Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu & Kashmir: ગાંદરબલમાં આતંકવાદી હુમલો,શ્રમીકોના 2ના મોત

જમ્મુ-કાશ્મીરનાસોનમર્ગ વિસ્તારમાં આતંકવાદી હુમલો હુમલામાં બે બિન-કાશ્મીરી મજૂરોના મોત પોલીસ અને સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું Jammu & Kashmir:જમ્મુ-કાશ્મીર(Jammu & Kashmir)ના ગાંદરબલના સોનમર્ગ વિસ્તારમાં આતંકવાદી હુમલા(Terrorist attack)માં બે બિન-કાશ્મીરી મજૂરોના મોત થયા છે જ્યારે બે અન્ય ઘાયલ હોવાનું કહેવાય...
jammu   kashmir  ગાંદરબલમાં આતંકવાદી હુમલો શ્રમીકોના 2ના મોત
  • જમ્મુ-કાશ્મીરનાસોનમર્ગ વિસ્તારમાં આતંકવાદી હુમલો
  • હુમલામાં બે બિન-કાશ્મીરી મજૂરોના મોત
  • પોલીસ અને સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

Jammu & Kashmir:જમ્મુ-કાશ્મીર(Jammu & Kashmir)ના ગાંદરબલના સોનમર્ગ વિસ્તારમાં આતંકવાદી હુમલા(Terrorist attack)માં બે બિન-કાશ્મીરી મજૂરોના મોત થયા છે જ્યારે બે અન્ય ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટના બાદ પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

Advertisement

બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલના સોનમર્ગમાં આતંકવાદી હુમલો થયો છે, જેમાં બે બિન-કાશ્મીરી મજૂરોના મોત થયા છે જ્યારે બે ઘાયલ હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાના ગુંડ વિસ્તારમાં સુરંગના નિર્માણ પર કામ કરી રહેલી ખાનગી કંપનીના કેમ્પમાં કામદારો પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે બે અન્ય ઘાયલ થયા છે.

Advertisement

સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા હતા

"આતંકવાદીઓએ ગગનગીરમાં બિન-જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓ પર હુમલો કર્યો, જેમાં બે મજૂરોના મોત થયા અને ત્રણ અન્ય ઘાયલ થયા," એક અધિકારીએ જણાવ્યું હતું. સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓને ઘેરી લીધા છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે આ વિસ્તારમાં મોટા પાયે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

Advertisement

આ પણ  વાંચો -RJD એ ઉમેદવારોની યાદી જાહેર કરી, NDA ગઠબંધન માથી કોણ લડશે?

મુખ્યમંત્રીએ હુમલાની આકરી નિંદા કરી હતી

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમએ કહ્યું કે સોનમર્ગ વિસ્તારના ગગનગીરમાં બિન-સ્થાનિક મજૂરો પર થયેલા કાયરતાપૂર્ણ હુમલા વિશે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. આ કામદારો આ વિસ્તારમાં એક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ આતંકી હુમલામાં 2 લોકોના મોત થયા છે અને 2-3 લોકો ઘાયલ થયા છે. હું નિઃશસ્ત્ર અને નિર્દોષ લોકો પરના આ હુમલાની સખત નિંદા કરું છું અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

આ પણ  વાંચો -PM Modi વારાણસીના પ્રવાસે, 6,100 કરોડની આપી ભેટ,જાણો શું કહ્યું

સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ: કારા

જેપીસીસીના વડા તારિક કરાએ પણ બિન-સ્થાનિક મજૂરો પરના હુમલાની નિંદા કરી છે. તેમણે આ ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ વાતાવરણને બગાડશે અને નિર્દોષ મજૂરો પર આવા ક્રૂર હુમલાઓને રોકવા માટે સરકારને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી. કરાએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી.

Tags :
Advertisement

.