Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોર્ટની મોટી રાહત, Delhi રમખાણોનો કથિત માસ્ટરમાઇન્ડ ઉમર ખાલિદને મળ્યા જામીન

ઉમર ખાલિદને 7 દિવસના વચગાળાના જામીન પરિવારના લગ્નમાં હાજરી માટે 7 દિવસના જામીન Delhi ની કરકરડૂમા કોર્ટમાંથી મળ્યા વચગાળાના જામીન રાજધાની દિલ્હી (Delhi)ના રમખાણોમાં ષડયંત્રના આરોપમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને કોર્ટે મોટી રાહત આપી છે. દિલ્હી (Delhi)ની કરકરડૂમા...
કોર્ટની મોટી રાહત  delhi રમખાણોનો કથિત માસ્ટરમાઇન્ડ ઉમર ખાલિદને મળ્યા જામીન
Advertisement
  • ઉમર ખાલિદને 7 દિવસના વચગાળાના જામીન
  • પરિવારના લગ્નમાં હાજરી માટે 7 દિવસના જામીન
  • Delhi ની કરકરડૂમા કોર્ટમાંથી મળ્યા વચગાળાના જામીન

રાજધાની દિલ્હી (Delhi)ના રમખાણોમાં ષડયંત્રના આરોપમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને કોર્ટે મોટી રાહત આપી છે. દિલ્હી (Delhi)ની કરકરડૂમા કોર્ટે ઉમર ખાલિદને 7 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. મળતી માહિતી મુજબ, ઉમર ખાલિદે તેના પિતરાઈ ભાઈ અને બહેનના લગ્નમાં હાજરી આપવા માટે 10 દિવસ માટે વચગાળાના જામીન માંગ્યા હતા. જોકે, કરકરડૂમા કોર્ટે ઉમર ખાલિદને 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી 7 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા.

Advertisement

કોણ છે ઉમર ખાલિદ?

ઉમર ખાલિદ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU), દિલ્હી (Delhi)નો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ઉમર ખાલિદ પર ફેબ્રુઆરી 2020 માં દિલ્હી (Delhi)માં થયેલા રમખાણોનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે, 2020 માં દિલ્હીમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)ના વિરોધ દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં 53 લોકો માર્યા ગયા અને 700 થી વધુ ઘાયલ થયા. દિલ્હી પોલીસે સપ્ટેમ્બર 2020 માં ખાલિદની ધરપકડ કરી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Bikaner ફાયરિંગ રેન્જમાં ભયાનક દુર્ઘટના, બે જવાનો શહીદ, એક ઘાયલ

ઉમર ખાલિદ પર શું છે આરોપ?

જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર દિલ્હી પોલીસે દિલ્હી (Delhi) રમખાણોમાં ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. ઉમર ખાલિદની ગેરકાનૂની ગતિવિધિ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ઉમર ખાલિદ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો, ટોળાં ભેગા કરવા, રાજદ્રોહ, ગુનાહિત કાવતરું અને અન્ય ઘણી કલમો હેઠળ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી છે.

આ પણ વાંચો : Maharashtra : મહાયુતિમાં દિગ્ગજે વધાર્યું ટેન્શન!

પોલીસે તપાસ કરી હતી...

નાગરિકતા કાયદામાં સુધારાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસા બાદ 24 ફેબ્રુઆરી 2020 ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સાંપ્રદાયિક અથડામણો ફાટી નીકળી હતી. આ પછી દિલ્હી  પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચે રમખાણો પાછળ કથિત ષડયંત્રના કેસમાં ઉમરની પૂછપરછ પણ કરી હતી. પોલીસે તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. 11 કલાકની પૂછપરછ બાદ ઉમર ખાલિદની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ ઉમર ખાલિદની ઘણી અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો : PM મોદીએ બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ કૉંગ્રેસના 4 ‘પાપ’ ગણાવ્યા

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

Sunita Williams ને અવકાશમાં કરેલા ઓવરટાઇમનો મળશે પગાર, ટ્રમ્પે કરી જાહેરાત

featured-img
આઈપીએલ

IPL 2025: 2008 થી અત્યાર સુધી IPL નો હિસ્સો રહેલા દિગ્ગજ ખેલાડીઓ કોણ?

featured-img
ગુજરાત

BZ Finance Scam: CID ક્રાઇમે સાત આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, 178 કરોડનું કૌભાંડ સામે આવ્યું

featured-img
રાષ્ટ્રીય

Kurukshetra માં મહાયજ્ઞ દરમિયાન પથ્થરમારો અને ગોળીબાર... 3 લોકો ઘાયલ, એકની હાલત ગંભીર

featured-img
રાષ્ટ્રીય

Delhi : શાહીન બાગમાં આવેલા જૂતાના શોરૂમમાં લાગી ભયાનક આગ!

featured-img
બિઝનેસ

Twitter નો આઇકોનિક બ્લુ બર્ડ લોગો વેચાઈ ગયો, જાણો કેટલી લાગી બોલી

Trending News

.

×