Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kedarnath Dham : શિવ ભક્તો માટે સારા સમાચાર,આ તારીખે ખુલશે કેદારનાથ મંદિરના દ્વાર

Kedarnath Dham : ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત 11મા જ્યોતિર્લિંગ કેદારનાથ ધામના (Kedarnath Dham) દરવાજા ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. લાંબી પ્રતીક્ષા પછી, આજે ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં મહા શિવરાત્રી (Maha Shivratri 2024) નો દિવસ જાહેર કરવામાં આવ્યો છે, જે...
kedarnath dham   શિવ ભક્તો માટે સારા સમાચાર આ તારીખે ખુલશે કેદારનાથ મંદિરના દ્વાર

Kedarnath Dham : ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત 11મા જ્યોતિર્લિંગ કેદારનાથ ધામના (Kedarnath Dham) દરવાજા ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. લાંબી પ્રતીક્ષા પછી, આજે ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં મહા શિવરાત્રી (Maha Shivratri 2024) નો દિવસ જાહેર કરવામાં આવ્યો છે, જે હજારો લોકો દ્વારા જોવા મળ્યો હતો. કેદારનાથના દ્વાર શુક્રવારે 10 મેના રોજ સવારે 7 વાગ્યે ભક્તો માટે ખુલ્લુ  મૂકવામાં આવશે . રુદ્રપ્રયાગ સ્થિત કેદારનાથ ધામના દરવાજા વર્ષમાં 6 મહિના બંધ રહે છે. આવી સ્થિતિમાં, જ્યારે કેદારનાથ ધામમાં 6 મહિનાની પૂજા થાય છે, ત્યારે ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં શિયાળાની ઋતુની પૂજા કરવામાં આવે છે. મધ્યમહેશ્વરની ડોલી પણ અહીં બિરાજે છે. દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે વેદ વાચકો દ્વાર ખોલવાની તારીખ જાહેર કરે છે.

Advertisement

કેવી રીતે નક્કી કરાય છે તારીખ?

Advertisement

ઉલ્લેખનીય છે કે ઉખીમઠમાં આવેલા પંચ કેદાર શીતકાલીન ગાદી સ્થળ ઓમ્કારેશ્વર મંદિરમાં પંચાગ ગણતરી બાદ તિથિની જાહેરાત કરવામાં આવી હતી. નક્કી થયું કે કેદારનાથના કપાટ 10 મેના રોજ સવારે 7 વાગ્યે ખોલી દેવામાં આવશે. મહાશિવરાત્રિનો પર્વ સમગ્ર દેશમાં ઉજવાય છે. દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ પણ ઉમટી રહી છે.

Advertisement

ઓમકારેશ્વર મંદિરના પૂજારી શિવ શંકરે કહ્યું કે, અક્ષય તૃતીયાના દિવસે 10 મેના રોજ તમામ શ્રદ્ધાળુઓ માટે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવશે. 5 મેના રોજ ભૈરવનાથજીની પૂજા કરવામાં આવશે અને 6 મેના રોજ બાબા કેદારની પંચમુખી મૂર્તિ શ્રીઓમકારેશ્વર મંદિરથી પાલખીમાં કેદારનાથ ધામ તરફ પ્રસ્થાન કરશે. આ દિવસે વિશ્વનાથ મંદિર ગુપ્તકાશીમાં પંચમુખી ડોલી વિશ્રામ કરશે. 7 મેના રોજ રાત્રી આરામ માટે ટ્રોલી ફાટા પહોંચશે. 8મીએ રાત્રી વિશ્રામ માટે પંચમુખી ડોલી ફાટાથી ગૌરીકુંડ પહોંચશે. 9 મેના રોજ પંચમુખી ડોલી ગૌરીકુંડથી કેદારનાથ ધામ પહોંચશે અને શુક્રવારે 10 મેના રોજ સવારે 7 કલાકે શ્રી કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે દર્શન માટે ખુલ્લુ મુકાશે.

ચાર ધામોમાંથી એક બદ્રીનાથના દરવાજા ખોલવાની તારીખ સદીઓથી ચાલી આવતી પરંપરા અનુસાર નક્કી કરવામાં આવે છે. અહીં દર વર્ષે બસંત પંચમીના દિવસે ટિહરીના શાહી દરબારના પૂજારી રાજાની કુંડળીમાં ગ્રહોની સ્થિતિની ગણતરી કરીને તારીખ નક્કી કરે છે. અહીં, રાજાશાહી સમયથી, ધામની વ્યવસ્થા અને મંદિર ખોલવા અને બંધ કરવાની જાહેરાત મહેલમાંથી કરવામાં આવે છે. આ વર્ષે બદ્રીનાથ ધામના દ્વાર 12મી મેના રોજ સવારે 6 વાગ્યે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવશે.

આ  પણ  વાંચો  - Maha Shivratri : મહાશિવરાત્રીનો પાવન પર્વ, વહેલી સવારથી શિવજીના દર્શને ઉમટ્યા ભક્તો

આ  પણ  વાંચો - Bhavnath Mela : ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર

Tags :
Advertisement

.