Delhi Fire : શાસ્ત્રી નગરમાં ચાર માળની બિલ્ડીંગમાં ભીષણ આગ, બે બાળકો સહિત ચાર લોકોના મોત
Delhi Fire : રાજધાની દિલ્હીના (Delhi Fire) શાસ્ત્રી નગરમાં ગીતા કોલોની (Geeta Colony ) વિસ્તાર (Street Number 13) માં એક ઘરની અંદર ગુરુવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. તમને જણાવી દઈએ કે જ્યાં આગની ઘટના બની તે એક રહેણાંક મકાન છે, જેમાં 4 માળ છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ છે. આગ પાર્કિંગ લોટમાંથી શરૂ થઈ હતી અને આખી ઈમારત ધુમાડામાં લપેટાઈ ગઈ હતી અને અત્યાર સુધીમાં કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે.
આ ઘટનામાં ઘાયલ કુલ 3 પુરૂષો, 4 મહિલાઓ અને 2 બાળકોને સારવાર માટે હેડગેવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જીવ ગુમાવનારાઓના નામમાં મનોજ (30), સુમન (28), રાકેશ અને છોકરાનો સમાવેશ થાય છે.
Watch: Four people, including two children, died while five others were rescued after a massive fire broke out at a four-storey residential building in Delhi’s Shastri Nagar area in the early morning. pic.twitter.com/y52bVdNaVL
— IANS (@ians_india) March 14, 2024
ફાયબ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે
પોલીસે કહ્યું કે અમને સવારે 05:20 વાગ્યે શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં ભીષણ આગ લાગવાની માહિતી મળી હતી. આ મામલે ફાયરબ્રિગેડને જાણકારી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ચાર ફાયરબ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ તથા પીસીઆર વાન ઘટનાસ્થળે મોકલી દેવાઈ હતી.
#WATCH | Delhi: DCP Shahdara Surendra Chaudhary says, "We received a phone call at Geeta Colony Police Station regarding a major fire in a house at approx 5:30am. Accordingly, local police, fire brigade, ambulance and PCR Vans rushed to the spot. 9 people were rescued and were… https://t.co/OMVHM8KoDf pic.twitter.com/5G2WPfYAE0
— ANI (@ANI) March 14, 2024
આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો . આ દરમિયાન દરેક માળે પણ સર્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Fighter Plane Crash : જેસલમેરમાં સેનાનું ફાઇટર વિમાન ક્રેશ
આ પણ વાંચો - UP : ગાઝીપુરમાં મોટી દુર્ઘટના, બસ પર હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયર પડતા 4 લોકોના મોત
આ પણ વાંચો - Ghazipur: બસ પર હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયર પડ્યો; 4 લોકોના મોત, આંકડો વધવાની આશંકા