Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Covid-19: ભારતમાં કોરોના કેસમાં વધ-ઘટ યથાવત, 24 કલાકમાં સામે આવ્યાં આટલા નવા કેસ

Covid-19: ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના 609 નવા કેસો સામે આવ્યા છે અને 3,368 જેટલા દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે જેની સંખ્યા સતત વધારો પણ થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે આ જાણકારી આપવામાં આવી હતી. આજે સવારે 8 વગ્યાથી...
covid 19  ભારતમાં કોરોના કેસમાં વધ ઘટ યથાવત  24 કલાકમાં સામે આવ્યાં આટલા નવા કેસ

Covid-19: ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના 609 નવા કેસો સામે આવ્યા છે અને 3,368 જેટલા દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે જેની સંખ્યા સતત વધારો પણ થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે આ જાણકારી આપવામાં આવી હતી. આજે સવારે 8 વગ્યાથી લઈને વિતેલા 24 કલાકમાં ત્રણ લોકોના કોરોનાથી મોત પણ થયા છે. આ મૃતકોમાંથી બે દર્દા કેરલ અને એક કર્નાટકના હોવાની જાણકારી સામે આવી હતી. પાંચ ડિસેમ્બર 2023 સુધી દૈનિક કેસોની ઘટીને બે અંકોમાં આવી ગઈ છે. પરંતુ વાઈરસનું એક નવુ સ્વરૂપ સામે આવતા અને ઠંડીના મોસમના કારણે કેસોમાં વધારો થવા લાગ્યો છે.

Advertisement

વિશ્વસનીય સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે, પાંચ ડિસેમ્બર પછી 31 ડિસેમ્બર 2023માં એક દિવસમાં 841 નવા કેસો સામે આવ્યા હતા. જે મે મહિનામાં આવેલા કેસોની સંખ્યા પ્રમાણે 0.2 ટકા હતા. કોડિવ 19ની સારવાર લેતા દર્દીઓમાંથી 92 ટકા લોકો તો ઘરે રહીને જ દવા કરવી રહ્યા છે.

ભારતે કોરોનાની ત્રણ લહેરોનો સામનો કર્યો

મળતી વિગતો પ્રમાણે, ‘વર્તમાન આંકડાઓ દ્વારા જાણવા મળે છે કે, ‘જેએન-1’ સહફોર્મના કારણે ન તો નવા કેસો ઝડપી સામે આવે છે કે, ના તો હોસ્પિટલમાં ભર્તી થતા દર્દીઓની સંખ્યા તથા મૃત્યુ દરમાં વૃદ્ધી થાય છે.’ ભારતે ભૂતકાળમાં કોવિડ-19 ની ત્રણ લહેરોનો સામનો કર્યો છે. દેશમાં કોરોના વાઈરસના ડેલ્ટા સ્વરૂપના કારણે એપ્રિલથી જૂન 2021માં મહામારીની સ્થિતિ ખુબ જ ભયાનક રહી હતી. 7 મે 2021ના દિવસે દેશમાં એક દિવસમાં સંક્રમણના 4,14,188 નવા કેસો સામે આવ્યા હતા અને 3,915 દર્દીઓનું મોત થયું હતું.

Advertisement

આ પણ વાંચો: આ કેવી લવસ્ટોરી! પાંચ બાળકો વાળી સાળીને લઈ ચાર છોકરાનો બાપ ફરાર, પત્ની પણ...

રસીકરણની 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે, મહામારીની શરૂઆત 2020ના આરંભમાં થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી દેશમાં 4.5 કરોડથી પણ વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ સાથે મળતી વિગતો પ્રમાણે કોરોનાથી 3.5 લાખ લોકો મોત ભેટ્યા છે. મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે બીમારીથી સાજા થવા વાળા દર્દીઓની સંખ્યા 4.4 કરોડથી પણ વધારે છે. જ્યારે આ સંક્રમણથી બચવા વાળા દર્દીઓનો રાષ્ટ્રીય દર 98.81 ટકા જેટલો છે. વેબસાઇટ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના રસીકરણના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.