Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉજ્જડ રસ્તાઓ, બંધ બજારો, મૌનનું દ્રશ્ય...આજના દિવસે લાદવામાં આવ્યો હતો જનતા કર્ફ્યુ, જાણો એ ડરામણા દિવસની કહાની

22 માર્ચ, 2020 ના રોજ, કોરોના મહામારીના કારણે દેશમાં 'જનતા કર્ફ્યુ' લાદવામાં આવ્યો હતો. બે દિવસ પછી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી
ઉજ્જડ રસ્તાઓ  બંધ બજારો  મૌનનું દ્રશ્ય   આજના દિવસે લાદવામાં આવ્યો હતો જનતા કર્ફ્યુ  જાણો એ ડરામણા દિવસની કહાની
Advertisement
  • કોરોના મહામારીના કારણે દેશમાં 'જનતા કર્ફ્યુ' લાદવામાં આવ્યો હતો
  • લોકોને એક સાથે આવવા અને કટોકટીનો સામનો કરવાનો સંદેશ આપ્યો
  • કોરોના દરમિયાન લાદવામાં આવેલ લોકડાઉન ઘણા મહિનાઓ સુધી ચાલ્યું

Janata curfew : 22 માર્ચ, 2020 ના રોજ, કોરોના મહામારીના કારણે દેશમાં 'જનતા કર્ફ્યુ' લાદવામાં આવ્યો હતો. બે દિવસ પછી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, જેણે ઘણા મહિનાઓ સુધી જીવનની ગતિને અટકાવી દીધી હતી અને લોકોને એક સાથે આવવા અને કટોકટીનો સામનો કરવાનો સંદેશ આપ્યો હતો.

Advertisement

કોરોના મહામારીના પ્રકોપ

આજે એટલે કે 22મી માર્ચનો દિવસ ઈતિહાસમાં નોંધાયેલો છે, વર્ષ 2020માં આ દિવસે ભારતમાં કોરોના મહામારીના પ્રકોપને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને જનતા કર્ફ્યુ નામ આપ્યું હતુ. બે દિવસ પછી, 24 માર્ચે, દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું. લોકડાઉન પછી જાણે જીવનની ગતિ થંભી ગઈ હોય તેમ દુર દુર સુધી નિર્જન રસ્તાઓ, બંધ બજારો અને દુકાનો, દૂર દૂર સુધી માત્ર મૌનનું દ્રશ્ય... કોરોના દરમિયાન લાદવામાં આવેલ આ લોકડાઉન ઘણા મહિનાઓ સુધી ચાલ્યું.

Advertisement

PM મોદીએ જાહેરાત કરી હતી

કોવિડ-19 મહામારીને રોકવા માટે સરકારે આ મોટું પગલું ભર્યું હતું. 19 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી પર આવીને 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુનું પાલન કરવાની લોકોને અપીલ કરી હતી. તેનો હેતુ લોકોને સામાજિક અંતર જાળવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. જેથી આ વાયરસના ફેલાવાની ગતિ ઘટાડી શકાય. દેશભરના લોકોએ તેને ટેકો આપ્યો. શેરીઓમાં શાંતિ હતી. સરકારે બે દિવસ પછી, એટલે કે 24 માર્ચે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી.

Advertisement

જનતા કર્ફ્યુ શા માટે લાદવામાં આવ્યો?

19 માર્ચ, 2020 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમણે લોકોને 22 માર્ચે 'જનતા કર્ફ્યુ'નું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં રહેવું જોઈએ. આવશ્યક સેવાઓમાં કામ કરતા લોકોએ જ બહાર જવું જોઈએ. આ એટલા માટે કરવામાં આવ્યું હતું જેથી વાયરસનો ફેલાવો ઘટાડી શકાય. આને ભવિષ્યના લોકડાઉનની તૈયારી તરીકે પણ જોવામાં આવતું હતું.

આ પણ વાંચો :  સાવધાન! રસ્તા પર પક્ષીઓને દાણા નાંખ્યા તો...આ શહેરમાં નવો નિયમ લાગુ

આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા લોકોના માનમાં તાળીઓ અને થાળીઓ

22 માર્ચ 2020 ના રોજ, 'જનતા કર્ફ્યુ' ને દેશભરના લોકોનો ઘણો ટેકો મળ્યો. રસ્તાઓ ખાલી હતા, દુકાનો, ઓફિસો અને જાહેર પરિવહન બધું બંધ હતું. લોકોએ સ્વેચ્છાએ પોતાના ઘરમાં રહીને આ પહેલને સફળ બનાવી. વડાપ્રધાન મોદીએ લોકોને વધુ એક વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ સાંજે 5 વાગ્યે તેમના ઘરની બાલ્કની અથવા દરવાજા પર ઊભા રહી તાળીઓ પાડીને, થાળી વગાડીને અથવા ઘંટડી વગાડીને આરોગ્ય સેવાઓ અને આવશ્યક કાર્યમાં રોકાયેલા લોકોનો આભાર માનો. લોકોએ તેમની વાત સાંભળી અને ખૂબ જ ઉત્સાહથી તાળીઓ પાડી અને થાળીઓ વગાડી.

જનતા કર્ફ્યુ પછી લોકડાઉન લાદવામાં આવ્યું

જનતા કર્ફ્યુ બાદ સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો હતો. 24 માર્ચ 2020 ના રોજ દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉન 25 માર્ચથી શરૂ થયું હતું અને 21 દિવસ સુધી ચાલ્યું હતું. તેનો હેતુ વાયરસને ફેલાતો અટકાવવાનો પણ હતો.

જનતા કર્ફ્યુએ મહામારી સામે સાથે મળીને લડવાનો સંદેશ આપ્યો

'જનતા કર્ફ્યુ'એ દેશને મહામારી સામે સાથે મળીને લડવાનો સંદેશ આપ્યો. આનાથી લોકોને ભવિષ્યની મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવ્યા. લોકડાઉન દરમિયાન કેવી રીતે જીવવું તે અંગે તે એક પ્રકારની પ્રેક્ટિસ હતી. કોરોના દરમિયાન લોકોએ એકબીજાને ટેકો આપ્યો. ડોકટરો, નર્સો અને સફાઈ કર્મચારીઓ જેવા લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાઓને મદદ કરી. 'જનતા કર્ફ્યુ' અને લોકડાઉને આપણને શીખવ્યું કે મુશ્કેલ સમયમાં એકતામાં રહેવું કેટલું મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : PM Modi ના 3 વર્ષના વિદેશના પ્રવાસમાં થયો અધધધધ કરોડનો ખર્ચ

Tags :
Advertisement

Trending News

.

×