Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rahul Gandhi ના કાર્યક્રમમાં થયું એવું કે મચ્યો હોબાળો... Video

આજે બંધારણ દિવસની 75 મી વર્ષગાંઠ દિલ્હીના તાલરટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસનો કાર્યક્રમ Rahul Gandhi એ કાર્યકરોને સંબોધિત કર્યા કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું અચાનક માઈક બંધ થયું દેશ આજે બંધારણ દિવસની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. જેને લઈને દિલ્હીના...
rahul gandhi ના કાર્યક્રમમાં થયું એવું કે મચ્યો હોબાળો    video
Advertisement
  1. આજે બંધારણ દિવસની 75 મી વર્ષગાંઠ
  2. દિલ્હીના તાલરટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસનો કાર્યક્રમ
  3. Rahul Gandhi એ કાર્યકરોને સંબોધિત કર્યા
  4. કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું અચાનક માઈક બંધ થયું

દેશ આજે બંધારણ દિવસની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. જેને લઈને દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી (Rahul Gandhi) આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનું માઈક બંધ થઈ ગયું. જેના પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હોબાળો શરૂ કર્યો હતો. રાહુલનું માઈક લાંબા સમય સુધી બંધ રહ્યું, જ્યારે તે ઠીક થઈ ગયું તો તેણે કહ્યું કે તમે ગમે તેટલી વાર માઈક બંધ કરો, હું બોલતો રહીશ.

હું બોલતો રહીશ - Rahul Gandhi

રાહુલે વધુમાં કહ્યું હતું કે, જે કોઈ દલિતો અને પછાત લોકોની વાત કરે છે તેના માઈક બંધ કરી દેવામાં આવે છે. તમે ગમે તેટલા માઇક્સ બંધ કરો, હું બોલતો રહીશ. કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ફરી જાતિ જનગણનાની માંગને દોહરાવી હતી. તેમણે કહ્યું કે, દેશના ટોચના ઉદ્યોગપતિઓમાંથી કોઈ પણ દલિત, પછાત કે આદિવાસી વર્ગમાંથી નથી.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Rajya Sabha ની 6 બેઠકો માટે 20 ડિસેમ્બરે મતદાન, NDA ની તાકાત વધશે...

જાતિ જનગણના કરીશું...

રાહુલે કહ્યું કે, તાજેતરમાં અમે તેલંગાણામાં જાતિ ગણતરી સંબંધિત કામ શરૂ કર્યું છે. આમાં પૂછવામાં આવતા પ્રશ્નો રાજ્યના દલિતો, પછાત લોકો અને ગરીબોએ મળીને નક્કી કર્યા છે. તેનો અર્થ એ છે કે તેલંગાણાના લોકોએ જાતિની વસ્તી ગણતરીનું ફોર્મેટ તૈયાર કર્યું છે. આ એક ઐતિહાસિક પગલું છે. જ્યાં પણ અમારી સરકાર હશે ત્યાં અમે એ જ પેટર્ન પર જ્ઞાતિની વસ્તી ગણતરી કરીશું.

આ પણ વાંચો : Maharashtra : કેન્દ્રિય મંત્રીના દાવાથી ખળભળાટ,  આ નામ મહારાષ્ટ્રના સીએમ માટે ફાઇનલ

'PM એ બંધારણ નથી વાંચ્યું'

તેમણે વધુમાં કહ્યું કે, બંધારણ અહિંસાનો માર્ગ બતાવે છે. બંધારણ સત્ય અને અહિંસાનો ગ્રંથ છે. બંધારણ હિંસાને મંજૂરી આપતું નથી. તેમણે કહ્યું કે, જ્યાં પણ અમારી સરકાર આવશે અમે ત્યાં જાતિની વસ્તી ગણતરી કરીશું. જો પછાત વર્ગનો હિસ્સો વધુ છે તો તેમની ભાગીદારી ઓછી કેમ? તેમણે વધુમાં કહ્યું કે, હું ખાતરી આપું છું કે PM નરેન્દ્ર મોદીએ બંધારણનું પુસ્તક વાંચ્યું નથી. બંધારણ માત્ર એક પુસ્તક નથી, તે ભારતની હજારો વર્ષોની વિચારસરણી છે. તેમાં ગાંધીજી, આંબેડકરજી, ભગવાન બુદ્ધ, ફુલેજી જેવા મહાન લોકોનો અવાજ છે, પણ સાવરકરજીનો અવાજ નથી.

આ પણ વાંચો : હિન્દુ એકતા યાત્રા દરમિયાન બાબા બાગેશ્વર પર મોબાઈલ ફોનથી હુમલો !

Tags :
Advertisement

.

×