Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kolkata Doctor Murder Case : મહિલા ડોક્ટરોની સુરક્ષા મુદ્દે SCમાં સુનાવણી, CJIએ વ્યક્ત કરી ચિંતા

કોલકાતા કેસ: મહિલા ડોક્ટરોની સુરક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સીજેઆઈએ વ્યક્ત કરી ચિંતા સુપ્રીમ કોર્ટે કોલકાતા કેસમાં મહિલા ડોક્ટરોની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ, માંગી રિપોર્ટ મહિલાઓની સુરક્ષા માટે રાષ્ટ્રીય સ્તરે ટાસ્ક ફોર્સ બનાવવાની સૂચના Kolkata Doctor Murder Case :...
kolkata doctor murder case   મહિલા ડોક્ટરોની સુરક્ષા મુદ્દે scમાં સુનાવણી  cjiએ વ્યક્ત કરી ચિંતા
Advertisement
  • કોલકાતા કેસ: મહિલા ડોક્ટરોની સુરક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સીજેઆઈએ વ્યક્ત કરી ચિંતા
  • સુપ્રીમ કોર્ટે કોલકાતા કેસમાં મહિલા ડોક્ટરોની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ, માંગી રિપોર્ટ
  • મહિલાઓની સુરક્ષા માટે રાષ્ટ્રીય સ્તરે ટાસ્ક ફોર્સ બનાવવાની સૂચના

Kolkata Doctor Murder Case : કોલકાતાની આરજી કર હોસ્પિટલ (Kolkata's RG Kar Hospital) ના સેમિનાર હોલમાં એક મહિલા તાલીમાર્થી ડોક્ટર પર દુષ્ક્રમ અને હત્યા (Rape and Murder) વામાં આવી હતી. CBI આ કેસની તપાસ કરી રહી છે, દુષ્ક્રમ અને હત્યાના આરોપી સંજય રોયના મનોવૈજ્ઞાનિક ટેસ્ટ (Psychological Test) બાદ હવે તેનો પોલીગ્રાફ ટેસ્ટ (Polygraph Test) કરવામાં આવશે. CBIને શંકા છે કે આરોપી કંઈક છુપાવી રહ્યો છે અને તે પોલીગ્રાફ ટેસ્ટમાં સત્ય જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે (SC) આ મામલાની સુઓ મોટો સંજ્ઞાન લીધી છે અને આજે આ મામલે સુનાવણી હાથ ધરાશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ (West Bengal) ના રાજ્યપાલ દિલ્હી પહોંચી ગયા છે અને ગૃહમંત્રીને મળશે. 9 ઓગસ્ટના રોજ સેમિનાર હોલમાં તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો.

સુરક્ષા માટે રાષ્ટ્રીય સ્તરે ટાસ્ક ફોર્સ બનાવવાની સૂચના

મંગળવારે સુનાવણી દરમિયાન કોર્ટે દેશમાં ડોક્ટરોની હાલત પર ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત સુરક્ષા માટે રાષ્ટ્રીય સ્તરે ટાસ્ક ફોર્સ બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું કે અમે સુઓ મોટો સંજ્ઞાન લીધું કારણ કે આ ડોક્ટરોની સુરક્ષા સાથે જોડાયેલો મોટો મુદ્દો છે. આ કેસની સુનાવણી કરી રહેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, 'સવારે ગુનાની જાણ થયા બાદ પ્રિન્સિપાલે તેને આત્મહત્યા જેવું દેખાડવાનો પ્રયાસ કર્યો અને પીડિતાના માતા-પિતાને તેની બોડી જોવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી.' તેમણે કહ્યું, 'મોડી રાત સુધી કોઈ FIR નોંધાઈ ન હતી.' કોર્ટે FIRમાં વિલંબ કરવા અને ઘટનાની તક વેડફવા બદલ તૃણમૂલ કોંગ્રેસ સરકારને પણ ફટકાર લગાવી છે.

Advertisement

Advertisement

મૃતકના ફોટા અને વીડિયો શેર કરવા પર CJIએ શું કહ્યું?

