Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

National News: લ્યો બોલો! આ વ્યક્તિને તરસ જ નથી લાગતી, પાણી પીધાને 13 વર્ષ થયા

National News: કોઈ પણ જીવને પાણી વિના ચાલી શકે નહીં. પાણી વિના તેના જીવનની કલ્પના કરવી ઘણી મુશ્કેલ હોય છે. ત્યાં મનુષ્યની વાત કરવામાં આવે તો માણસને પણ રોજ પાણીની જરૂર પડે છે. ઇશ્વરે આપણું શરીર ખુબ જ વિચારીને બનાવ્યું...
national news  લ્યો બોલો  આ વ્યક્તિને તરસ જ નથી લાગતી  પાણી પીધાને 13 વર્ષ થયા
Advertisement

National News: કોઈ પણ જીવને પાણી વિના ચાલી શકે નહીં. પાણી વિના તેના જીવનની કલ્પના કરવી ઘણી મુશ્કેલ હોય છે. ત્યાં મનુષ્યની વાત કરવામાં આવે તો માણસને પણ રોજ પાણીની જરૂર પડે છે. ઇશ્વરે આપણું શરીર ખુબ જ વિચારીને બનાવ્યું છે. માણસનું આખું શરીર પાણી પર જ નિર્ભર હોય છે. સામાન્ય રીતે માણસને જીવવા માટે પાણીની જરૂર પડે જ છે. પરંતુ જો કે, તેમને કોઈ એમ કહે કે, પાણી વિના પણ કોઈ માણસ જીવી રહ્યું છે તો? શું આ વાત માનવામાં આવે?

પાણી વિના પણ કોઈ રહીં શકે એમ?

મળતી વિગત પ્રમાણે જમશેદપુર ગામના એક વ્યક્તિએ એવો દાવો કર્યો છે કે, તે 13 વર્ષથી પાણી પીધા વિના જીવી રહ્યો છે. સામાન્ય રીતે કોઈ માણસ પાણી વિના માત્ર 3 જ દિવસ સુધી જીવી શકે છે. પરંતુ આ દાવાને એક વ્યક્તિએ ખોટો સાબિત કરી બતાવ્યો છે. જમશેદપુરના ટેલ્કો ઘોડા બંદાના સુધાંશુ કુમારે એક અજીબ દાવો કર્યો છે. સુધાંશુનું કહેવું છે કે, તેમણે છેલ્લા 13 વર્ષથી પાણી જ નથી પીધું. તેવો પાણી પિધા વિના જ જીવી રહ્યાં છે. એવું નથી કે, પાણીની કમીને કારણે તેને કોઈ બીમારી થઈ હોય, તે અત્યારે એકદમ સ્વસ્થ્ય છે અને તેને ક્યારે પાણી પીવાની ઈચ્છા થતી પણ નથી. આવા અજીબ દાવાને લઈને અત્યારે સુધાંશુ ખુબ જ ચર્ચામાં આવી રહ્યાં છે.

Advertisement

સુધાંશુનો દાવો છે કે તેને તરસ જ નથી લાગતી

સુધાંશુનું કહેવું છે કે, તેણે પાણી વિના જીવવાનું સીખી લીધું છે. 13 વર્ષથી તેણે એક પણ વખત પાણી પીધું નથી. ક્યારેક ક્યારેક દૂધ પી લેતા હોય છે. તેના સિવાય તેમના ભોજનની વાત કરવામાં આવે તો તેઓ માત્ર સલાડ ખાય છે. સુધાંશુએ વધુમાં જણાવ્યું કે, તેઓ સંપૂર્ણ રીતે શાકાહારી છે. જોકે, સુધાંશુએ આને માતા રાણીનો આશીર્વાદ માન્યો છે. સુધાંશુના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, તેમને જીવવા માટે પાણીની જરૂર પડતી જ નથી.

Advertisement

પુરાવા આપવામાં સુધાશું તૈયાર નથી

સુધાંશુ પોતાના દાવાની કોઈ સબુત આપી શક્યો નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોઈ મેડિકલ ટીમે આ વાતની પુષ્ટિ કરી છે, તો સુધાંશુએ કહ્યું કે ઘણા પત્રકારો તેમના ઘરે આવ્યા હતા. જો તમે ઈચ્છો તો તમારા પરિવારના સભ્યોને પણ પૂછી શકો છો. તેણે આટલા વર્ષોથી પાણી પીધું નથી. એટલું જ નહીં, સુધાંશુએ કહ્યું કે તેને ઠંડી પણ નથી લાગતી. તેણે પોતાના જીવનની આખી શિયાળાની મોસમ સ્વેટર વિના વિતાવી. જોકે, સુધાંશુ પાસે આ વાતનો પુરાવો પણ નથી.

આ પણ વાંચો: Karnataka સરકારનો ફરમાન, જો પીવાના પાણીનો બગાડ કરશો તો થશે…
આ પણ વાંચો: Pm Shahbaz: જોણો વડાપ્રધાન મોદીના શુભેચ્છા સંદેશને લઈને શું બોલ્યો શહબાઝ?
આ પણ વાંચો: Viral Video : United airlines flightનું લોસ એન્જલસમાં ઈમરજન્સી લેન્ડિંગ
Tags :
Advertisement

Related News

featured-img
Top News

PM Modi : પીએમ મોદી સાયપ્રસ પહોંચ્યા, રાષ્ટ્રપતિ નિકોસે એરપોર્ટ પર લાલ જાજમ બિછાવી કર્યુ સ્વાગત

featured-img
Top News

Pune : ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 30 લોકોના ડૂબી જવાની આશંકા, બે મૃતદેહ મળી આવ્યા

featured-img
Top News

Mathura News : મથુરામાં મોટી દુર્ઘટના, 6 ઘર ધરાશાયી, 12 લોકો દટાયા, બચાવ કામગીરી શરૂ

featured-img
રાષ્ટ્રીય

Manali Video : હિમાચલ પ્રદેશના મનાલીમાં પર્યટક સાથે દુર્ઘટના, 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બાળકી

featured-img
Top News

'વર્ષ 2029 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના ટ્રેક પર' : સર્બાનંદ સોનોવાલ

featured-img
રાષ્ટ્રીય

Kerala : તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રિટિશ ફાઈટર જેટનું ઈમરજન્સી લેન્ડિંગ

×

Live Tv

Trending News

.

×