Manipur Violence Update: મણિપુરમાં હિંસાની આગ યાથાવત, બે પોલીસ ચોકીઓ સહિત 70 ઘરોને સળગ્યા
Manipur Violence Update: Manipur માં કોમી હુલ્લડો શાંત થવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે ફરી એકવાર ભાયાવહ ચોંકાવનારી ઘટના Manipurમાંથી સામે આવી છે. એક સમાજના જૂથ દ્વારા અન્ય સમાજના લોકોના ઘરોમાં આગ લગાડવામાં આવી છે. તે ઉપરાંત ઉગ્રવાદીઓ દ્વારા પોલીસ ચોકીમાં પણ આગ લગાવી દીધી હતી.
એક સમુદાયના 70 થી વધુ ઘરોને સળગાવી દીધા
રાહત શિબિરમાં 239 લોકોને લઈ જવામાં આવ્યા
Manipur ના મોટાભાગના કર્ફ્યુ લાદવામાં આવ્યું
ત્યારે Manipur માં આવેલા જીરીબામ જિલ્લામાં ઉગ્રવાદીઓએ એક સમુદાયના 70 થી વધુ ઘરોને સળગાવી દીધા હતા.ઉગ્રવાદીઓએ બે પોલીસ ચોકીઓ અને વન વિભાગની ઓફિસને પણ આગ લગાવી દીધી હતી. હિંસા બાદ જીરીબામ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (SP) ની બદલી કરવામાં આવી છે.
Fresh violence in #Jiribam district Manipur by #KukiTerrorist supported by ....... ? attacking Meitei villages, even behĕ@đ1ng one Meitei civilian just 3DAYS after Lok Sabha result out. What is the agenda behind ? @narendramodi @AmitShahOffice https://t.co/18bSjvIhvA pic.twitter.com/xRuehit5vW
— Annie (@annieNgashepam) June 8, 2024
રાહત શિબિરમાં 239 લોકોને લઈ જવામાં આવ્યા
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉગ્રવાદીઓ સામેની કાર્યવાહીમાં સુરક્ષા કર્મચારીઓને મદદ કરવા માટે 70 થી વધુ રાજ્ય પોલીસ કમાન્ડોની ટુકડીને ઇમ્ફાલથી જીરીબામ મોકલવામાં આવી છે. જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રહેલા રાહત શિબિરમાં મીતેઈ સમુદાયના લગભગ 239 લોકોને લઈ જવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.
Breaking News: Tragic news out of Jiribam, Manipur!
Another senseless act of violence perpetrated by #Kukis leaves one Meitei, Soibam Saratkumar Singh, a resident of Gularthol, Jiribam, dead with his throat slit!!
This brutality is a stark reminder that the Kukis have no… pic.twitter.com/2Z4uzMfWMq
— Deepika92 (@LaishramDeepika) June 6, 2024
Manipur ના મોટાભાગના કર્ફ્યુ લાદવામાં આવ્યું
ઉગ્રવાદીઓએ લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરા ગામમાં 70 થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી. ઉગ્રવાદીઓએ જીરીમુખ અને છોટો બેકારાની પોલીસ ચોકીઓ અને વન વિભાગની ગોખલ ઓફિસને પણ આગ લગાવી દીધી હતી. ઉગ્રવાદીઓ દ્વારા એક વ્યક્તિની હત્યા થઈ હોવાની માહિતી મળી છે. જે બાદ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. હાલમાં Manipur ના મોટાભાગના કર્ફ્યુ લાદવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Delhi Restaurant Fire: એકસાથે 3 રેસ્ટોરેન્ટમાં લાગી વિકરાળ આગ, દિલ્હી કાળા ધુમાડાથી ઢંકાયું