શ્રી રામ જન્મભૂમિ ઇઅઅયોધ્યાથી રામ મંદિરની નવી તસવીરો આવી સામે
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી રામ મંદિરના નિર્માણની નવીનતમ તસવીરો સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરના પહેલા માળનો 70 ટકા ભાગ તૈયાર છે.
અયોધ્યામાં રામ મંદિર અઢી એકરમાં બનેલું છે. પરંતુ જો તેમાં 'પરિક્રમા પથ' પણ ઉમેરવામાં આવે તો આખો વિસ્તાર આઠ એકરમાં વિસ્ત્રાયેલો છે. જો કે રામ મંદિર ત્રણ માળનું હશે અને તેની ઊંચાઈ 162 ફૂટ હશે.
રામ મંદિર સંકુલના નિર્માણ પાછળ 1,700 થી 1,800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરના ગર્ભગૃહમાં પ્લેટફોર્મ બનાવવામાં આવશે. તેના પર રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. રામલલાની આ મૂર્તિ 51 ઈંચ ઊંચી હશે.
રામ મંદિર ઉપરાંત મંદિર પરિસરમાં વધુ છ મંદિરો બનાવવામાં આવી રહ્યા છે. સિંહ ગેટથી રામ મંદિરમાં પ્રવેશતા પહેલા પૂર્વ તરફ એક મુખ્ય દરવાજો હશે જ્યાંથી ભક્તો મંદિરમાં પ્રવેશ કરશે.
મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર 'સિંહ દ્વાર' હશે. રામ મંદિરમાં કુલ 392 સ્તંભ હશે. ગર્ભગૃહમાં 160 સ્તંભો અને ઉપરના માળે 132 સ્તંભો હશે. મંદિરમાં 12 દરવાજા હશે. આ સાગના લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે.
રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ્યારે રામ મંદિર સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે ત્યારે દરરોજ દોઢ લાખ ભક્તો આવવાની આશા છે. તેથી દરેક ભક્તોને રામલલાના દર્શન કરવા માટે માત્ર 15 થી 20 સેકન્ડનો સમય મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. રામલલાના અભિષેક માટે મંદિર પરિસરને શણગારવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ગોગામેડી હત્યા કેસના એક આરોપી દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