ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Mumbai Boat Accident : બોટ માલિકના ગંભીર આરોપો, નૌકાદળની લાપરવાહી..., શું દુર્ઘટના ટાળી શકાત?

Mumbai ગેટવે ઑફ ઈન્ડિયાની નજીક બોટ પલટી બોટ દુર્ઘટનામાં 13નાં મોત, 5ની હાલત ગંભીર મારી બોટને નૌકાદળની સ્પીડ બોટે ટક્કર મારી : બોટ માલિક મુંબઈ (Mumbai)ના પ્રખ્યાત ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ...
08:58 PM Dec 18, 2024 IST | Dhruv Parmar
Mumbai ગેટવે ઑફ ઈન્ડિયાની નજીક બોટ પલટી બોટ દુર્ઘટનામાં 13નાં મોત, 5ની હાલત ગંભીર મારી બોટને નૌકાદળની સ્પીડ બોટે ટક્કર મારી : બોટ માલિક મુંબઈ (Mumbai)ના પ્રખ્યાત ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ...
featuredImage featuredImage

મુંબઈ (Mumbai)ના પ્રખ્યાત ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 વ્યક્તિના મોતની માહિતી સામે આવી છે. આ કિસ્સામાં, ડૂબી ગયેલી બોટના માલિક રાજેન્દ્ર પડતેનો આરોપ છે કે નૌકાદળના જહાજએ તેમની બોટને ટક્કર મારી હતી. તેમણે કહ્યું કે, બોટમાં 84 લોકો બેસી શકે છે અને 80 લોકો બેઠા હતા. સત્તાવાર રીતે, બોટમાં 100 થી વધુ મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર સવાર હતા.

કેવી રીતે થયો અકસ્માત?

નીલકમલ બોટ કેવી રીતે ડૂબી ગઈ અથવા દરિયાની વચ્ચે આ દુર્ઘટના કેવી રીતે થઈ અને કેવી રીતે લોકોનો જીવ તરત જ બચાવી લેવામાં આવ્યો તે અંગે ઉરણના સ્થાનિક ભાજપના ધારાસભ્ય મહેશ બાલ્ડીએ જણાવ્યું હતું કે, બપોરે લગભગ 3.30 વાગ્યે નીલકમલ બોટ મુંબઈ (Mumbai)થી ઉરણના એલિફન્ટા માટે રવાના થઈ હતી. . નૌકાદળની એક સ્પીડ બોટ દરિયાની વચ્ચે પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ બોટના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને મુસાફરોથી ભરેલી નીલકમલ બોટ સાથે અથડાઈ. તેમણે જણાવ્યું કે, જ્યારે આ અકસ્માત થયો ત્યારે બીજી બોટમાં બેઠેલા મારા મિત્ર અજય કોળીએ તરત જ તેની બોટ ડૂબતી બોટ પાસે લઈ લીધી અને નીલકમલ બોટમાં સવાર મુસાફરોનો જીવ બચાવ્યો. તેથી જાનહાનિ ઘટી છે. તેમજ કેટલાક લોકો હજુ પણ ગુમ છે, તેમને શોધવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : Mumbai : ગેટવે ઓફ ઈન્ડિયા પાસેની દુર્ઘટના, નેવી અને કોસ્ટ ગાર્ડનું રાહત અભિયાન ચાલુ

13 વ્યક્તિનું મોત, 5 ની હાલત ગંભીર...

ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, મેં આ મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો. CM એ પીડિતોને શક્ય તમામ મદદ આપવાની વાત કરી છે. સરકાર આ મામલે તપાસ કરશે અને નેવી પણ પોતાની રીતે તપાસ કરશે. આ મામલે નિવેદન આપતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે આ અંગે તપાસની માંગણી કરીશું પરંતુ અત્યારે રાહત અને સુરક્ષા આપવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે, નીલકમલમાં કુલ 100 થી વધુ લોકો સવાર હતા. 101 લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં 13 વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે અને 5 લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : NSA અજીત ડોભાલ અને ચીનના ઉપપ્રમુખ હાન ઝેંગ વચ્ચે બેઠક, જાણો શું થઇ ચર્ચા...

જાણો બોટ અકસ્માત પર પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ અકસ્માત બુધવારે સાંજે થયો હતો. આજે હવામાન ચોખ્ખું હતું, તેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગેટવે ઓફ ઈન્ડિયાની મુલાકાત લેવા પહોંચ્યા હતા, જેમાંથી ઘણા બોટિંગ માટે દરિયામાં ગયા હતા. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક બોટ કિનારાથી નીકળીને 50 મીટર સુધી દરિયાની અંદર ગઈ.

આ પણ વાંચો : 'બાબા સાહેબના નામ પર રાજકારણ બંધ કરો', Amit Shah ના કોંગ્રેસ પર આકરા પ્રહાર

Tags :
Boat Capsized in MumbaiDhruv ParmarGateway of IndiaGUJARAT FIRST NEWSGujarati NewsIndiaMumbai Boat CapsizedMumbai Boat Capsized VideoMumbai NewsNational