.
Advertisement
માતા ગંગાની ઉત્સવ ડોળી મુખબામાં પહોંચી
26 ઓક્ટોબર, બુધવારે બપોરે 12:01 કલાકે શ્રી ગંગોત્રી ધામના દરવાજા શિયાળા માટે બંધ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હજારો ભક્તો ત્યાં હાજર હતા. માતા ગંગાની ઉત્સવ ડોળી હર્ષોલ્લાસ સાથે મુખબા ગામ જવા રવાના થઇ હતી. આજે ભાઇ બીજના દિવસે, માતા ગંગાની ઉત્સવની ડોળી તેના પિયર (મુખીમઠ) પહોંચી છે.
उत्तराखंड: केदारनाथ धाम के कपाट को सर्दियों के लिए बंद कर दिए गए हैं। pic.twitter.com/FqgKHOD4Ui
— ANI_HindiNews (@AHindinews) October 27, 2022
આ ધામોના દરવાજા પણ બંધ થઈ જશે
યમુનોત્રી ધામના દરવાજા પણ આજે 27મી ઓક્ટોબરે અભિજીત મુહૂર્તમાં બંધ રહેશે. છેલ્લે 19 નવેમ્બરે શ્રી બદ્રીનાથ ધામના દરવાજા બપોરે 3.35 કલાકે બંધ કરવામાં આવશે. બીજા કેદાર મદમહેશ્વરના દરવાજા 18 નવેમ્બર શુક્રવારે અને ત્રીજા કેદાર તુંગનાથના દરવાજા 7 નવેમ્બરે બંધ રહેશે.
Advertisement