Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Murshidabad violence : વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયંકર હિંસા,ટોળાંએ પિતા-પુત્રની કરી હત્યા

વક્ફના કાયદા મુદ્દે પશ્ચિમ બંગાળમાં હિંસા મુર્શિદાબાદમાં સતત બીજા દિવસે  હિંસા  યથાવત મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવ્યું Murshidabad violence : વક્ફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા (Murshidabad violence)થઈ રહી છે. મુર્શિદાબાદમાં આજે સતત બીજા...
murshidabad violence   વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયંકર હિંસા ટોળાંએ પિતા પુત્રની કરી હત્યા
Advertisement
  • વક્ફના કાયદા મુદ્દે પશ્ચિમ બંગાળમાં હિંસા
  • મુર્શિદાબાદમાં સતત બીજા દિવસે  હિંસા  યથાવત
  • મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવ્યું

Murshidabad violence : વક્ફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા (Murshidabad violence)થઈ રહી છે. મુર્શિદાબાદમાં આજે સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ. પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે ત્યારે આજે ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઘટના શમશેરગંજની પાસે જાફરાબાદ વિસ્તારની છે જ્યાં ભીડે બપોરના સમયે એક ગામ પર હુમલો કર્યો અને પિતા-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા. હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે, તથા ઈન્ટરનેટ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેંદુ અધિકારીએ રાજ્યમાં કેન્દ્રીય દળોને તહેનાત કરવાની માંગ કરી છે.

ગઇકાલે પણ થઈ હતી હિંસા

નોંધનીય છે કે ગઇકાલે જુમ્માની નમાઝ બાદ પણ બંગાળમાં હિંસા થઈ હતી. જેમાં ટોળાં દ્વારા અનેક જગ્યાએ આગચંપી કરવામાં આવી હતી. ઘણી જગ્યાઓ પર ટોળાં અને પોલીસ વચ્ચે પણ અથડામણ થઈ હતી. અનેક દુકાનો તથા વાહનોમાં પણ ભારે નુકસાન કરવામાં આવ્યું હતું. ટોળાંએ પોલીસના વાહનો તથા આઉટપોસ્ટને પણ આગને હવાલે કરી હતી. ગઇકાલે થયેલી હિંસામાં પોલીસે અત્યાર સુધીમાં 118 લોકોની ધરપકડ કરી છે.પોલીસે લોકોને સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. પરિસ્થિતિને જોતાં મુર્શિદાબાદમાં સ્પેશિયલ ફોર્સને તહેનાત કરવામાં આવી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Earthquake : ભારત સહિત 5 દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા

જીવું છું ત્યાં સુધી વક્ફ કાયદો બંગાળમાં લાગુ નહીં થાય: મમતા બેનરજી

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હિંસા કરી રહેલા લોકોને વાયદો આપ્યો છે કે રાજ્યમાં આ કાયદો લાગુ નહીં થાય. મમતા બેનરજીએ કહ્યું છે કે,'જે કાયદાના કારણે તમે નારાજ છો તે અમે નથી બનાવ્યો, કેન્દ્ર સરકાર બનાવ્યો છે. તેથી કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગો. અમે કહ્યું છે કે રાજ્યમાં આ કાયદો લાગુ જ નહીં થાય તો હિંસા કેમ થઈ રહી છે? દરેક વ્યક્તિનો જીવ કિંમતી છે. ધર્મના નામે કોઈ પણ ખોટું કામ ન કરશો.' મમતા બેનરજીનો આરોપ છે કે રાજ્યની વિપક્ષી પાર્ટીઓ હિંસા ભડકાવી રહી છે.

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : પોલીસની કામગીરી અંગે એડિશનલ CP સાથે Gujarat First ની વાતચીત

featured-img
આંતરરાષ્ટ્રીય

Operation Sindhu ભારતે કર્યુ લોન્ચ, ઈરાનથી ભારતીય વિદ્યાર્થીઓની વાપસી શરૂ

featured-img
રાષ્ટ્રીય

Pune Accident : પૂણેમાં કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત,7 લોકોના મોત

featured-img
અમદાવાદ

Ahmedabad : ગાંધીનગર બાદ અમદાવાદમાં દીવાલ પડી, બે શ્રમિકનાં મોત

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફરની તપાસ એન્જસીએ કરી પૂછપરછ!

featured-img
રાષ્ટ્રીય

Indigoની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ,પૂર્વ CM Bhupesh Baghel હતા સવાર

×

Live Tv

Trending News

.

×