ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ડર! POKમાં આતંકીઓએ લોન્ચ પેડ કર્યા ખાલી

ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ડર POKમાં આતંકીઓએ લોન્ચ પેડ કર્યા ખાલી કાર્યવાહી બાદ આતંકીઓ દોડતા થયા   Terror Launch Pad In POK : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહી શરૂ થતાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (POK) આતંકવાદીઓ દોડતા થયા છે. POKમાંથી...
06:26 PM Apr 28, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Terror Launch Pad In POK

 

Terror Launch Pad In POK : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહી શરૂ થતાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (POK) આતંકવાદીઓ દોડતા થયા છે. POKમાંથી લોન્ચ પેડ દૂર કરીને(Terror Launch Pad In POK ) સૈન્ય આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને કહ્યું છે કે તેઓ સેનાના આશ્રયસ્થાનોમાં જાય અથવા બંકરોમાં છુપાઈ જાય. પીઓકેમાં સ્થિત તમામ લોન્ચ પેડ ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

ઘણા વિસ્તારોમાં આતંકવાદીઓ સક્રિય

સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ POK સ્થિત લોન્ચ પેડ્સમાંથી ગાઈડ્સની મદદથી જમ્મુ અને કાશ્મીર સરહદમાં પ્રવેશ કરે છે. તાજેતરમાં, ભારતીય સુરક્ષા એજન્સીઓએ કેટલાક લોન્ચ પેડ્સ શોધી કાઢ્યા છે, જ્યાંથી આતંકવાદીઓને ખસેડવામાં આવી રહ્યા છે. સૂત્રો જણાવી રહ્યા છે કે કેલ, સરડી, દુધનિયાલ, અથમુકામ, જુરા, લિપા, પચીબન, ફોરવર્ડ કહુતા, કોટલી, ખુઇરત્તા, મંધર, નિકેલ, ચમનકોટ અને જનકોટમાં કેટલાક લૉન્ચ પેડ છે, જ્યાં આતંકવાદીઓ હંમેશા હાજર રહે છે.

આ પણ  વાંચો -Rafale-M Fighter Jet Deal: દુશ્મન દેશ પર કાળ બનીને ત્રાટકશે રાફેલ M ફાઇટર જેટ, ખાસિયતો એકેએકથી ચડિયાતી

સ્થાનિક લોકોની ચિંતા વધી ગઈ

બીજી તરફ સરહદ પર તણાવ વચ્ચે કાશ્મીરમાં LoC નજીક રહેતા લોકોએ પણ પોતાની સુરક્ષા માટે વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. થોડા વર્ષોની સામાન્યતા અને શાંતિ પછી, નિયંત્રણ રેખા (LoC) નજીક રહેતા લોકોમાં તણાવ અને અનિશ્ચિતતા પરત આવી છે. ખાસ કરીને પીઓકેમાં ભારતીય સૈન્ય કાર્યવાહીની ચેતવણીઓ પછી સ્થાનિક લોકોની ચિંતા વધી ગઈ છે. પહેલગામ હુમલા પછી ગોળીબારની ઘટનાઓ ફરી સામાન્ય બની ગઈ હોવાથી કુપવાડાના નિયંત્રણ રેખાના કેરન, માછિલ, તંગધાર વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનું વાતાવરણ છે.

આ પણ  વાંચો -Pahalgam Terror Attack અંગે છલકાયું CM Omar Abdullah નું દર્દ

ભારતીય સેનાએ દરેક ઘટનાનો ઝડપી અને અસરકારક રીતે જવાબ આપ્યો

પોતાની સલામતી માટે લોકો હવે આશ્રયસ્થાનો ખોલી રહ્યા છે અને તેને સાફ કરવાનું પણ શરૂ કરી દીધું છે, જેથી જો પરિસ્થિતિ વધુ વણસે તો લોકો પોતાનો જીવ બચાવી શકે. પાકિસ્તાન છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ અને કાશ્મીરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને પહેલગામ હુમલા પછી પાકિસ્તાન તરફથી આ ઉલ્લંઘનો સામાન્ય બની ગયા છે. એપ્રિલ 2025 સુધી નોંધાયેલી ઘટનાઓને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પરના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણી તરીકે જોવામાં આવી રહી છે. ભારતીય સેનાએ દરેક ઘટનાનો ઝડપી અને અસરકારક રીતે જવાબ આપ્યો છે, જેમાં નાગરિકો પર ઓછામાં ઓછી અસર થઈ છે.

Tags :
Pakistan ArmyTerror Launch Pad In POKTerrorist BunkersTerrorists In Army Shelters