'છેતરપીંડી એ છેતરપીંડી જ હોય છે'અદાણીના 413 પાનાના જવાબ પર હિંડનબર્ગની પ્રતિક્રિયા
હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપના એ આરોપોને ફગાવી દીધા છે કે તેમનો અદાણી ગ્રુપ લઇને રજુ કરેલો અહેવાલ ભારત પર હુમલો હતો. હિંડનબર્ગ રિસર્ચે સોમવારે જણાવ્યું હતું કે ભારત એક ગતિશીલ લોકશાહી અને ઉભરતી મહાસત્તા છે અને અદાણી જૂથ 'વ્યવસ્થિત લૂંટ' દ્વારા ભારતના ભવિષ્યને રોકી રહ્યું છે.અદાણી ગ્રુપે રવિવારે 413 પાનાની 'સ્પષ્ટતા' જારી કરી હતીમહત્વપૂર્ણ છે કે હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પàª
હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપના એ આરોપોને ફગાવી દીધા છે કે તેમનો અદાણી ગ્રુપ લઇને રજુ કરેલો અહેવાલ ભારત પર હુમલો હતો. હિંડનબર્ગ રિસર્ચે સોમવારે જણાવ્યું હતું કે ભારત એક ગતિશીલ લોકશાહી અને ઉભરતી મહાસત્તા છે અને અદાણી જૂથ 'વ્યવસ્થિત લૂંટ' દ્વારા ભારતના ભવિષ્યને રોકી રહ્યું છે.
અદાણી ગ્રુપે રવિવારે 413 પાનાની 'સ્પષ્ટતા' જારી કરી હતી
મહત્વપૂર્ણ છે કે હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો, જેના પછી છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રૂપ કંપનીઓના શેરોની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. હિંડનબર્ગ રિસર્ચના આરોપોના જવાબમાં અદાણી ગ્રુપે રવિવારે 413 પાનાની 'સ્પષ્ટતા' જારી કરી હતી. બીજી બાજુ હિંડનબર્ગ રિસર્ચ તેના અહેવાલ પર કાયમ છે.આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બે વર્ષની તપાસમાં બહાર આવ્યું છે કે અદાણી ગ્રુપ દાયકાઓથી શેરોની હેરાફેરી અને એકાઉન્ટ્સની હેરાફેરીમાં સામેલ છે.
અદાણી ગ્રુપે કહ્યું આરોપો બીજુ કંઇ નહીં પરંતુ ફક્ત જુઠ્ઠાણું
અદાણી ગ્રુપે રવિવારે સાંજે આ આરોપોના જવાબમાં કહ્યું હતું કે આ હિંડનબર્ગ દ્વારા ભારત પર સમજી વિચારીને કરવામાં આવેલો હુમલો છે. ગ્રુપે કહ્યું હતું કે આ આરોપ બીજુ કંઇ નહીં પરંતુ ફક્ત જુઠ્ઠાણું છે. અદાણી ગ્રુપે કહયું હતું કે આ રિપોર્ટ માત્ર એક કૃત્રિમ બજાર બનાવવાની કોશીશ છે, જેનાથી અદાણી ગ્રુપના શેરોના ભાવ નીચે લાવી શકાય અને અમેરિકી કંપનીઓને ફાયદો પહોંચાડી શકાય.
અદાણી ગ્રુપે કહ્યું આ માત્ર કોઇ કંપની પર કરાયેલો પ્રહાર નથી
અદાણી ગ્રુપે એમ પણ કહ્યું હતું કે આ માત્ર કોઇએક વિશિષ્ટ કંપની પર કરાયેલો પ્રહાર નથી પરંતુ ભારત, તેની નાણાકીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડતા અને ગુણવત્તા તથા ભારતની વિકાસગાથા અને મહત્વાકાંક્ષાઓ પર એક સુનિયોજિત હુમલો છે.
હિંડનબર્ગે કહ્યું છેતરપીંડી એ છેતરપીંડી જ હોય છે
હિંડનબર્ગે આના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે છેતરપીંડી છેતરપીંડી જ હોય, પછી ભલે ને તેને દુનિયાના સૌથી અમીર વ્યક્તિએ જ અંજામ કેમ ન આપ્યો હોય. હિંડનબર્ગે કહ્યું કે અમે અદાણી ગ્રુપને કુલ 88 સવાલ કર્યા હતા જેમાંથી 62 જેટલા સવાલોના જવાબ યોગ્ય રીતે આપવામાં આ ગ્રુપ નિષ્ફળ રહ્યુ હતું .મહત્વપૂર્ણ છે કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની સંપતિમાં 20 ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement