Rajasthan Election : કોંગ્રેસના ઉમેદવારનું નિધન, હવે રાજસ્થાનની આ બેઠક પર ચૂંટણી નહીં થાય
રાજસ્થાનના કરણપુર વિસ્તારના ધારાસભ્ય ગુરમીત સિંહ કુન્નરનું નિધન થયું છે. કુન્નર લાંબા સમયથી બીમાર હતા અને રાજધાની દિલ્હીની AIIMSમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન બુધવારે સવારે તેનું મોત નીપજ્યું હતું. રાજસ્થાનમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને આ વખતે પણ ગુરમીત સિંહ કુન્નર શ્રીગંગાનગરની કરણપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા. જો કે તેમના અવસાન બાદ આ બેઠક પર 25 નવેમ્બરે ચૂંટણી યોજાશે નહીં.
પ્રદેશ પ્રમુખ અશોક ગેહલોતે ટ્વિટ કરીને પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય કુન્નરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, 'કરણપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગુરમીત સિંહ કુન્નરના નિધનના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. લાંબા સમયથી અસ્વસ્થ હોવા છતાં, કુન્નર હંમેશા તેમના વિસ્તારમાં વિકાસ કાર્યો માટે પ્રયત્નશીલ હતા. કુન્નર સાહેબનું અવસાન કોંગ્રેસ પાર્ટી અને રાજસ્થાનની રાજનીતિ માટે અપુરતી ખોટ છે. ભગવાન દિવંગતના આત્માને શાંતિ અને પરિવારને હિંમત આપે તેવી પ્રાર્થના કરું છું.
મળતી માહિતી મુજબ, ગુરમીત સિંહ કુન્નર લાંબા સમયથી બિમારીના કારણે દિલ્હીની એઈમ્સમાં સારવાર લઈ રહ્યા હતા. અહીં બુધવારે સવારે તેમનું અવસાન થયું અને ત્યારપછી તેમનો પરિવાર અંતિમ સંસ્કાર માટે તેમના મૃતદેહને લઈને તેમના વતન શ્રીગંગાનગર જવા રવાના થયો. કારણ કે ગુરમીત સિંહ કુન્નર આ વખતે પણ કરણપુર વિધાનસભા સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા અને હવે તેમનું નિધન થઈ ગયું છે, આ વખતે આ સીટ માટે અન્ય સીટોની સાથે 25મી નવેમ્બરે ચૂંટણી યોજાશે નહીં. મતલબ કે હવે રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી માત્ર 199 બેઠકો પર 25મી નવેમ્બરે મતદાન થશે અને ચૂંટણી પરિણામો 3જી ડિસેમ્બરે આવશે.
તમને જણાવી દઈએ કે 2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ રાજસ્થાનમાં 199 વિધાનસભા સીટો પર ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પહેલા અલવર જિલ્લાના રામગઢમાં બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર લક્ષ્મણ સિંહનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. જેના કારણે અહીં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.
આ પણ વાંચો -કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયેલ USA ના પ્રવાસે,ઉત્પાદનથી લઈ ડિલેવરી સુધીની મેળવી માહિતી