Farmers Protest Stopped: ખેડૂત સંગઠનએ જાહેર કર્યો મોટો નિર્ણય, 29 ફેબ્રુ. સુધી આંદોલન સ્થગિત
Farmers Protest Stopped: એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ ખેડૂતોનું આંદોલન (Farmers Protest) અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
- 4 બેઠકમાં પણ માંગને લઈને નિરાકરણ ન આવ્યું
- 24 મી ફેબ્રુ. એ અમે Candle March કાઢીશું
- ફરી ખેડૂત સંગઠનો 27 ફેબ્રુ. બેઠક યોજશે
4 બેઠકમાં પણ માંગને લઈને નિરાકરણ ન આવ્યું
ખેડૂતોએ તેમની માંગને લઈને કેન્દ્ર સરકાર (Central Government) સાથે 4 વખત બેઠક યોજી છે. તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. તે ઉપરાંત આ 4 બેઠક કોઈ નિરાકરણ ન આવતા. કેન્દ્ર સરકાર (Central Government) ની સામે ખેડૂતોએ ફરી એક વાર દિલ્હી ચલો આંદોલન (Delhi Chalo) જાહેર કર્યું હતું. ત્યારે અગાઉના દિવસોમાં એવું સામે આવી રહ્યું હતું કે, ખેડૂતોએ દિલ્હી પહોંચવા (Delhi Chalo) માટે અડગ મન બનાવી લીધી છે.
24 મી ફેબ્રુ. એ અમે Candle March કાઢીશું
પરંતુ ખેડૂતોએ દિલ્હી ચલો આંદોલન (Delhi Chalo) માર્ચ 29 ફેબ્રુ. સુધી સ્થગિત કરી દીધું છે. ખેડૂત સંગઠન (Farmers Union) ના નેતા સરબન સિંહ પંઢેરે ખનૌરી બોર્ડર (Bhanauri Border) પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આગળની રણનીતિ 29 ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવશે અને “અમે બધા દુઃખી છીએ ક, અમે અમારા યુવા ખેડૂત શુભકરણ સિંહને ગુમાવ્યા છે. અમે નક્કી કર્યું છે કે આવતીકાલે એટલે કે 24 મી ફેબ્રુ. એ અમે Candle March કાઢીશું.
ફરી ખેડૂત સંગઠનો 27 ફેબ્રુ. બેઠક યોજશે
ખેડૂત નેતા સરબન સિંહ પંઢેરે કહ્યું કે આવતીકાલે અમે બંને સરહદો પર Candle March કરીશું. 27 મી ફેબ્રુ. એ ખેડૂત યુનિયનો (Farmers Union) ની બેઠક યોજાશે. WTO ખેડૂતો માટે કેટલું ખરાબ છે તેની ચર્ચા કરવા માટે અમે કૃષિ ક્ષેત્રના બૌદ્ધિકોને બોલાવીશું. અમે 27 ફેબ્રુ. એ ખેડૂત સંગઠનો (Farmers Union) ની બેઠક યોજીશું. 29 મી ફેબ્રુ. એ આંદોલન માટે તેમના આગામી પગલાની જાહેરાત કરશે.
આ પણ વાંચો: IRCTC E-catering Portal: IRCTC સાથે થઈ Swiggy ની ભાગીદારી, હવે… ટ્રેનમાં મુસાફરોને ફૂડ ડીલીવરી મળશે