Delhi ના જંતર-મંતર પર મુસ્લિમો કરશે હલ્લાબોલ, વકફ સુધારા બિલને લઈને વિરોધ પ્રદર્શન
- વક્ફ સુધારા બિલને લઈ મુસ્લિમો વિરોધ પ્રદર્શન કરશે
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડેની મુસ્લિમોને અપીલ
- મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક પોસ્ટર બહાર પાડ્યું
Waqf Amendment Bill : વકફ સુધારા બિલના વિરોધમાં આવતીકાલે દિલ્હીના જંતર-મંતર પર મુસ્લિમો એકત્ર થવાના છે. વકફ સંપત્તિના રક્ષણ માટે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ભારતના મુસ્લિમોને અપીલ કરી છે કે તેઓ આ બિલનો વિરોધ કરવા જંતર-મંતર પર પહોંચે. AIMPLB એ કહ્યું છે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ભારતના મુસ્લિમોનો અવાજ ઉઠાવે છે.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક પોસ્ટર બહાર પાડ્યું
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક પોસ્ટર બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે અમે ભારતીય મુસ્લિમોને એહસાસ છે કે વકફ સુધારો બિલ અવકાફને હડપ કરવા માટેનું એક સુનિયોજિત કાવતરું છે, જેને કોઈપણ સ્વરૂપમાં સ્વીકારવામાં આવશે નહીં. મિલ્લત-એ-ઇસ્લામિયાએ વક્ફ સુધારા બિલને નકારી કાઢ્યું.
આ પણ વાંચો : Pakistan : ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલની હત્યા
ઘણા સાંસદોને આમંત્રણ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે 13 માર્ચે જંતર-મંતર ખાતે વકફ બિલના વિરોધની જાહેરાત કરી હતી. બોર્ડના પ્રવક્તા એસક્યુઆર ઇલ્યાસે જણાવ્યું હતું કે આ પ્રદર્શન 13 માર્ચે યોજવાનું હતું, પરંતુ હોળીની રજાઓને કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યું છે અને તે દિવસે સંસદની કોઈ બેઠક નહીં હોય. તેમણે એમ પણ જણાવ્યું કે આ વિરોધ પ્રદર્શન માટે ઘણા સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ મુસ્લિમો પર સીધો હુમલો છે - AIMPLB
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું છે કે આ મુસ્લિમો પર સીધો હુમલો છે. બોર્ડના પ્રવક્તા ઇલ્યાસે જણાવ્યું હતું કે અમને આશા હતી કે સંસદની સંયુક્ત સમિતિ અમારા સૂચનો પર વિચાર કરશે પરંતુ ન તો અમારા અભિપ્રાયને ધ્યાનમાં લેવામાં આવ્યો અને ન તો વિરોધ પક્ષો દ્વારા પ્રસ્તાવિત સુધારાઓને સામેલ કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સંસદીય પેનલ દ્વારા માંગવામાં આવેલા સૂચનો પર ઈમેલ દ્વારા 3.6 કરોડથી વધુ પ્રતિસાદ આપ્યા છે. AIMPLB કહે છે કે સરકાર આ સુધારાઓ અમારા પર લાદવા માંગે છે.
આ પણ વાંચો : Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય