india vs pak : પાકિસ્તાનના સેના પ્રમુખના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ
- પાકિસ્તાનના સેના પ્રમુખ નિવેદન
- કાશ્મીર ઇસ્લામાબાદના ગળાની નસ છે
- ભારતે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી
- પ્રવક્તા રણધીર જયસ્વાલે જડબાતોડ જવાબ
India On Pak Army chief Remarks: પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરે બુધવારે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે,કાશ્મીર(Asim Munir Kashmir) ઇસ્લામાબાદના ગળાની નસ છે. ભારતે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે.ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો અને કહ્યું કે,'કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને પાકિસ્તાનને તેની સાથે કોઈ લેવાદેવા નથી.'
વિદેશ મંત્રાલયના પ્રવક્તા શું કહ્યું
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'પાકિસ્તાનનો કાશ્મીર પ્રત્યે એકમાત્ર સંબંધ ગેરકાયદેસર રીતે કબજે કરેલા પ્રદેશને ખાલી કરવાનો છે. કોઈ વિદેશી વસ્તુ ગળાની નસ કેવી રીતે હોઈ શકે?' ભારતીય વિદેશ મંત્રાલયનું આ નિવેદન પાકિસ્તાનના તે વલણ પર જોરદાર હુમલો છે જેમાં તે કાશ્મીરને પોતાનો ભાગ ગણાવી રહ્યું છે.
આ પણ વાંચો -Waqf Act : યોગી સરકારની મોટી કાર્યવાહી, 58 એકર વકફ જમીન કરાવી મુક્ત
પાક જનરલ અસીમે શું કહ્યું
જનરલ અસીમ મુનીરે પાકિસ્તાની યુવાનોને દેશની 'કહાની' યાદ અપાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'આપણા પૂર્વજો માનતા હતા કે આપણે હિન્દુઓથી અલગ છીએ, આપણા વિચારો, ધર્મ અને પરંપરાઓ અલગ છે. આ બે રાષ્ટ્ર સિદ્ધાંતનો પાયો છે. પાકિસ્તાનની દરેક પેઢીએ દેશની રક્ષા માટે બલિદાન આપ્યું છે અને આવનારી પેઢીઓએ પણ પાકિસ્તાનની વાસ્તવિકતા સમજવી જોઈએ. તેમના ભાષણનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં રાષ્ટ્રવાદી ભાવના જગાડવાનો હતો, પરંતુ તેમના કાશ્મીર નિવેદનથી ભારતમાં ગુસ્સો ભડકી ઉઠ્યો.'
આ પણ વાંચો -SupremeCourt : વકફ બોર્ડમાં કોઇ નવી નિયક્તિ નહી, ન પ્રોપર્ટી ડિનોટિફાઇ થશે... કેન્દ્રનું SC ને આશ્વાસન
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે: વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે. તહવ્વુર રાણાના પ્રત્યાર્પણથી ફરી એકવાર સાબિત થાય છે કે દેશ હજુ પણ 26/11ના ગુનેગારોને આશ્રય આપી રહ્યો છે. શરમજનક વાત છે કે પાકિસ્તાન 26/11 ના બાકીના ગુનેગારોને સજા આપવા માટે આગળ આવી રહ્યું નથી.
ભારત-ચીને હવાઈ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો: વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ભારત અને ચીને પરસ્પર સંમતિથી હવાઈ ફ્લાઇટ્સ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશોની ટેકનિકલ ટીમો ટેકનિકલ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વિદેશ સચિવની ચીન મુલાકાત દરમિયાન પણ આ મુદ્દા પર ચર્ચા થઈ હતી.