Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Farmer Protest: ખેડૂત આંદોલનમાં ફરજ પર તૈનાત પોલીસ કર્મીનું મોત, જાણો શું હતું કારણ...

Farmer Protest: ખેડૂત આંદોલન અત્યારે વધુ ઉગ્ર બની રહ્યું છે. આ ખેડૂત આંદોલનમાં પોલીસકર્મીઓના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે બુધવારે હરિયાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજય કુમારનું મોત થયું હતું. વિજય કુમાર ટોહાના સરહદ પર પોતાના...
farmer protest  ખેડૂત આંદોલનમાં ફરજ પર તૈનાત પોલીસ કર્મીનું મોત  જાણો શું હતું કારણ
Advertisement

Farmer Protest: ખેડૂત આંદોલન અત્યારે વધુ ઉગ્ર બની રહ્યું છે. આ ખેડૂત આંદોલનમાં પોલીસકર્મીઓના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે બુધવારે હરિયાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજય કુમારનું મોત થયું હતું. વિજય કુમાર ટોહાના સરહદ પર પોતાના સેવા આપી રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને થોડી જ વારમાં તેમનું મોત થઈ ગયું હતું. અત્યાર સુધીમાં ત્રણ પોલીસ કર્મીઓના મોત થયાની ખબર સામે આવી છે. પોલીસ મહાનિર્દેશકે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરજ પર હતા ત્યારે વિજય કુમારની તબિયત અચાનક બગડી હતી.

પોલીસ મહાનિર્દેશક શત્રુજીત કપૂરે શોક પ્રગત કર્યો

ઉલ્લેખનીય છે કે, સબ ઈન્સ્પેક્ટર વિજય કુમારને સત્વરે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં, પરંતુ તેમનો જીવ બચી શક્યો નહીં.આ ઘટના પર હરિયાણા પોલીસ મહાનિર્દેશક શત્રુજીત કપૂરે શોક પ્રગત કરતા કહ્યું કે, આ ઘટનાને લઈને હરિયાણા પોલીસ આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર સાથે છે. મળતી વિગતો પ્રમાણે સબ-ઇન્સ્પેક્ટર વિજય કુમાર 40 વર્ષના હતા અને હરિયાણામાં નૂહ ચોકી પર તૈનાત હતા. વિજય કુમારના અંતિમ સંસ્કાર રોહતકમાં થયા હતા. તમને જણાવી દઈએ કે વિજય કુમાર પહેલા બે પોલીસકર્મીઓના મોત થયા હતા.

Advertisement

આંદોલન દરમિયાન ખનૌરી બોર્ડર પર પ્રદર્શનકારીનું મોત

આ સાથે અન્ય પોલીસકર્મીઓની વાત કરવામાં આવે તો, 16 ફેબ્રુઆરીએ તૈનાત જીઆરપી સબ-ઇન્સ્પેક્ટર હીરાલાલની તબિયત પણ અચાનક બગડી હતી. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. આ પછી 20 ફેબ્રુઆરીએ અંબાલાની શંભુ બોર્ડર પર ખરાબ તબિયતના કારણે ESI કૌશલ કુમારનું પણ અચાનક અવસાન થયું. તમને જણાવી દઈએ કે ખેડૂતોએ દિલ્હી કૂચનો કાર્યક્રમ બે દિવસ માટે સ્થગિત કરી દીધો છે. જો કે 22મી ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યા પછી હાઇવે બ્લોક કરી દેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 21 ફેબ્રુઆરીએ ખેડૂતોના આંદોલન દરમિયાન ખનૌરી બોર્ડર પર એક પ્રદર્શનકારીનું મોત થયું હતું.

Advertisement

આ પણ વાંચો: Mumbai ના કલ્યાણ રેલવે સ્ટેશન પાસે 1-2 નહીં પરંતુ 54 ડિટોનેટર મળ્યા, શું હતું કાવતરું?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Plane crash :અમદાવાદ પ્લેન ક્રેશમાં મુંબઈનો પરિવાર વિખેરાયો, 4 લોકોએ જીવ ગુમાવ્યા

featured-img
Top News

Ahmedabad plane crash : 10x10 ના ઘરમાં એરહોસ્ટેસનું સપનું જોયું પણ....

featured-img
રાષ્ટ્રીય

Punjab : પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ, કોઈ જાનહાનિ નહીં

featured-img
Top News

વર્ષ 2025 ના પ્રથમ 6 મહિના ભારે રહ્યા, 6 મોટી ઘટનાએ હચમચાવ્યા

featured-img
રાષ્ટ્રીય

Safest Airlines In India : ભારતની સૌથી સલામત એરલાઇન કઈ? જાણો કઈ એરલાઇન પાસે કેટલા વિમાનો

featured-img
અમદાવાદ

Air India Plane crash incident : PM મોદી આજે આવશે અમદાવાદ, સિવિલમાં ઈજાગ્રસ્તોને મળશે

×

Live Tv

Trending News

.

×