Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અયોધ્યામાં પહેલીવાર CM યોગીનો 'દરબાર', કેબિનેટ સભ્યોએ હનુમાનગઢીમાં પૂજા અર્ચના કરી

CM યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આજે અયોધ્યામાં કેબિનેટની બેઠક મળી રહી છે. 'રામ નગરી'માં આ પહેલી કેબિનેટ બેઠક હશે. સીએમ યોગી સવારે 11 વાગે અયોધ્યાના રામકથા પાર્ક પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે મંત્રીમંડળના તમામ સભ્યો સાથે હનુમાનગઢીમાં દર્શન પૂજા કરી હતી. આ...
12:14 PM Nov 09, 2023 IST | Hiren Dave

CM યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આજે અયોધ્યામાં કેબિનેટની બેઠક મળી રહી છે. 'રામ નગરી'માં આ પહેલી કેબિનેટ બેઠક હશે. સીએમ યોગી સવારે 11 વાગે અયોધ્યાના રામકથા પાર્ક પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે મંત્રીમંડળના તમામ સભ્યો સાથે હનુમાનગઢીમાં દર્શન પૂજા કરી હતી. આ પછી યોગી કેબિનેટે શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં પૂજા કરી અને રામલલા વિરાજમાન મંદિરમાં પૂજા કરી. જે બાદ હવે અયોધ્યાના આંતરરાષ્ટ્રીય રામકથા મ્યુઝિયમમાં કેબિનેટની બેઠક યોજાશે.

 

9 નવેમ્બરની તારીખ શા માટે પસંદ કરવામાં આવી?

અયોધ્યામાં યોગી કેબિનેટની બેઠક યોજવા માટે 9 નવેમ્બરની તારીખ ખાસ પસંદ કરવામાં આવી છે. કારણ કે વર્ષ 2019માં આ તારીખે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપીને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. આ સિવાય 9 નવેમ્બર 1989ના રોજ જ વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં રામ મંદિરનો પહેલો શિલાન્યાસ કર્યો હતો.

 

પ્રથમ વખત અયોધ્યામાં કેબિનેટની બેઠકનું આયોજન કરીને સરકાર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના એજન્ડાને પણ ધારદાર બનાવશે. કેન્દ્રની મોદી સરકારથી લઈને યુપીની યોગી સરકાર અયોધ્યાને વિશ્વનું શ્રેષ્ઠ શહેર બનાવવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં આજની તારીખ ઈતિહાસના સુવર્ણ પાનામાં નોંધાઈ જવાની છે. કારણ કે સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં રાજ્ય સરકારની કેબિનેટ પ્રથમ વખત રામ લલ્લાના ચરણોમાં થઈ રહી છે.

અયોધ્યામાં કડક સુરક્ષા

અયોધ્યામાં ઉત્તર પ્રદેશ કેબિનેટની બેઠકને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દરેક ખૂણા પર નજર રાખી રહી છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) પણ તૈનાત કરવામાં આવી છે. સીએમ યોગી અયોધ્યા હેલિપેડથી બસમાં બેસીને રામ નગરી પહોંચ્યા છે. ડેપ્યુટી સીએમ સીએમ બ્રજેશ પાઠક સહિત તમામ મંત્રીઓ તેમની સાથે હાજર છે.તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2019માં કુંભ મેળા દરમિયાન પ્રયાગરાજમાં યોગી કેબિનેટની બેઠક પણ થઈ હતી. ત્યારબાદ કેબિનેટના તમામ સભ્યોએ પણ સંગમમાં સ્નાન કર્યું હતું. આ સિવાય વારાણસીમાં કેબિનેટની બેઠક પણ યોજાઈ છે.

 

આ  પણ  વાંચો -‘રામ મંદિર નિર્માણ પર કોંગ્રેસ ભાજપની મજાક ઉડાવતી’, સ્મૃતિ ઈરાનીએ MPમાં નિશાન સાધ્યું

 

 

Tags :
Ayodhya Cabinet MeetingBJPBJP Cultural NationalismUp NewsYogi Cabinet Meeting In Ayodhya
Next Article