CJIએ કહ્યું, 'આરજી કર હોસ્પિટલમાં 36 કલાકથી શિફ્ટ થયેલા ડૉક્ટર પર દુષ્ક્રમ થયો હતો. મૃતકના ફોટા અને વીડિયો શેર કરવામાં આવ્યા હતા. 13 ઓગસ્ટે હાઈકોર્ટ દ્વારા કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 15 ઓગસ્ટના રોજ મોડી રાત્રે 12:30 વાગ્યે એક ટોળું ઈમરજન્સી વોર્ડ અને અન્ય સ્થળોએ ઘૂસી ગયું હતું અને તોડફોડ કરી હતી. આ પછી IMAએ 14 કલાક માટે દેશભરમાં ઈમરજન્સી સેવાઓ બંધ રાખવાની હાકલ કરી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય તંત્ર તૈનાત કરે તેવી અપેક્ષા છે. રાજ્ય આ કેમ ન કરી શક્યું તે અમે સમજી શકાતું નથી. તેમણે કહ્યું, 'ડોક્ટરો અને મહિલા ડોક્ટરોની સુરક્ષા રાષ્ટ્રીય હિતનો મુદ્દો છે અને સમાનતાનો સિદ્ધાંત પણ તે જ કહે છે.

પ્રિન્સિપાલ પર કર્યા સવાલ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે પ્રિન્સિપાલની ભૂમિકાની તપાસ ચાલી રહી છે, તો પછી તેમને તાત્કાલિક અન્ય કોલેજના પ્રિન્સિપાલ કેવી રીતે બનાવવામાં આવ્યા. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, 'CBIએ આ શનિવારે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવો પડશે અને તે સંવેદનશીલ સ્તર પર હોવાથી અમને પણ સ્ટેટસ વિશે જણાવવું પડશે. તે ફક્ત અમને જ આપવામાં આવે. કોર્ટે કહ્યું કે અમે એક ટાસ્ક ફોર્સની રચના કરી રહ્યા છીએ, જેમાં વિવિધ પૃષ્ઠભૂમિના ડૉક્ટર્સ હશે જેઓ સૂચનો આપશે, જેથી સુરક્ષા જળવાઈ રહે. તેમણે કહ્યું, 'અમે ડોકટરોને ફરી કામ શરૂ કરવાની અપીલ કરીએ છીએ. અમે ડૉક્ટરોને અપીલ કરીએ છીએ કે અમે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અહીં છીએ.

શું છે સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટના રોજ કોલેજના સેમિનાર હોલમાં 31 વર્ષીય ડોક્ટરની લાશ મળી આવી હતી. મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હતી, પરંતુ કોલકાતા હાઈકોર્ટ દ્વારા આ કેસ CBIને સોંપવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓટોપ્સી રિપોર્ટમાં પીડિતાના પ્રાઈવેટ પાર્ટ સહિત શરીરના ઘણા ભાગો પર 14થી વધુ ઈજાઓ જોવા મળી હતી. પોલીસે સંજય રોય નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે. આ ઘટના બાદ દેશભરમાં ડોક્ટરોનું પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. ઘણા ડૉક્ટર જૂથો સરકાર પાસે આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કાયદો ઘડવાની માંગ કરી રહ્યા હતા. તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હોસ્પિટલોમાં સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો:  Kolkata Doctor Murder Case પર પદ્મ પુરસ્કાર વિજેતાઓએ PM મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : અત્યાર સુધી આટલા DNA થયા મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી

featured-img
ગુજરાત

Ahmedabad Plane Crash : આવતીકાલે એક દિવસીય રાજકીય શોક, રાજકોટમાં આ માર્ગ રહેશે બંધ, વાંચો વિગત

featured-img
Top News

PM Modi : પીએમ મોદી સાયપ્રસ પહોંચ્યા, રાષ્ટ્રપતિ નિકોસે એરપોર્ટ પર લાલ જાજમ બિછાવી કર્યુ સ્વાગત

featured-img
Top News

Israel Iran News : 'ઈઝરાયલે પહેલા હુમલા બંધ કરવા જોઈએ, અમે...', શું ઈરાને શરણાગતિ સ્વીકારી લીધી છે?

featured-img
Top News

Gujarat Rain : સુરતમાં પ્રથમ વરસાદે ખોલી SMCની પ્રિમોન્સૂન કામગીરીની પોલ, પાણી ભરાતા લોકોને ભારે હાલાકી

featured-img
Top News

Pune : ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 30 લોકોના ડૂબી જવાની આશંકા, બે મૃતદેહ મળી આવ્યા

×

Live Tv

Trending News

.

×