Gyanvapi Case : વારાણસી કોર્ટનો મોટો નિર્ણય,બંને પક્ષકારોને અપાશે રિપોર્ટની હાર્ડ કોપી
Gyanvapi Mosque Case : વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો (Gyanvapi Mosque Case) ત્રણ મહિનાનો ASI રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે. વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટે બુધવારે આ સંદર્ભમાં આદેશ આપતા કહ્યું કે રિપોર્ટની નકલ હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષકારોને આપવામાં આવશે. ASIએ 18 ડિસેમ્બરે કોર્ટમાં સીલબંધ પરબિડીયામાં રિપોર્ટ દાખલ કર્યો હતો. હિંદુ પક્ષે તે જ સમયે રિપોર્ટ સબમિટ કરવાની માંગ કરી હતી પરંતુ મુસ્લિમ પક્ષના વાંધાઓ અને ASI ટીમના ચાર અઠવાડિયા સુધી રાહ જોવાના આગ્રહને કારણે રિપોર્ટ હજુ સુધી જાહેર થઈ શક્યો નથી.
ASI રિપોર્ટની હાર્ડ કોપી બંને પક્ષકારોને આપવામાં આવશે
જ્ઞાનવાપી (Gyanvapi Mosque Case) મુદ્દે આજે વારાણસીની જિલ્લા અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે આજે અદાલતે બંને પક્ષકારોને સાંભળ્યા હતા અને સર્વસંમતિ પર વાત થઇ હતી કે ASI રિપોર્ટની હાર્ડ કોપી બંને પક્ષકારોને આપવામાં આવશે. વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, ASIએ ઈમેલ દ્વારા રિપોર્ટ આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેથી, બંને પક્ષો રિપોર્ટની હાર્ડ કોપી મેળવવા માટે સંમત થયા.
#WATCH | Gyanvapi case | Advocate Vishnu Shankar Jain, representing the Hindu side, says, "The court listened to both sides today. After hearing both sides, an agreement was reached that a certified copy of ASI's report be made available to both sides. As soon as the court passes… pic.twitter.com/q5E1hWL2oS
— ANI (@ANI) January 24, 2024
હિન્દુ પક્ષ ટૂંક સમયમાં અરજી કરશે
હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે ASI રિપોર્ટની પ્રમાણિત નકલ હિન્દુ અને મુસ્લિમ પક્ષોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમારી કાનૂની ટીમ ટૂંક સમયમાં પ્રમાણિત નકલ માટે કોર્ટમાં અરજી કરશે.અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મનીષ કુમાર નિગમે બુધવારે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વજુખાનાના સર્વેક્ષણના ઇનકાર અંગે વારાણસી કોર્ટના આદેશ સામેની અરજીની સુનાવણીથી પોતાને અલગ કરી લીધા હતા. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સુનાવણી માટે અન્ય ન્યાયાધીશની નિમણૂક કરવા માટે કેસને મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં મોકલવામાં આવશે. કોર્ટે આગળની કાર્યવાહી માટે 31 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. આ રિવિઝન પિટિશન રાખી સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે જેઓ શૃંગાર ગૌરી પૂજાના દાવાઓમાંના એક છે.
#WATCH | Ghaziabad, Uttar Pradesh | On the Gyanvapi case, Advocate Hari Shankar Jain, says, "A lot of objections were raised that do not make the (ASI) report public...Today, the Court heard both sides and decided to make the report available to both parties. The report will be… pic.twitter.com/8R82t201GH
— ANI (@ANI) January 24, 2024
જિલ્લા અદાલતે આ દલીલને ફગાવી દીધી હતી
વારાણસી કોર્ટે 21 ઓક્ટોબર, 2023 ના રોજના તેના આદેશમાં રાખી સિંહની દલીલને ફગાવી દીધી હતી કે કથિત શિવલિંગને બાદ કરતા વજુખાનાનું સર્વેક્ષણ, વિવાદિત મિલકતના ધાર્મિક પાત્રને નક્કી કરવા માટે જરૂરી છે. જો કે, રાખી સિંહની અરજીને ફગાવી દેતા જિલ્લા ન્યાયાધીશે પોતાના આદેશમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 17 મે, 2022ના તેના આદેશમાં તે વિસ્તારને સાચવવાનો આદેશ આપ્યો હતો જ્યાં કથિત રીતે શિવલિંગ મળી આવ્યું હતું. જિલ્લા ન્યાયાધીશના આદેશ મુજબ, તેથી, એએસઆઈને વિસ્તારના સર્વેક્ષણ માટે નિર્દેશ આપવાનું યોગ્ય નથી કારણ કે તે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરશે.
આ પણ વાંચો - ‘INDIA’ ગઠબંધન ગયું સમજો! મમતાએ એકલા ચૂંટણી લડવાનું એલાન કર્યું